પાટીદાર અનામત આંદોલનને નવો કેપ્ટન મળ્યો, અલ્પેશ કથીરિયા હશે નવો ચહેરો, હાર્દિક હાંસિયામાં ધકેલાયો

 સુરતની લાજપોર જેલમાંથી 3 મહિના 20 દિવસનો જેલવાસ ભોગવ્યા બાદ આજે અલ્પેશ કથીરિયાની મુક્તિ થઈ છે. તેના સ્વાગત માટે સુરતથી નીકળેલી સંકલ્પ યાત્રામાં જે રીતે પાટીદાર યુવકોનું લોકજુવાળ એકઠું થયું છે, તે જોતા પાટીદાર અનામત આંદોલનને નવો ચહેરો મળ્યો છે, તે સ્પષ્ટ દેખાયું છે. અલ્પેશની રેલીમાં જે રીતે મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા છે, તે જોતા હવે અલ્પેશને આ અનામતનું નેતૃત્વ સોંપાય તેવું સ્પષ્ટ દેખાય છે. તો બીજી તરફ, હાર્દિક પટેલે પણ પોતાના નિવેદનમાં સંકેત આપ્યો છે કે, હવે અલ્પેશભાઈ કહેશે તેમ આંદોલન ચાલશે. લોકોએ અલ્પેશભાઈનું નેતૃત્વ સ્વીકાર્યું છે. અલ્પેશભાઈ અમારો મુખ્ય ચહેરો છે. 

પાટીદાર અનામત આંદોલનને નવો કેપ્ટન મળ્યો, અલ્પેશ કથીરિયા હશે નવો ચહેરો, હાર્દિક હાંસિયામાં ધકેલાયો

સુરત : સુરતની લાજપોર જેલમાંથી 3 મહિના 20 દિવસનો જેલવાસ ભોગવ્યા બાદ આજે અલ્પેશ કથીરિયાની મુક્તિ થઈ છે. તેના સ્વાગત માટે સુરતથી નીકળેલી સંકલ્પ યાત્રામાં જે રીતે પાટીદાર યુવકોનું લોકજુવાળ એકઠું થયું છે, તે જોતા પાટીદાર અનામત આંદોલનને નવો ચહેરો મળ્યો છે, તે સ્પષ્ટ દેખાયું છે. અલ્પેશની રેલીમાં જે રીતે મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા છે, તે જોતા હવે અલ્પેશને આ અનામતનું નેતૃત્વ સોંપાય તેવું સ્પષ્ટ દેખાય છે. તો બીજી તરફ, હાર્દિક પટેલે પણ પોતાના નિવેદનમાં સંકેત આપ્યો છે કે, હવે અલ્પેશભાઈ કહેશે તેમ આંદોલન ચાલશે. લોકોએ અલ્પેશભાઈનું નેતૃત્વ સ્વીકાર્યું છે. અલ્પેશભાઈ અમારો મુખ્ય ચહેરો છે. 

પાટીદારોમાં ગબ્બર જેવા હુલામણા નામથી ઓળખાતા અલ્પેશ કથીરિયાને જેલ બહાર ગબ્બર ઈઝ બેક જેવુ સ્વાગત મળ્યું છે. પાટીદારોમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો. અલ્પેશ કથિરીયા સાડા ત્રણ મહિના બાદ જામીન પર જેલમુક્ત થયા છે, ત્યારે હવે સૌથી મોટો સવાલ એ છે કે આંદોલનની કમાન કોણ સંભાળશે. આ અંગે હાર્દિકે મોટું નિવેદન આપ્યુ છે કે, પહેલાં આંદોલનનો હું ચહેરો હતો, હવે અલ્પેશ તેનો ચહેરો હશે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલે સતત બીજીવાર અલ્પેશને આગળ કર્યો છે. તેણે કહ્યું કે, અલ્પેશ કથીરિયાના નેતૃત્વમાં હવે અનામત આંદોલન ચાલશે. 

