GUJARAT CORONA UPDATE: નવા 37 કેસ, 60 દર્દી રિકવર થયા એક પણ મોત નહી

ગુજરાતમાં કોરોનાના નવા આંકડા આજે સામે આવ્યા હતા. જેમાંકોરોનાના નવા 37 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 60 દર્દી સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,12,124 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.06 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીના કુલ 15,923 ડોઝ અપાઇ ચુક્યાં છે. 
GUJARAT CORONA UPDATE: નવા 37 કેસ, 60 દર્દી રિકવર થયા એક પણ મોત નહી

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના નવા આંકડા આજે સામે આવ્યા હતા. જેમાંકોરોનાના નવા 37 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 60 દર્દી સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,12,124 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.06 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીના કુલ 15,923 ડોઝ અપાઇ ચુક્યાં છે. 

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 537 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 531 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 1212124 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 10938 નાગરિકોના મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર છે કે, આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. નવા આવેલા કેસની જિલ્લાનુસાર વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 13, વડોદરા કોર્પોરેશનમાં 10, તાપી અને વડોદરામાં 3-3 અને મોરબી-સુરત કોર્પોરેશનમાં 2-2, અમદાવાદ, ડાંગ, ગાંધીનગર કોર્પોરેશન અને નવસારીમાં 1-1 કેસ નોંધાયા છે. 

જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1709 ને પ્રથમ અને 8434 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના કિશોરો પૈકી 181 ને રસીનો પ્રથમ જ્યારે 2735 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 2864 નાગરિકોને પ્રિકોર્શન ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 15,923 ડોઝ જ્યારે અત્યાર સુધીમાં કુલ 10,39,73,990 ડોઝ અપાઇ ચુક્યાં છે. ઼

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news