દિવાળીના તહેવારો પહેલાં હવામાન વિભાગની આવી ગઈ નવી આગાહી, જાણો કેવું રહેશે વાતાવરણ

હવે દિવાળીના તહેવારોની શરૂઆત થવાની છે. આ પહેલા રાજ્યના વાતાવરણ અંગે હવામાન વિભાગે લેટેસ્ટ માહિતી આપી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે રાજ્યમાં બે-ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. જોકે આ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી. 

દિવાળીના તહેવારો પહેલાં હવામાન વિભાગની આવી ગઈ નવી આગાહી, જાણો કેવું રહેશે વાતાવરણ

અમદાવાદઃ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને હવે ઠંડીની સીઝન પણ શરૂ થવાની છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે દિવાળી બાદ રાજ્યમાં ઠંડીની અસર શરૂ થઈ જશે. રાજ્યના હવામાન વિભાગે કહ્યું કે, છેલ્લા બે દિવસથી રાજ્યમાં ધુમ્મસને કારણે બિઝિબિલિટી ઘટી રહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુકુ વાતાવરણ રહેવાનું છે. રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી. 

કેવું રહેશે વાતારવણ
હવામાન વિભાગે આજે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર તવાનો નથી. તો ન્યુનત્તમ તાપમાનમાં એક ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે. મનોરમા મોહંતીએ કહ્યું કે ત્યારબાદ ચાર દિવસ ન્યુનત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. તેમણે કહ્યું કે હાલ રાજ્યમાં ભેજનું પ્રમાણે છે. જેના કારણે વાદળાઓ જોવા મળશે પરંતુ આ વરસાદી વાદળા નથી.

અમદાવાદના વાતાવરણમાં જોવા મળ્યો હતો પલ્ટો
અમદાવાદમાં છેલ્લા બે દિવસથી સાંજના સમયે વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. તે અંગે વાત કરતા હવામાન વિભાગે કહ્યું કે આ પ્રકારના વાતાવરણને મિસ્ક કહેવાય છે, તેમાં ધુમ્મસ જેવું લાગે છે. પરંતુ આ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી. 

શું રાજ્યમાં વરસાદ પડશે?
હવામાન વિભાગની માહિતી પ્રમાણે રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગે કહ્યું કે, આ વર્ષે દિવાળી નવેમ્બર મહિનામાં આવી છે. આ દરમિયાન સામાન્ય રીતે ઠંડીની શરૂઆત થઈ ગઈ હોય છે. તો તેમણે કહ્યું કે આ વર્ષે દિવાળી દરમિયાન પાંચ દિવસ વાતાવરણ સુકુ રહેશે. જ્યારે ભેજનું પ્રમાણે ઓછું રહેવાની શક્યતા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news