રાજ્યમાં વરસાદ ખેંચાતા મુખ્યમંત્રીએ બેઠક યોજી, લીધા આ 4 મહત્વના નિર્ણયો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં વરસાદ ખેંચાતા સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મંત્રીઓ, વરિષ્ઠ સચિવોની ઉચ્ચસ્તરીય તત્કાલ બેઠક યોજી હતી. વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં પાણી પુરવઠો, ઘાસચારો, ખેડૂતોને સિંચાઇ માટે વીજળી જેવી મહત્વપૂર્ણ બાબતોની તલસ્પર્શી છણાવટ કરીને પરિસ્થિતીનો કયાસ કાઢવામાં આવ્યો હતો.

રાજ્યમાં વરસાદ ખેંચાતા મુખ્યમંત્રીએ બેઠક યોજી, લીધા આ 4 મહત્વના નિર્ણયો

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં વરસાદ ખેંચાતા સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મંત્રીઓ, વરિષ્ઠ સચિવોની ઉચ્ચસ્તરીય તત્કાલ બેઠક યોજી હતી. વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં પાણી પુરવઠો, ઘાસચારો, ખેડૂતોને સિંચાઇ માટે વીજળી જેવી મહત્વપૂર્ણ બાબતોની તલસ્પર્શી છણાવટ કરીને પરિસ્થિતીનો કયાસ કાઢવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીએ રાજ્યમાં જળાશયોમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તેથી નાગરિકોને પીવાનું પાણી કોઇ જ સમસ્યા વગર નિયમીત મળતું રહે તે માટેની સૂચનાઓ આપી હતી. તેમણે કહ્યું કે, કચ્છ જિલ્લામાં વરસાદ ઓછો થવાથી જે સ્થિતી સર્જાઇ છે તેમાં કચ્છનો ટપ્પર ડેમ પ૦૦ MCFT નર્મદાના પાણીથી તત્કાલિક ભરવાની કાર્યવાહી શરૂ કરાશે. 
    
રાજ્યમાં જે ૪૪ તાલુકાઓમાં ૧રપ મી.મી.થી ઓછો વરસાદ થયો છે તે તાલુકાઓમાં ગૌશાળા-પાંજરાપોળના મૂંગા પશુજીવો માટે બે રૂપિયે કિલોના ભાવે રાહત દરે ઘાસ વિતરણ યથાવત રાખવાનો પણ મહત્વપૂર્ણ નિર્ણય આ બેઠકમાં લેવાયો હતો. આ ઘાસ વિતરણની મુદત ૩૧ જુલાઇ-ર૦૧૮ના પૂર્ણ થતી હતી પરંતુ પ્રવર્તમાન સ્થિતીને અનુલક્ષીને હવે ૧રપ મી.મી. વરસાદ થાય ત્યાં સુધી કે અન્ય નિર્ણય લેવાય ત્યાં સુધી રાહત દરે ઘાસ વિતરણ ચાલુ રાખવાની સૂચનાઓ તેમણે આપી હતી.

અબોલ પશુજીવો પ્રત્યે સંવેદના દર્શાવતા બેઠકમાં એવો પણ નિર્ણય કર્યો કે, ઓછા વરસાદ વાળા આ ૪૪ તાલુકાઓમાં પશુપાલકોને પણ બે રૂપિયે કિલોના રાહત દરે ઘાસ વિતરણ સરકાર કરશે. આ સંદર્ભમાં જિલ્લા વહિવટીતંત્રોને પણ સૂચનાઓ આપી દેવા મુખ્ય સચિવને તેમણે જણાવ્યું હતું. વરસાદ ખેચાતા ખેડૂતોને પાકની સિંચાઇ માટે ૮ ને બદલે ૧૦ કલાક વીજળી આપવાની બાબતે પણ આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીએ નર્મદા ડેમ સહિત રાજ્યના વિવિધ જળાશયોના પાણીના આવરા, ઉપલબ્ધ જથ્થો અને થઇ રહેલા વપરાશની ઝીણવટપૂર્વક વિગતો મેળવી હતી. તેમણે સમીક્ષા કરતાં એમ પણ જણાવ્યું કે, રાજ્યમાં રપ૧ તાલુકામાંથી આજની સ્થિતિએ ૧૦૦૦ મી.મી.થી વધુ વરસાદ પડયો હોય તેવા ર૬,પ૦૧થી ૧૦૦૦ મી.મી. વરસાદ ધરાવતા ૪૩, રપ૧ થી પ૦૦ મી.મી. વરસાદ ધરાવતા ૯૦ અને ૧ર૬થી રપ૦ મી.મી. વરસાદ વરસ્યો હોય તેવા ૪૮ તાલુકાઓ છે. જે ૪૪ તાલુકાઓમાં ૧રપ મી.મી.થી ઓછો વરસાદ વરસ્યો છે તેમાં અમદાવાદ જિલ્લાના-૪, બનાસકાંઠા-૮, ભાવનગર-૧, દેવભૂમિ દ્વારકા-૧, ગાંધીનગર-૧, જામનગર-ર, કચ્છ-૧૦, મહેસાણા-૩, મોરબી-ર, પાટણ-૬, સુરેન્દ્રનગર-૬ તાલુકાઓનો સમાવેશ થાય છે. 

આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મહેસૂલ મંત્રી કૌશિકભાઇ, કૃષિ મંત્રી આર. સી. ફળદુ, ઊર્જા મંત્રી સૌરભ પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા, રાજ્યમંત્રી જયદ્રથસિંહજી તેમજ પરબતભાઇ પટેલ અને મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંહ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અગ્ર સચિવ મનોજકુમાર દાસ તથા મહેસૂલ, કૃષિ, વન-પર્યાવરણ, પાણી પુરવઠો, નર્મદા જળસંપતિના વરિષ્ઠ સચિવો, અને ભારતીય હવામાન વિભાગના જયંત સરકાર ઉપસ્થિત રહ્યા હતા.

4 મહત્વપૂર્ણ નિર્ણયો કરાયા :- 

જળાશયોમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ હોઇ પીવાનું પાણી કોઇ સમસ્યા વિના નિયમીત અપાશે 
કચ્છનો ટપ્પર ડેમ નર્મદાના પ૦૦ MCFT જળથી ભરી દેવાશે
ખેડૂતોને ૮ ને બદલે ૧૦ કલાક વીજળી અપાશે 
૧રપ મી.મી.થી ઓછા વરસાદ વાળા ૪૪ તાલુકાઓમાં ગૌશાળા-પાંજરાપોળ-પશુપાલકોને રૂ. બે પ્રતિ કિલોના રાહત દરે ઘાસ વિતરણ યથાવત રખાશે 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news