698989.jpg

અલ્પેશ એ હાર્દિક પટેલનો મજબૂત સાથી છે. ત્યારે હવે આંદોલન માટે અલ્પેશ અને હાર્દિક મળીને નવી રણનીતિ બનાવે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તો બીજી તરફ, અલ્પેશે પણ જેલ બહાર નિવેદનમાં કહ્યુ કે, સમાજ માટે લડત ચાલુ જ રહેશે. 

તો બીજી તરફ, અલ્પેશ કથીરિયાના જેલમાંથી છૂટકારા પછી ભાજપના નેતા વરૂણ પટેલે તેને શુભેચ્છા આપી. સાથે જ અનામતના આંદોલનમાં હાર્દિકની જગ્યાએ અલ્પેશ આવશે તો આંદોલન તીવ્ર બનશે તેવી આશા વ્યક્ત કરી. અલ્પેશના નેતૃત્વમાં ભાજપ સરકારની મુશ્કેલીમાં વધારો થશે તેવો સ્વીકાર પણ કર્યો છે. ભાજપના ટોચના નેતા વરુણ પટેલે કહ્યુ કે, અલ્પેશ આવશે તો આંદોલનને તીવ્ર ગતિ મળશે. તો સાથે જ અલ્પેશના નેતૃત્વમાં સરકારની મુશ્કેલીમાં વધારો થશે. હાર્દિકની આગેવાનીમાં કંઈ થાય એમ નથી. 

તો બીજી તરફ પાટીદાર સમાજે પણ અલ્પેશનું નેતૃત્વ સ્વીકાર્યું છે. એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે પણ અલ્પેશના નેતૃત્વને આવકાર આપ્યો છે. તેમણે કહ્યુ કે, અનામત આંદોલન ટીમનો કેપ્ટન બદલાયો છે. કેપ્ટન બદલાવાથી ટીમને નવો જુસ્સો મળશે. SPG ગ્રુપ પણ અલ્પેશ કથીરિયાની ટીમ સાથે જોડાશે. તેમણે આ સાથે જ હાર્દિક પટેલે લોકોનો વિશ્વાસ ખોયાનો આરોપ કર્યો હતો. તેમણે કહ્યું કે, અલ્પેશ કથીરિયાએ લોકોનો વિશ્વાસ જીત્યો છે. હાર્દિક રાજકારણમાં જોડાશે તો સમાજ તેને ઉખાડશે. એસપીજી ગ્રુપ પણ અલ્પેશ કથેરીની ટીમ નીચે આંદોલનમા જોડશે. હર્દિક પટેલે લોકોંનો વિશ્વાસ ગુમાવ્યો હતો. ત્યાંરે અલ્પેશે લોકોનો વિશ્વાસ જીતી લીધો છે. હાર્દિક પટેલ રાજકારણ માં જોડાશે તો સમાજ તેને ઉખાડી ફેંકશે.

ઉલ્લેખનીય છે કે, અલ્પેશના જેલમુક્તિ બાદ પાટીદારોમાં ઉત્સવ જેવા માહોલ છવાયો છે. તેમજ પાટીદાર સમાજના અગ્રણીઓમાં પણ ક્યાંક હાર્દિક પટેલ પ્રત્યે અત્યાર સુધી નારાજગી હતી. તેથી તેઓ પણ અલ્પેશ કથીરિયાની જેલમુક્તિથી ખુશ થયા છે. પાટીદાર અનામત આંદોલન સમયે અમદાવાદમાં જે રીતે લોકજુવાળ ઉમટ્યો હતો, તેવો માહોલ હાલ સુરતમાં દેખાઈ રહ્યો છે. અલ્પેશને સંકલ્પ યાત્રામાં દરેક પડાવ પર મોટો આવકાર મળી રહ્યો છે, જેનાથી સ્પષ્ટ દેખાય છે પાટીદાર સમાજના લોકો પણ અલ્પેશને જ આંદોલનના મુખ્ય ચહેરા તરીકે જોવા મળે છે. અલ્પેશ પાસેથી તેમને મોટી આશાઓ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news