GUJARAT CORONA UPDATE: 15 નવા કેસ, 09 દર્દી સાજા થયા એક પણ મોત નહી

રાજ્યમાં આજે કોરોનાના નવા 15 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 09 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,13,243 નાગરિકો કોરોનાને મ્હાત પણ આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકા સુધી પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 98,402 રસીના ડોઝ આજના દિવસમાં આપવામાં આવ્યા હતા. 

GUJARAT CORONA UPDATE: 15 નવા કેસ, 09 દર્દી સાજા થયા એક પણ મોત નહી

ગાંધીનગર : રાજ્યમાં આજે કોરોનાના નવા 15 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 09 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,13,243 નાગરિકો કોરોનાને મ્હાત પણ આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકા સુધી પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 98,402 રસીના ડોઝ આજના દિવસમાં આપવામાં આવ્યા હતા. 

બીજી તરફ જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 105 એક્ટિવ કેસ છે. જે પૈકી એક પણ વ્યક્તિ વેન્ટીલેટર પર નથી. તમામ 105 નાગરિકો સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં 12,13,243 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જ્યારે અત્યાર સુધીમાં 10,943 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. કુલ નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશનમાં 6, આણંદ, ગાંધીનગર અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1107 ને રસીનો પ્રથમ અને 13203 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 383 ને રસીનો પ્રથમ અને 3576 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 11629 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના નાગરિકો પૈકી 10472 ને રસીનો પ્રથમ અને 58032 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. આ પ્રકારે કુલ 98402 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં 10,75,08,122 કુલ ડોઝ અપાઇ ચુક્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news