GUJARAT CORONA UPDATE: કોરોનાના વધતા-ઘટતા કેસોએ લોકોની ચિંતા વધારી, જાણો આજે કેટલા આવ્યા કેસ

રાજ્યમાં કોરોનાના નવા 29 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 32 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,888 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે ગુજરાતનો કોરોના રિકવરી રેટ પણ સુધરીને 98.74 ટકાએ પહોંચ્યો છે

GUJARAT CORONA UPDATE: કોરોનાના વધતા-ઘટતા કેસોએ લોકોની ચિંતા વધારી, જાણો આજે કેટલા આવ્યા કેસ

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના નવા 29 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 32 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,888 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે ગુજરાતનો કોરોના રિકવરી રેટ પણ સુધરીને 98.74 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 4,52,020 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 316 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટીલેટર પર છે. 312 સ્ટેબલ છે. 8,16,888 નાગરિકો અત્યાર સુધીમાં કોરોનાને હરાવી ચુક્યા છે. 10092 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને મોત નિપજ્યાં છે. આજે એક પણ વ્યક્તિનું મોત થયું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 13 કેસ, વડોદરા કોર્પોરેશન અને વલસાડમાં 3-3 કેસ આવ્યા છે. જ્યારે ગાંધીનગર, રાજકોટ અને સુરત કોર્પોરેશનમાં 2-2 કેસ આવ્યા છે. અરવલ્લી, ગીર સોમનાથ, મોરબી અને નવસારીમાં 1-1 કસે સામે આવ્યા છે. આ પ્રકારે કુલ 29 કેસ આવ્યા છે.

રસીકરણના મોરચે પણ સરકાર સતત મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 8 ને પ્રથમ જ્યારે 1296 વર્કર્સને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 12000 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 106188 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષ સુધીના 38178 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 2,94,350 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 4,52,020 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં 7,84,36,149 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news