રાજ્યના શિક્ષકો અને કર્મચારીઓને 7મા પગાર પંચના તફાવતનો પ્રથમ વાર્ષિક હપ્તો ચુકવાશે

નીતિન પટેલે જણાવ્યુ હતું કે,રાજ્ય સરકારના કર્મચારીઓને સાતમા કેન્દ્રીય પગાર પંચની ભલામણો પ્રમાણે સુધારેલ પગાર ધોરણો તા.૦૧.૦૧.૨૦૧૬ થી આપવા સરકાર દ્વારા નિર્ણય કરાયો હતો.

રાજ્યના શિક્ષકો અને કર્મચારીઓને 7મા પગાર પંચના તફાવતનો પ્રથમ વાર્ષિક હપ્તો ચુકવાશે

ગાંધીનગર: રાજ્યના નાયબ મુખ્‍યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે રાજ્યના બિન સરકારી અનુદાનિત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓને ૭માં પગાર પંચના અમલના કારણે ચુકવવાના પગાર તફાવતની રકમનો પ્રથમ વાર્ષિક હપ્‍તો નવેમ્‍બર માસમાં ચુકવવાની જાહેરાત કરી છે. નાયબ મુખ્‍યમંત્રી પટેલે જણાવ્‍યું હતું કે, રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે આ શાળાઓ સાથે સંકળાયેલા ૬૧૦૦૦ જેટલા શિક્ષકો તથા કર્મચારીઓને લાભ થશે. 

નીતિન પટેલે જણાવ્યુ હતું કે,રાજ્ય સરકારના કર્મચારીઓને સાતમા કેન્દ્રીય પગાર પંચની ભલામણો પ્રમાણે સુધારેલ પગાર ધોરણો તા.૦૧.૦૧.૨૦૧૬ થી આપવા સરકાર દ્વારા નિર્ણય કરાયો હતો. તદઅનુસાર મુખ્‍યમંત્રી વિજય રૂપાણીના સબળ નેતૃત્‍વમાં, રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓને ૭ માં કેન્દ્રીય પગારપંચની ભલામણો મુજબના નવા પગાર ધોરણ 'સ્કેલ ટુ સ્કેલ" ના ધોરણે લાગુ પાડવામાં આવ્‍યા છે. 

જે અનુસાર તા.૦૧.૦૮.૨૦૧૭ થી દર માસના પગારમાં રોકડના ધોરણે ચુકવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્‍યો હતો. જ્યારે, તા.૦૧.૦૧.૨૦૧૬ થી તા.૩૧.૦૭.૨૦૧૭ સુધીના સમયગાળાના તફાવતની રકમ પાંચ સરખા વાર્ષિક હપ્તામાં ચુકવવા અંગે રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો.  

વધુમાં જણાવ્‍યું હતું કે, રાજ્ય સરકારે ઉદાર અભિગમ અપનાવી તા.૦૧.૦૧.૨૦૧૬ થી તા.૩૧.૦૭.૨૦૧૭ સુધીના સમયગાળાના પગાર-તફાવતની રકમ પૈકી પ્રથમ વાર્ષિક હપ્તાની રકમ, નવેમ્બર માસમાં ચુકવવાનો નિર્ણય કર્યો છે અને આ પ્રથમ વાર્ષિક હપ્તાની ચુકવણી કરવાના કારણે સરકારની તિજોરી પર અંદાજે રૂા. ર૦૪ કરોડનું ભારણ આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news