જૂનાગઢમાં પૂર વચ્ચે મોટી દુર્ઘટના : ત્રણ માળનું મકાન ધરાશાયી, 4 થી વધુ લોકો દટાયાની આશંકા

Junagadh Flood : જૂનાગઢના કડિયાવાડમાં બિલ્ડિંગ ધરાશાયી, બિલ્ડિંગના કાટમાળ નીચે 6 થી વધુ લોકો દટાયા હોવાની આશંકા.. ફાયર વિભાગ દ્વારા સતત કામગીરી ચાલુ છે

જૂનાગઢમાં પૂર વચ્ચે મોટી દુર્ઘટના : ત્રણ માળનું મકાન ધરાશાયી, 4 થી વધુ લોકો દટાયાની આશંકા

Junagadh News : જુનાગઢમાં આકાશી આફત વચ્ચે બીજી મોટી આફત આવી છે. જુનાગઢમાં પૂરના પાણી હજી ઓસર્યા નથી, ત્યાં કડિયાવાડ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના બની છે. દાતાર રોડ પર આવેલી બિલ્ડિંગ તૂટી પડી છે. બિલ્ડિંગના કાટમાળ નીચે 4 થી વધુ લોકો દટાયા હોવાની આશંકા છે. ફાયર વિભાગ દ્વારા કાટમાળમાં દટાયેલા લોકોની શોધખોળ હાથ ધરાઈ છે. હાલ JCBની મદદથી કાટમાળ હટાવવાનું શરૂ કરાયું છે. જોકે, હજી સુધી કોઈ પણ વ્યક્તિને કાટમાળમાંથી બહાર કાઢી શકાયા નથી. 

આ અકસ્માતથી જુનાગઢમાં ચારેતરફ દોડાદોડ થઈ હતી. હાલ ફાયર વિભાગ દ્વારા JCB સહિતના સાધનોથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. તો સ્થાનિકો પણ મદદે જોડાયા છે. મોટી દુર્ઘટનાને પગલે મોટી સંખ્યામાં જુનાગઢવાસીઓ એકઠા થયા છે. હાલ પ્રાપ્ત માહિતી અનુસાર, કડિયાવાડ વિસ્તારમાં શાકમાર્કેટ પાસે ત્રણ માળનું મકાન તૂટી પડ્યુ હતું. જેમાં 6 જેટલા લોકો અંદર દટાયા છે. 

હાલ આ પરિવારની એક વ્યક્તિ બચી ગઈ છે. જેમનુ આ મકાન છે, તેઓ ભારે હૈયે પોતાના સ્વજનો જલ્દી બહાર આવે તેવી રાહ જોઈ રહ્યાં છે. તો અન્ય લોકો તેમને સાંત્વના આપી રહ્યાં છે. તો સમગ્ર વિસ્તારને દોરડાથી કોર્ડન કરાયું છે, તેમજ ચારેતરફ બેરિકેટ્સ લગાવાયા છે, જેથી રેસ્ક્યૂ કામગીરીમાં કોઈ અડચણ ન આવે. કારણ કે, મોટી સંખ્યામાં ટોળુ હાલ ઘટના સ્થળે એકઠુ થયું છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 24, 2023

અચાનક આ બિલ્ડીંગ ધરાશયી થઈ હતી, ત્યારે આસપાસના લોકોની ચીચીયારીઓથી વાતાવરણ ભયાવહ બન્યુ હતું. લોકોએ ચીસાચીસ કરી હતી. તો અનેક લોકો મદદે દોડ્યા હતા, પરંતુ હજી સુધી કોઈને બહાર કાઢી શકાયુ નથી. 

ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ, કમિશનર, એનડીઆરએફની ટીમ, આઈજી, ડીજી તમામ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. સ્થાનિકો પાસેથી મળતી માહિતી અનુસાર, આ મકાન ઘણું જ જુનૂં છે અને તેમને નોટિસ પણ આપવામાં આવી હતી. છતાં લોકો અંદર રહેતા હતા. 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 24, 2023

હાલ જુનાગઢમાં સ્થિતિ બહુ જ ખરાબ છે. પૂર બાદ હજી પણ જનજીવન સામાન્ય થઈ શક્યુ નથી, હજી પણ અનેક જગ્યાએ પાણી ઓસર્યા નથી. જુનાગઢ શહેરમાં મેઘ કહેર બાદ જ્યારે જૂનાગઢને મેઘરાજાએ અસ્તવ્યસ્ત કરી દીધું અને લોકોને પહેરવા કપડાં તથા રહેવા માટે ઘર પણ ન રહ્યું હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. રાયજીબાગ જેવા પોષ વિસ્તારોમાં વહીવટી તંત્ર રાતોરાત પહોંચ્યું હતું જ્યારે જિલ્લા કલેકટર દ્વારા સ્લમ વિસ્તારોમાં બે દિવસ બાદ મુલાકાત કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ સ્લમ વિસ્તારોમાં લોકોના ઘરની તમામ ઘરવખરી નાશ પામી છે અને લોકોને હાલ માત્ર અપાઇ રહેલા ફૂડ પેકેટ પર જ તેઓનું જીવન ચાલી રહ્યું છે. આવનારા દિવસોમાં વહીવટી તંત્ર સ્લમ વિસ્તારોમાં કઈ રીતનો સર્વે કરી અને કેવી કામગીરી હાથ ધરશે તે જોવું રહ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news