ગુજરાતમાં ચાર દિવસમાં એરફોર્સનું બીજુ જગુઆર પ્લેન થયું ક્રેશ

જામનગર નજીક વાયુસેનાનું વધુ એક જગુઆર પ્લેન ર્દુઘટનાગ્રસ્ત થયું છે. જોકે સદનસીબે પાયલોટનો આબાદ બચાવ થયો છે. ચાર દિવસમાં બીજુ વિમાન ર્દુઘટનાગ્રસ્ત થતાં આ ઘટનાની તપાસના આદેશ કરાયા છે. 
ગુજરાતમાં ચાર દિવસમાં એરફોર્સનું બીજુ જગુઆર પ્લેન થયું ક્રેશ

અમદાવાદ : જામનગર નજીક વાયુસેનાનું વધુ એક જગુઆર પ્લેન ર્દુઘટનાગ્રસ્ત થયું છે. જોકે સદનસીબે પાયલોટનો આબાદ બચાવ થયો છે. ચાર દિવસમાં બીજુ વિમાન ર્દુઘટનાગ્રસ્ત થતાં આ ઘટનાની તપાસના આદેશ કરાયા છે. 

ગુજરાતના જામનગર પાસે શુક્રવારે એરફોર્સનું વધુ એક જગુઆર પ્લેન ર્દુઘટનાગ્રસ્ત થતાં ફફડાટનો માહોલ પ્રસર્યો છે. વાયુસેનાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર જગુઆર પ્લેને સવારે સવા નવ કલાકના અરસામાં જામનગરથી રેગ્યુલર ઉડાન ભરી હતી. જોકે પ્લેનમાં ટેકનિકલ ક્ષતિ હોવાનું ધ્યાને આવતાં સમય બગાડ્યા વિના પાયલોટે પ્લેનમાંથી પેરાશૂટ સાથે છલાંગ લગાવી હતી. સદનસીબે પાયલોટનો બચાવ થયો છે. 

અહીં નોંધનિય છે કે, ગત મંગળવારે મુંદ્રા નજીક એરફોર્સનું એક જગુઆર પ્લેન ક્રેશ થયું હતું. જોકે આ ર્દુઘટનામાં પાયલોટ એર કમોડર સંજય ચૌહાણનું મોત નીપજ્યું હતું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news