અંબાજી મેળોનો પાંચમો દિવસ, ચાર દિવસોમાં 15 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન

અંબાજીમાં 7 દિવસ ચાલનારા ભાદરવી પૂનમના મેળાનો આજે પાંચમો દિવસ છે. દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તોમાં અંબાના ધામમાં ઉમટી રહ્યાં છે. 

અંબાજી મેળોનો પાંચમો દિવસ, ચાર દિવસોમાં 15 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન

અંબાજી: અંબાજીમાં 7 દિવસ ચાલનારા ભાદરવી પૂનમના મેળાનો આજે પાંચમો દિવસ છે. દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તોમાં અંબાના ધામમાં ઉમટી રહ્યાં છે. ચોથા દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. ચોથા દિવસે 4 લાખ 54 હજાર 940 ભક્તોએ દર્શનનો લાભ લીધો જ્યારે આ ચાર દિવસમાં કુલ 15 લાખ 95 હજાર 14 ભક્તોએ દર્શન કર્યા છે. ચોથા દિવસે પ્રસાદના 3 લાખ 66 હજાર 993 પેકેટ્સનું વિતરણ થયું છે. જ્યારે ચાર દિવસમાં કુલ 15 લાખ 28 હજાર 371 પ્રસાદના પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું. મંદિર દ્વારા શરૂકરવામાં આવેલી નિ:સુલ્ક સેવાનો ચોથા દિવસે 65 હજાર 278 લોકોએ લભા લીધો જ્યારે અત્યાર સુઘી 2 લાખ 17 હજાર 682 ભક્તોએ લાભ લીધો છે. ચોથા દિવસની ભંડાર અને ગાદીની આવક રૂપિયા 30 લાખ 45 હજાર 936 થઈ છે. ચાર દિવસની કુલ આવક રૂપિયા 1 કરોડ 4 લાખ 73 હજાર 822 થઈ છે. જેમાં સોનાની પણ ભેટનો સમાવેશ થાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news