અમદાવાદમાં BJP મહિલા મોરચાના કાર્યકરનો આપઘાત, ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

પિનલ શાહના નામે 12 લાખ રૂપિયાની હોમ લોન ચાલતી હતી. પિનલ શાહે સ્ટેડિયમ પાસેના કલા નિર્માણ એપાર્ટમેન્ટમાં આપઘાત કર્યો છે. પિનલ શાહને સંતાનમાં એક દીકરી પરિણીત અને એક કુંવારી દીકરી છે. આ ઘટના બાદ ચાંદખેડા પોલીસે અકસ્માત મોત દાખલ કર્યું છે.

અમદાવાદમાં BJP મહિલા મોરચાના કાર્યકરનો આપઘાત, ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ઝી બ્યુરો/અમદાવાદ: શહેરમાં ચાંદખેડામાં રહેતા BJPના મહિલા કાર્યકરે આત્મહત્યા કરી છે. જેમાં 50 વર્ષીય પિનલ શાહ નામની મહિલાએ આપઘાતથી ખળભળાટ મચી ગયો છે. BJPના મહિલા મોરચાના કાર્યકરે ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. તમને જણાવી દઈએ કે 5 મહિના પહેલા જ પતિનું અવસાન થયું હતું. પિનલ શાહના નામે 12 લાખ રૂપિયાની હોમ લોન ચાલતી હતી. પિનલ શાહે સ્ટેડિયમ પાસેના કલા નિર્માણ એપાર્ટમેન્ટમાં આપઘાત કર્યો છે. પિનલ શાહને સંતાનમાં એક દીકરી પરિણીત અને એક કુંવારી દીકરી છે. આ ઘટના બાદ ચાંદખેડા પોલીસે અકસ્માત મોત દાખલ કર્યું છે.

પતિનું 5 મહિના પહેલા અવસાન
મળતી માહિતી મુજબ પિનલ શાહના પતિનું 5 મહિના પહેલા અવસાન થયું હતું. તેમણે સ્ટેડિયમ પાસેના કલા નિર્માણ એપાર્ટમેન્ટમાં આપઘાત કર્યો હતો. મૃતક બીજેપી મહિલા મોરચામાં કાર્યકર હતા. તેમને સંતાનમાં બે દિકરી છે જેમાં એક દિકરી પરિણીત છે અને એક દિકરી કુંવારી છે. ઘટનાની જાણ થતાં ચાંદખેડા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત મોત દાખળ કરીને મામલાની તપાસ શરુ કરી છે.

ઘરમાં ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી
અમદાવાદના ચાંદખેડામાં BJP ના મહિલા મોરચાના કાર્યકરે આપઘાત કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ 50 વર્ષીય પિનલ શાહ નામની મહિલાએ ગઇ કાલે સાંજે ઘરમાં ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news