GUJARAT CORONA UPDATE: નવા 14 કેસ, 16 સાજા થયા, એક પણ મોત નહી

રાજ્યમાં કોરોનાના કેસોમાં રોજેરોજ 2-5 કેસોનો વધારો ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 14 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 16 દર્દી સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,262 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. સાંજ સુધીમાં 4,80,410 વ્યક્તિઓને ડોઝ અપાયા હતા. 
GUJARAT CORONA UPDATE: નવા 14 કેસ, 16 સાજા થયા, એક પણ મોત નહી

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસોમાં રોજેરોજ 2-5 કેસોનો વધારો ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 14 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 16 દર્દી સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,262 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. સાંજ સુધીમાં 4,80,410 વ્યક્તિઓને ડોઝ અપાયા હતા. 

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો 146 કુલ કેસ છે. જે પૈકી 05 નાગરિકો વેન્ટીલેટર પર છે. 141 સ્ટેબલ છે. 8,15,262 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10082 નાગરિકોના અત્યાર સુધી કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત થયું નથી જે રાહતના સમાચાર કહી શકાય. વડોદરા કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશન 3, સુરત 2, અમદાવાદ કોર્પોરેશન, ભાવનગર કોર્પોરેશન, ગાંધીનગર કોર્પોરેશન અને નવસારીમાં 1-1 કેસ આવ્યા છે. 

હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 18 ને પ્રથમ જ્યારે 4218 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 62512 નાગરિકોને રસીનો પ્રથમ 70672ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 1,88,370 ને રસીનો પ્રથમ જ્યારે 1,54,620 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 4,80,410 રસીના ડોઝ આજના દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં કુલ 4,91,03,453 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news