સુરત એરપોર્ટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર, PM મોદી ગુજરાત આવે એ પહેલાં જ મોટી ભેટ

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 મી ડિસેમ્બરના રોજ સુરતના મહેમાન બનવા જઈ રહ્યા છે. સુરત ખાતે આયોજિત બે વિવિધ કાર્યક્રમોમાં તેઓ વિશેષ રૂપથી હાજરી આપવાના છે. જેમાં સૌપ્રથમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 મી ડિસેમ્બરે સવારે સાડા દસ વાગ્યાના અરસામાં સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચશે. જે બાદ એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે. પરંતુ હાલ સુરતીઓ માટે પીએમ મોદીએ એક મોટા ખુશખબર આપ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. 

સુરત એરપોર્ટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર, PM મોદી ગુજરાત આવે એ પહેલાં જ મોટી ભેટ

ઝી બ્યુરો/સુરત: PM મોદી સરકારે સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે જાહેર કરવાની મંજૂરી આપી દીધી છે. જી હા...ગુજરાતને કેન્દ્ર સરકારની વધુ એક ભેટ આપી દીધી છે. સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે. પીએમ મોદી સુરત આવે એ પહેલાં જ સુરતને મોટી ભેટ મળી છે. સુરત એરપોર્ટ  હવેમાત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે એક પ્રવેશદ્વાર જ નહીં પણ સમૃદ્ધ હીરા અને કાપડ - ઉદ્યોગો માટે આયાત નિકાસની કામગીરીની સુવિધા મળશે.

સુરત એરપોર્ટ માત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પ્રવેશદ્વાર જ નહીં બને, પરંતુ સમૃદ્ધ હીરા અને કાપડ - ઉદ્યોગો માટે અવિરત નિકાસ-આયાત કામગીરીની સુવિધા પણ આપશે. આ વ્યૂહાત્મક પગલું અભૂતપૂર્વ આર્થિક સંભવિતતાને અનલોક કરવાનું વચન આપે છે, જે સુરતને આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન લેન્ડસ્કેપમાં મુખ્ય ખેલાડી બનાવશે અને આ ક્ષેત્ર માટે સમૃદ્ધિના નવા યુગને પ્રોત્સાહન આપશે.

ભારતમાં ઝડપથી વિકસતા શહેર સુરતે નોંધપાત્ર આર્થિક કૌશલ્ય અને ઔદ્યોગિક વિકાસનું પ્રદર્શન કર્યું છે. આર્થિક વૃદ્ધિ વધારવા, વિદેશી રોકાણને આકર્ષવા અને રાજદ્વારી સંબંધોને મજબૂત કરવા માટે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જા સુધી પહોંચાડવું એ સર્વોપરી છે. મુસાફરોની અવરજવર અને કાર્ગોની કામગીરીમાં વધારા સાથે એરપોર્ટનું આંતરરાષ્ટ્રીય હોદ્દો પ્રાદેશિક વિકાસ માટે મહત્ત્વપૂર્ણ પ્રોત્સાહન પ્રદાન કરશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news