17 વર્ષ બાદ ગોધરાકાંડ પાર્ટ-2 રિપોર્ટ આવ્યો, નાણાંવટી કમિશને તત્કાલીન CM નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપી

વિધાનસભા ગૃહમાં કેગનો રિપોર્ટ અને સાબરમતી ટ્રેન સળગાવવાનો ગોધરાકાંડ (Godhrakand) નો રિપોર્ટ એમ બે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે. આખરે 17 વર્ષ બાદ ગોધરાકાંડનો આ રિપોર્ટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો છે. ગોધરાકાંડ રિપોર્ટની સાથે કેગનો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો છે. નાણાવટી-મહેતા પંચ (Nanavati-Mehta Commission) નો આ રિપોર્ટ આખરે 17 વર્ષ બાદ રજૂ થયો છે, ગોધરા હત્યાંકાંડ અને તે બાદ થયેલા રમખાણોનો સમગ્ર અહેવાલ પરથી પડદો ઉઠશે. તેમજ લોકોના પ્રશ્નોનો પણ સવાલ મળશે.

17 વર્ષ બાદ ગોધરાકાંડ પાર્ટ-2 રિપોર્ટ આવ્યો, નાણાંવટી કમિશને તત્કાલીન CM નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપી

હિતલ પારેખ/બ્રિજેશ દોશી/ગાંધીનગર :વિધાનસભા ગૃહમાં કેગનો રિપોર્ટ અને સાબરમતી ટ્રેન સળગાવવાનો ગોધરાકાંડ (Godhrakand) નો રિપોર્ટ એમ બે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે. આખરે 17 વર્ષ બાદ આજે ગુજરાત વિધાનસભામાં ગોધરાકાંડ પાર્ટ-2નો રિપોર્ટ રજૂ કરાયો છે. ગોધરાકાંડ રિપોર્ટની સાથે કેગ (CAG)નો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો છે. નાણાવટી-મહેતા પંચ (Nanavati-Mehta Commission) નો આ રિપોર્ટ આખરે 17 વર્ષ બાદ રજૂ થયો છે, ત્યારે આ રિપોર્ટમાં તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની કેબિનેટના સદસ્યોને ક્લીનચીટ આપવામાં આવી છે. આ ઉપરાંત ત્રણ અધિકારીઓ આર.બી શ્રીકુમાર, રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટની ભૂમિકા નકારાત્મક હોવાની અને તેમની સામે ડિપાર્ટમેન્ટ કાર્યવાહી કરવાનો પણ ઉલ્લેખ કરાયો છે.  

પીએમ મોદીને ગોધરાકાંડમાં ક્લીનચીટ અપાઈ
ગૃહમાં ગોધરાકાંડનો રિપોર્ટ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને કેગનો રિપોર્ટ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રજૂ કર્યો હતો. ત્યારે રિપોર્ટ વિશે ગૃહરાજ્યમંત્રીએ મીડિયાને જણાવ્યું કે, આ રિપોર્ટમાં આખેઆખું ગોધરાકાંડ ટ્રેનને આગ લગાડવાનું પ્રૂવયોજિત પ્લાનિંગ હતું, તેવો સ્પષ્ટપણે ઉલ્લેખ કરાયો હતો. આ ઘટના બાદ નરેનદ્ર મોદી અને તેમના સભ્યોને બદનામ કરવાના કારસા રચવામાં આવ્યા હતા. ગોધરાકાંડ બાદ રાજ્યભરમાં થયેલા તોફાનો કોઈ પૂર્વઆયોજિત કાવતરું ન હતું, તે સમયના તત્કાલીન મુમ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની કેબિનેટના સાથીઓને ક્લીનચીટ અપાઈ છે. ગોધારાકંડમાં રાજકીય નેતાઓ અને પોલીસ અધિકારીઓને કોઈ સંડોવણી નથી. પૂર્વ મંત્રી હરેન પંડ્યા, ભરત બારોટ, અશોક ભટ્ટના સંદર્ભમાં જે આક્ષેપ કરાયા હતા તેઓને પણ ક્લીનચીટ અપાઈ છે. તાપસ પંચના તારણો, ત્રણ પોલીસ ઉચ્ચ અધિકારઈઓની ભૂમિકા નકારાત્મક ગણાઈ છે. પાર્ટ-2 રિપોર્ટના આધારે લોકોમાં જે શંકુ-કુશંકા અને ગુજરાતની સરકારને બદનામ કરાવના કારનામા હતા, તે નાણાવટી પંચના રિપોર્ટ દ્વારા તેનો પર્દાફાશ થાય છે. 

