આણંદના સોજીત્રાનાં ભાજપમાં ભડકો, 5 કાઉન્સિલરે એકસાથે રાજીનામા આપ્યા

BJP Councellor Resigns : સોજીત્રામા એકસાથે પાંચ કાઉન્સિલરના રાજીનામા પડતા જ રાજકારમાં ગરમાવો આવ્યો છે. તમામ કાઉન્સિલરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સોજીત્રા ભાજપ સંગઠનના કેટલાંક હોદેદારો તેમને ખોટી રીતે બદનામ કરી રહ્યાં છે

આણંદના સોજીત્રાનાં ભાજપમાં ભડકો, 5 કાઉન્સિલરે એકસાથે રાજીનામા આપ્યા

બુરહાન પઠાણ/આણંદ : ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય પાર્ટીઓમાં અંદરોઅંદર હોડ જામી છે. આણંદના સોજીત્રા નગર પાલિકાના ભાજપના 5 કાઉન્સિલરોએ પક્ષમાંથી રાજીનામાં આપ્યા છે. સોજીત્રામાં ભાજપના 5 કાઉન્સિલરો દ્વારા પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામા આપ્યા છે. સંગઠનનાં હોદ્દેદારો દ્વારા બદનામ કરાતા હોવાનું કારણ આપીને રાજીનામા આપવામાં આવ્યાં છે. સોજીત્રામાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ કાઉન્સિલરોની નારાજ સામે આવી છે. જેથી ભાજપના 5 સભ્યોએ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામા આપ્યાં.

ભાજપમાંથી રાજીનામાં આપનાર સભ્યો

  • કોકિલાબેન લક્ષ્મણભાઇ, વોર્ડ-5 
  • રાહુલભાઈ અશોકભાઈ, વોર્ડ નં-2
  • જીગ્નેશભાઈ પટેલ, વોર્ડ નં-4
  • ઉન્નતિબેન ધર્મેશભાઈ રાણા, વોર્ડ-3
  • કલ્પનાબેન મકવાણા, વોર્ડ-1ના કાઉન્સિલરઅને પાલિકાના ઉપપ્રમુખ

sojitra_bjp_zee.jpg

ખોટી રીતે બદનામ કરાયાો કાઉન્સિલરોનો આક્ષેપ
સોજીત્રામા એકસાથે પાંચ કાઉન્સિલરના રાજીનામા પડતા જ રાજકારમાં ગરમાવો આવ્યો છે. તમામ કાઉન્સિલરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સોજીત્રા ભાજપ સંગઠનના કેટલાંક હોદેદારો તેમને ખોટી રીતે બદનામ કરી રહ્યાં છે. તેમના વિસ્તારના વિકાસનાકામો ધ્યાને લેવામાં આવતાં નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news