GUJARAT CORONA UPDATE: નવા 37 કેસ, 110 દર્દી સાજા થયા; એક દર્દીનું મોત

ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. તો બીજી તરફ સાજા થવાના દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા માત્ર 37 કેસ જ નોંધાયા છે. રાજ્યમાં સાજા થવાના દર પણ 98.71 ટકાએ પહોંચ્યો છે

GUJARAT CORONA UPDATE: નવા 37 કેસ, 110 દર્દી સાજા થયા; એક દર્દીનું મોત

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. તો બીજી તરફ સાજા થવાના દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા માત્ર 37 કેસ જ નોંધાયા છે. રાજ્યમાં સાજા થવાના દર પણ 98.71 ટકાએ પહોંચ્યો છે. આજે કોરોનાને કારણે કુલ 110 દર્દીઓ સાજા થયા અત્યાર સુધીમાં કુલ 8,13,853 દર્દીઓએ કોરોનાને માત આપી છે. તો બીજી તરફ કોરોનાને મોરચે પણ સરકાર મક્કમતાથી લડી રહી છે. આજના દિવસમાં કુલ 3,13,740 લોકોને રસી આપવામાં આવી છે. 

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ હાલ 532 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 06 લોકો વેન્ટિલેટર પર છે. 526 સ્ટેબલ છે. 8,13,853 નાગરિકોને ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યા છે. 10075 નાગરિકોનાં અત્યાર સુધી મોત નિપજ્યાં છે. જો કે સારી બાબત છે કે કોરોનાને કારણે આજે એક મોત નિપજ્યું છે. એક પણ જિલ્લામાં ડબલ ડિજીટમાં કેસ આવ્યો નથી.

જો રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 213 ને રસીનો પ્રથમ અને 13698 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉમરના 54933 લોકોને રસીનો પ્રથમ અને 72650 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. 18-45 વર્ષના 165093 ને રસીનો પ્રથમ અને 7153 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. આજના દિવસમાં કુલ 3,13,740 લોકોનું આજના દિવસમાં રસીકરણ થઇ ચુક્યું છે. 2,93,41,544 લોકોનું અત્યાર સુધીમાં કુલ રસીકરણ થઇ ચુક્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news