ત્રણ અધિકારીઓની નકારાત્મક ભૂમિકા 
નાણાવટી કમિશન દ્વારા જે રિપોર્ટ સોંપવામાં આવ્યો છે, તેમાં તે સમયના ત્રણ અધિકારીઓની નકારાત્મક ભૂમિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં આર.બી શ્રીકુમાર, રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટની નકારાત્મક ભૂમિકા હોવાનું અને તેમની સામે ડિપાર્ટમેન્ટ લેવલની કાર્યવાહી કરવાનો ઉલ્લેખ કરાયો છે.  

પીએમ મોદી ટ્રેનમાં પુરાવા નાશ કરવા ગયા હતા તે ખોટું
રિપોર્ટમાં કહેવાયું કે, નરેન્દ્ર મોદીને બદનામ કરવાની કોંગ્રેસની ચાલ હતી. નરોડા પાટીયાકાંડમાં ઉશ્કેરણી કરાઈ હતી. મોદી ટ્રેનમાં પુરાવાના નાશ કરવા ગયા તે આરોપ ખોટા છે. ભારત અને વિશ્વભરમાં નરેન્દ્ર મોદીને બદનામ કરવાની કોંગ્રેસ અને એનજીઓના બદઈરાદાનો પર્દાફાશ કરાયો છે. 

2500 પાનાનો 9 વોલ્યુમનો રિપોર્ટ મેજ પર મૂકાયો 
નાણવટી પંચનો પાર્ટ-2 આજે વિધાનસભાના મેજ પર મૂકવામાં આવ્યો છે. આ રિપોર્ટના 9 વોલ્યુમ છે. તેમાં 2500થી વધુ પાના છે. 44445 જેટલી એફિડેવિટનો સાર છે. 18 હજાર જેટલી એફિડેવિટ જુદી રાહત અન્ય વસ્તુઓની છે. 488 સરકારી અધિકારીઓના સોગંધનામા બાદ જે રિપોર્ટ આપ્યો છે તે વિધાનસભામાં મૂકાયો છે. 

ગોધરા કાંડનો અહેવાલ રજૂ થયો
ગુજરાત વિધાનસભામાં આજે ગોધરા કાંડનો અહેવાલ રજૂ થયો. 17 વર્ષ બાદ નાણાવટી-મહેતા તપાસ પંચનો બીજો ભાગ આજે વિધાનસભામાં મૂકાયો . 27 ફેબ્રુઆરી 2002માં 58 કારસેવકોનાં મોત થયાં હતાં. આજે ગુજરાત વિધાનસભામાં ગોધરાકાંડનો અહેવાલ રજુ કરાયો છે. જસ્ટિસ જી. ટી. નાણાવટી અને અક્ષય એચ. મહેતા મહેતા તપાસ પંચના રિપોર્ટનો બીજો ભાગ વિધાનસભા ગૃહમાં રજુ કરાશે. 27 ફેબ્રુઆરી 2002માં ગોધરા રેલ્વે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસને આગ લગાડી દેવામાં આવી હતી, જેમાં કોચ નંબર એસ-6માં સવાર 59 કાર સેવકોનાં મોત થયાં હતાં. મૃતકોમાં 27 મહિલાઓ, 10 બાળકો અને 22 પુરુષો હતા. જે બાદ રાજ્યભરમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં અને તેની તપાસ
માટે આ પંચની રચના કરવામાં આવી છે. નાણાવટી-મહેતા પંચના રિપોર્ટનો પહેલો ભાગ આજથી 10 વર્ષ પહેલાં 25 સપ્ટેમ્બર 2009માં શુક્રવારે ગુજરાત વિધાનસભામાં રજૂ થયો હતો. નાણાવટી-મહેતા પંચના રિપોર્ટનો બીજો ભાગ આજથી 5 વર્ષ પહેલાં 18 નવેમ્બર 2014માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને સોંપાયો હતો. હવે આ રિપોર્ટને ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news