વાવાઝોડાની દિશા જાણવા અજાણી લિંક પર ક્લિક ના કરતા, નહીંતર વાવાઝોડું ખાતા પરથી પસાર થઈને બેલેન્સ ઉડાવી દેશે!

હાલ સોશિયલ મીડિયાના જમાનામાં હવામાન વિભાગ સહિત અનેક એજન્સીઓની ચક્રવાતની સ્થિતિ જાણવા માટેની લિંક સોશિયલ મીડિયામાં ફરી રહી છે. આ લિંકનો ફાયદો ઉઠાવવા અમુક લેભાગુ તત્વો સક્રિય થયા છે.

વાવાઝોડાની દિશા જાણવા અજાણી લિંક પર ક્લિક ના કરતા, નહીંતર વાવાઝોડું ખાતા પરથી પસાર થઈને બેલેન્સ ઉડાવી દેશે!

ઝી બ્યુરો/અમદાવાદ: ટેક્નોલોજીના યુગમાં જે રીતે મોબાઇલ સહિતના આધુનિક ગેજેટ્સનો ઉપયોગ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે, ત્યારે જ માઇન્ડેડ ક્રિમિનલ્સ દ્વારા આચરવામાં આવતા ડિજિટલ ગુના, એટલે કે સાયબર ક્રાઇમનો પંજો જેટ ગતિએ વિસ્તરી રહ્યો છે. સાયબર ક્રાઈમના આકાઓ દરરોજ એક મોડસઓપરેન્ડી લઈને આવે છે અને લોકોની જિંદગીભરની કમાણી એક ઝાટકે છીનવી લે છે. ત્યારે હાલ ગુજરાતમાં ચક્રવાતી તોફાન 'બિપોરજોય'નો ખતરો મંડરાઈ રહ્યો છે અને હવામાન વિભાગ સહિત સમગ્ર રાજ્યના લોકો વાવાઝોડાની નાનામાં નાની અપડેટ જાણવા ઈચ્છુક રહે છે. 

હાલ સોશિયલ મીડિયાના જમાનામાં હવામાન વિભાગ સહિત અનેક એજન્સીઓની ચક્રવાતની સ્થિતિ જાણવા માટેની લિંક સોશિયલ મીડિયામાં ફરી રહી છે. આ લિંકનો ફાયદો ઉઠાવવા અમુક લેભાગુ તત્વો સક્રિય થયા છે અને તેઓ સાયબર ક્રાઈમના ગુનાઓને અંજામ આપી રહ્યા છે. એટલે હાલ વાવાઝોડાની દિશા કે સ્થિતિ જાણવા મોબાઈલની એકેય અજાણી લિંક પર ક્લિક કરશો નહીં, નહીંતર વાવાઝોડું તમારા બેંકના ખાતા પરથી પસાર થઈને બધુંય બેલેન્સ ઉડાવી શકે છે, એનો મતલબ એવો કે તમારી એક ખોટી ભૂલ તમારું બેન્ક બેલેન્સ ઝીરો કરી શકે છે.

નોંધનીય છે કે, આપણામાંથી મોટાભાગના લોકો જાણે છે કે આપણે ક્યારેય અજાણ્યા ફોન કરનાર વ્યક્તિને આપણું બેંક એકાઉન્ટ, કાર્ડ અથવા OTP ની વિગતો જણાવવી જોઈએ નહીં. પરંતુ શું તમે જાણો છો કે ફ્રોડ કરનાર આ વિગતો વિના પણ તમને છેતરી શકે છે? વિનંતી કરીને નાણાં પડાવી લેવાનો ફ્રોડ વધી રહ્યાં છે, અને જો ફ્રોડ કરનાર વ્યક્તિ ફક્ત તમારો ફોન નંબર જાણે છે, તો પણ તમે તેનો ભોગ બની શકો છો.

સાયબર એનાલિસ્ટના મતે ડિજિટલ છેતરપિંડીનો ભોગ બન્યા બાદ અંદાજે 30 ટકા લોકો આબરૂ જવાના કે, અન્ય કોઇ કારણોસર સંપૂર્ણ હકીકત સાથે સામે આવતા નથી, તેમ છતાં લોકડાઉન બાદ પોલીસના ચોપડે સાયબર ક્રાઇમના 4,451 કિસ્સાઓ દર્જ થઇ ચૂક્યા છે, જેના પરથી સાયબર ક્રાઇમના કિસ્સાઓનું ફલક કેટલી ઝડપથી વધુ રહ્યું છે તે સમજી શકાય છે.

આ લિંક પર કરી શકો છો ક્લિક

બિપોરજોય પોરબંદરથી 640 કિલોમીટર દૂર
દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ પોરબંદરથી આ વાવાઝોડું 640 કિલોમીટર દૂર છે. આ વાવાઝોડું ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. બિપોરજોય વધુ આક્રમક બનીને આગળ વધી રહ્યું છે. બંદરો પર હાલ ભયજનક 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બિપોરજોયને લઈને ગુજરાતના તમામ જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ છે.

આ વિસ્તારોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આજે અમરેલી, ગીર સોમનાથ, સુરત, વલસાડ, નવસારી અને અમદાવાદમાં વરસાદની સંભાવના છે. આ વિસ્તારોમાં આજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. આવતીકાલથી પવનની ગતિમાં પણ વધારો થશે. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના  છે. રાજ્યમાં થંડરસ્ટ્રોમાં એક્ટિવિટીની અસર પણ રહેશે, જ્યારે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં વરસાદી વાતાવરણથી તાપમાન 2 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news