સુરેન્દ્રનગરના લખતર રોડ પર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ કાર, 4ના કમકમાટીભર્યા મોત

સુરેન્દ્રનગરના લખતર રોડ પર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ કાર, 4ના કમકમાટીભર્યા મોત
  • અકસ્માત વિશે સ્થાનિકોએ જણાવ્યું કે, કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેથી કાર વૃક્ષ સાથે ભટકાઈ હતી.
  • તમામ મૃતદેહોને કારમાંથી બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

મયુર સાંધી/સુરેન્દ્રનગર :નવા વર્ષની શરૂઆતમા જ ગુજરાતમાં અકસ્માતનો વણઝાર સર્જાઈ છે. આજે સવારે ગુજરાતમાં બે ગંભીર અકસ્માત (accident) સર્જાયા છે. જેમાં વડોદરાની વાઘોડિયા ચોકડી પાસે થયેલા અકસ્માતમાં 9 મુસાફરોના મોત નિપજ્યા છે. તો બીજી તરફ, સુરેન્દ્રનગરના લખતર રોડ પર સર્જાયેલા ગંભીર અકસ્માતના 4 લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના લખતર રોડ પર કોઠારીયા ગામના પાટીયા પાસે એક કાર વૃક્ષ સાથે જોરદાર ભટકાઈ હતી. આ ટકરાવ એટલો જોરદાર હતો કે, કારમાં સવાર ચાર લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જેમાં એક મહિલાનું પણ મોત નિપજ્યું છે. અકસ્માત વિશે સ્થાનિકોએ જણાવ્યું કે, કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેથી કાર વૃક્ષ સાથે ભટકાઈ હતી. જોકે, કારના ચાલકને ઝોકું આવી ગયું હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.

અકસ્માતની જાણ થતા જ પોલીસ તથા 108ની ટીમનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તમામ મૃતદેહોને કારમાંથી બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતની વધુ તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news