GUJARAT CORONA UPDATE: નવા 117 કેસ, 344 દર્દી રિકવર થયા, 2 નાગરિકોનાં મોત

ગુજરાત રાજ્યમાં કોરોનાનો ગ્રાફ સતત ઘટી રહ્યો છે. રાજ્યમાં આજે 117 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 344 દર્દીઓ સાજા થઇ રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 12,09,878 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 98.96 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ કોરોના રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજના દિવસમાં રસીના કુલ 31,021 ડોઝ અપાયા હતા. 

GUJARAT CORONA UPDATE: નવા 117 કેસ, 344 દર્દી રિકવર થયા, 2 નાગરિકોનાં મોત

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોનાનો ગ્રાફ સતત ઘટી રહ્યો છે. રાજ્યમાં આજે 117 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 344 દર્દીઓ સાજા થઇ રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 12,09,878 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 98.96 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ કોરોના રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજના દિવસમાં રસીના કુલ 31,021 ડોઝ અપાયા હતા. 

એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 1820 એક્ટિવ કેસ છે. જે પૈકી 22 નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે 1798 નાગરિકો સ્ટેબલ છે. 12,09,878 ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે 10930 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. તો આજે કોરોનાને કારણે કુલ 2 નાગરિકોનાં મોત થયા છે. એક મોત અમદાવાદ કોર્પોરેશન અને એક મોત વડોદરા કોર્પોરેશનમાં થયું છે. 

રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 6 ને રસીનો પ્રથમ જ્યારે 27 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 475 ને રસીનો પ્રથમ જ્યારે 2320 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 2226 ને પ્રથમ અને 12653 ને રસીનો બોજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-18 વર્ષના નાગરિકો પૈકી 573 ને રસીનો પ્રથમ જ્યારે 8221 ને રસીનો બીજો ડોઝ અફાયો હતો. કુલ 4520 ને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે 31,021 ડોઝ આજના દિવસમાં જ્યારે 10,29,83,813 કુલ ડોઝ અપાઇ ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news