આઠ પાસ માત્ર ભાજપ સરકારમાં જ મંત્રી બની શકે, જાણી લો હર્ષ સંઘવીને કોને ઝાટકી લીધા

ગુજરાતના ગૃહમંત્રી અને કદાવર નેતા હર્ષ સંઘવીએ રાહુલ ગાંધીનું નામ લીધા વિના ટ્વિટર પર એક પોસ્ટ મૂકી હતી અને લખ્યું હતું કે ‘હવે એક વાત શકાય નહીં. કન્ફર્મ છે.

આઠ પાસ માત્ર ભાજપ સરકારમાં જ મંત્રી બની શકે, જાણી લો હર્ષ સંઘવીને કોને ઝાટકી લીધા

ઝી બ્યૂરો, અમદાવાદઃ રાહુલની પદયાત્રા પર ગુજરાતના નેતાઓમાં twitter પર યુદ્ધ છેડાયું છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એકબીજા પર રાજકીય પ્રતિક્રિયા આપી રહ્યાં છે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નામ લીધા વિના કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો, જેના પલટવારમાં કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પણ કટાક્ષ કરવાની તક ચૂક્યા નથી. આમ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સામસામે આવી ગયા હતા. 

ગુજરાતના ગૃહમંત્રી અને કદાવર નેતા હર્ષ સંઘવીએ રાહુલ ગાંધીનું નામ લીધા વિના ટ્વિટર પર એક પોસ્ટ મૂકી હતી અને લખ્યું હતું કે ‘હવે એક વાત શકાય નહીં. કન્ફર્મ છે.... ૩૦૦૦ કિલોમીટરની પદયાત્રા કરો તો પણ..માત્ર દાઢી વધે છે, બુદ્ધિ નહીં...'. તેમણે રાહુલ ગાંધીની પદયાત્રાને નિશાન લઈને આડકતરી રીતે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા પર આ કટાક્ષ કર્યો હતો. રાહુલ ગાંધીએ લોકસભામાં જે સવાલો ઉઠાવ્યા એ મામલે આ પ્રતિક્રિયા હતી. 

જેના જવાબમાં કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી આ તક ચૂક્યા ન હતા. જેઓએ આ ટ્વીટના પ્રત્યુત્તરમાં હર્ષ સંઘવીને ટેગ કરીને લખ્યું હતું કે ‘હવે એક વાત ‘કન્ફર્મ’ છે..! જો તમે આઠ ચોપડી ભણ્યા હોય અને બુદ્ધિનો છાંટો ના હોય તો પણ ભાજપની સરકારમાં ગૃહમંત્રી બની શકો છો...!' જેને પગલે આ બંને ટ્વીટ વાઈરલ થયા હતા.  રાજકીય નેતાઓની ભડાસ આજે વાયરલ થઈ હતી. જીજ્ઞેશ મેવાણીના ટ્વિટર હેન્ડલ પર કોમેન્ટનો મારો થયો છે. એક યુઝરે લખ્યું છે કે બુદ્ધિ પ્રદર્શન અહીં જ થઇ ગયું છે. દાઢી કુદરતી છે, ચાલો કે ના ચાલો, એ ત વધતી જ રહેવાની છે...  અન્ય એક યુઝરે લખ્યું છે કે પેપરફોડ સરકારના ઓવર બુદ્ધિશાળી મંત્રીઓ માટે અમારી દુઆ છે કે ભગવાન તમારાં જેવા અહંકારીને સદબુદ્ધિ આપે. આમ ટ્વીટર પર આ બંનેના ટવીટ બાદ સતત કોમેન્ટનો મારો થઈ રહ્યો છે. લોકો હવે પોતાની ભડાશ કાઢી રહ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news