વાસનાના કીડાએ એક માસૂમ ફૂલને પીંખી નાખ્યું, જેતપુરમાં પરિવારે ગુમાવી પોતાની વહાલસોઈ દીકરી

જેતપુરના સામા કાંઠાના જન કલ્યાણી વિસ્તારની કે જ્યાં ગત રોજ એક ઘટના બની જેમાં એક પરપ્રાંતીય મજુરની દીકરી રામ નવમીના દિવસે સાંજે 5 વાગ્યાની આસપાસ ગૂમ હતી અને તેનો પરિવાર તેની શોધ ખોળ કરી રહ્યો હતો.

વાસનાના કીડાએ એક માસૂમ ફૂલને પીંખી નાખ્યું, જેતપુરમાં પરિવારે ગુમાવી પોતાની વહાલસોઈ દીકરી

ઝી બ્યુરો/જેતપુર: વાસનાનો કીડો જયારે માણસ ઉપર હાવી થઇ જાય ત્યારે રાક્ષસ બની જાય છે અને સ્થળ ઉંમરનું ભાન ભૂલીને તે શું કરે તેનું કઈ નક્કી રહેતું નથી. આવી જ એક ઘટના જેતપુરમાં બની કે જ્યાં નરાધમ વાસનાના કીડો સળવળતા એક અઢી વર્ષની બાળકીની હત્યા કરી નાખી. ત્યારે કોણ છે આ નરાધમ રાક્ષસ.

શું છે ઘટના?
ઘટના છે જેતપુરના સામા કાંઠાના જન કલ્યાણી વિસ્તારની કે જ્યાં ગત રોજ એક ઘટના બની જેમાં એક પરપ્રાંતીય મજુરની દીકરી રામ નવમીના દિવસે સાંજે 5 વાગ્યાની આસપાસ ગૂમ હતી અને તેનો પરિવાર તેની શોધ ખોળ કરી રહ્યો હતો. શોધખોળના અંતે જયારે બાળકીનો પત્તો ના લાગ્યો ત્યારે પરિવારે જેતપુર પોલીસની મદદ માંગી અને પોલીસે શોધ ખોળ કરતા સામા કાંઠા વિસ્તારની વસુંધરા પ્રિન્ટના પાછળના ભાગે આવેલ લાકડાનાં ઢગલામાં ખુલ્લી જગ્યા ઉપરથી એક કોથળામાં શંક્સ્પદ મૃતદેહ મળી આવ્યો જેમાં એક બાળકીની હત્યા કરીને ફેંકી દેવાઈ હોઈ તેવું સાબિત થયું. બાળકની ઓળખ કરતા બાળકી ખોયેલ બાળકી જ હતી અને તેના માં બાપે તેની ઓળખી બતાવી હતી.

કોણ છે આ બાળકી અને કોણ છે નરાધમ હત્યારો શા માટે થઇ હત્યારો...
ગત રોજ બાળકી અને તેનો પરિવાર જે જગ્યા એ રહે છે ત્યાં સામે કે પાંન અને પ્રોવિઝન સ્ટોરની કેબીન છે અને અહીં નરાધમ હત્યારો રોજ આવે અને બાળકીનો પણ ભેટો થાય તેવી રીતે ઓળખાણ હતી. બાળકીને જોઈને નરાધમને મનમાં અનેક વાસનાના કીડા ઉભા થાય અને મનમાંને મનમાં બાળકીને કોઈ પણ રીતે મેળવવા માટે નક્કી કર્યું અને એક દિવસ બાળકીને ચોકલેટની લાલચ આપીને એ લઇ ગયો જ્યાં બાળકી ઉપર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો જયારે આ શક્ય ના બન્યું અને બાળકીને ચીસો પાડીતો નરાધમે બાળકીને મોઢામાં ડૂમો દઈને પથ્થર મારીને મોતને ઘાટ ઉતારી દીધી અને પછી લાશ નું શું કરવું તે ના સમજાતા તેણે બાળકીને પ્લાસ્ટિક ના કોથળામાં ભરીને લાકડાનાં ઢગલામાં ફેંકી દીધી હતી.

કોણ છે આ હત્યારો નરાધમ..
રામનવમીના રોજ બનેલ ઘટનાના પગલે જેતપુર પોલીસ તપાસમાં લાગી હતી ને હત્યારાની શોધખોળ શરુ કરી હતી. ઉદ્યોગીક વિસ્તાર હોય અને કારખાનામાં લાગેલા CCTV કેમેરામાં તપાસ શરૂ કરેલ હતી જેમાં બાળકીને લઈને એક દુધિયા શર્ટ પહેરેલ યુવક લઈ જતો જોવા મળેલ હતો. અને જેતપુર પોલીસે આ યુવકની શોધખોળ કરીને આરોપી યુવક રાજેશ ચૌહાણ ને ઝડપી લીધો હતો.

પકડાયેલ યુવક બિહારના નાલંદા જિલ્લાના રઘુનાથપરાનો રહેવાસી રાજેશ ચૌહાણ હોવાનું સામે આવ્યું હતું. નરાધમ રાક્ષસ રાજેશ ચૌહાણ અહીં રહી ને કારખાનામાં મજૂરી કરે છે તેની ગુનાહિત ઇતિહાસ બાબતે પોલીસ તપાસ કરી રહી છે. જેતપુર પોલીસે નરાધમ રાક્ષસ રાજેશ ચૌહાણને પકડીને કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news