ખેડૂતોની હોળી સુધરી! ગુજરાતના ખેડૂતોને મોદી સરકારે આપી મોટી ભેટ, હવે નેનો DAP

કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે Tweet કર્યું છે કે, ખાતરમાં આત્મનિર્ભરતા તરફ વધુ એક મોટી સિદ્ધિ! નેનો યુરિયા બાદ હવે ભારત સરકારે નેનો ડીએપીને પણ મંજૂરી આપી છે.

ખેડૂતોની હોળી સુધરી! ગુજરાતના ખેડૂતોને મોદી સરકારે આપી મોટી ભેટ, હવે નેનો DAP

ઝી ન્યૂઝ/ગાંધીનગર: હોળીના અવસર પર કેન્દ્ર સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. નેનો યુરિયા બાદ સરકારે નેનો ડીએપીને મંજૂરી આપી છે. એટલે કે નેનો ડાય એમોનિયમ ફોસ્ફેટને લીલી ઝંડી બતાવવામાં આવી છે. આ રીતે ભારતે ખાતરમાં આત્મનિર્ભરતાની દિશામાં વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. હવે એક બોરીમાં જેટલું DAP મળશે એટલું  DAPબોટલમાં મળી રહેશે . 

કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે Tweet કર્યું છે કે, ખાતરમાં આત્મનિર્ભરતા તરફ વધુ એક મોટી સિદ્ધિ! નેનો યુરિયા બાદ હવે ભારત સરકારે નેનો ડીએપીને પણ મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝન હેઠળ આ સફળતા ખેડૂતોને અપાર લાભ આપવા જઈ રહી છે. 

હવે ડીએપીની બેગ ડીએપીની બોટલના રૂપમાં પણ ઉપલબ્ધ થશે. કેન્દ્ર સરકાર નેનો પોટાશ, નેનો ઝિંક અને નેનો કોપર ખાતરો પર પણ કામ કરી રહી છે. કંપની ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO) તેનું ઉત્પાદન કરી રહી છે. IFFCO ને નેનો યુરિયા અને નેનો DAP માટે 20 વર્ષની પેટન્ટ મળી છે.

નેનો  DAP શું છે?
આખરે નેનો  DAP શું છે? આ બાબતે ખેડૂતો અને જનતામાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. તો ચાલો જાણીએ શું છે. નેનો યુરિયાની જેમ નેનો ડીએપી પણ પ્રવાહી સ્વરૂપે ઉપલબ્ધ થશે. અત્યાર સુધી ડીએપી પીળા રંગની કોથળીમાં પાવડર-ગોળીના રૂપમાં ઉપલબ્ધ હતું. પરંતુ હવે તે ખેડૂતોને બોટલમાં ઉપલબ્ધ થશે.

DAP એ ફોસ્ફેટિક એટલે કે રાસાયણિક ખાતર છે. તે છોડમાં પોષણ, નાઈટ્રોજન અને ફોસ્ફરસની ઉણપને પૂર્ણ કરે છે. આ ડીએપીમાં 18 ટકા નાઇટ્રોજન અને 46 ટકા ફોસ્ફરસ હોય છે. તેના ઉપયોગથી છોડના મૂળમાં સારો વિકાસ થાય છે. એક રીતે આ ખાતર પાકની ઉત્પાદકતા વધારવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે.

પ્રતિ એકર 250 મિલિગ્રામ નેનો ડીએપી ફાયદાકારક
નેનો ડીએપીનો પાકમાં 2 વાર ઉપયોગ કરાય છે. છે. પ્રથમ વખત તેનો ઉપયોગ બીજની માવજત માટે કરવો જોઈએ એટલે કે ડાંગરની નર્સરીના મૂળને નેનો ડીએપી સોલ્યુશનમાં પલાળી રાખ્યા પછી ડાંગરની રોપણી કરતા પહેલા. આ પછી, નેનો ડીએપી દ્રાવણનો 25 થી 30 દિવસના અંતરે છંટકાવ કરવો જોઈએ. 250 મિલિગ્રામ નેનો ડીએપી પ્રતિ એકર વિસ્તારમાં ફાયદાકારક છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news