SC Verdict on Bilkis Bano Case: ફરી જેલમાં ધકેલાશે બિલ્કીસ બાનો કેસના દોષિતો, ગુજરાત સરકાર પાસેથી છીનવી લેવાયો પાવર

Bilkis Bano Supreme Court Decision : બિલ્કિસ બાનું કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો... સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના આદેશને રદ કર્યો... સમય પહેલાં દોષિતોને છોડવાના આદેશને રદ કર્યો... કોર્ટે કહ્યું દોષિતોની મુકિતનો નિર્ણય ગુજરાત સરકાર ના લઈ શકે

SC Verdict on Bilkis Bano Case: ફરી જેલમાં ધકેલાશે બિલ્કીસ બાનો કેસના દોષિતો, ગુજરાત સરકાર પાસેથી છીનવી લેવાયો પાવર

Bilkis Bano SC Verdict : બિલ્કિસ બાનું કેસમાં સુપ્રીમ કોર્ટે આજે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના આદેશને રદ કર્યો છે. સમય પહેલાં 11 દોષિતોને છોડવાના ગુજરાત સરકારના આદેશને રદ કર્યો છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી ગુજરાત સરકારને મોટો ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું દોષિતોની મુકિતનો નિર્ણય ગુજરાત સરકાર ના લઈ શકે. દોષિતોને મુક્ત કરવાનો અધિકાર મહારાષ્ટ્ર સરકાર પાસે રહેશે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની જધન્ય કેસના આરોપીઓને મુક્ત કરવાની માફી રદ્દ કરી છે. તેથી હવે બિલ્કીસ બાનો રેપ કેસના 11 આરોપીઓ ફરી જેલમાં ધકેલાશે. આમ, સુપ્રીમ કોર્ટે બિલ્કીસ બાનોની અરજી યોગ્ય માનીને દોષિતોને સજામાં અપાયેલી છુટ રદ કરાઈ છે. 

નિર્ણય લેવાનો પાવર ગુજરાત સરકાર પાસેથી લઈને મહારાષ્ટ્ર સરકારને આપ્યો 
કોર્ટે આરોપીઓને સમય પહેલા મુક્તિનો ગુજરાત સરકારનો આદેશ રદ કર્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના આદેશને રદ કર્યો છે. કોર્ટે કહ્યું કે ગુજરાત સરકાર નહીં, પરંતુ મહારાષ્ટ્ર સરકારને રિલીઝ અંગે નિર્ણય લેવાનો અધિકાર છે. કોર્ટે કહ્યું કે, ગુનો ભલે ગુજરાતમાં થયો હોય, પરંતુ મહારાષ્ટ્રમાં ટ્રાયલ ચાલી રહી હોવાથી ગુજરાત સરકારને નિર્ણય લેવાનો અધિકાર નથી. આ ખોટું હતું, કોર્ટે પીઆઈએલ વિશે કંઈ કહ્યું નથી. બિલિકિસની અરજી સુનાવણી માટે યોગ્ય માનવામાં આવી હતી. બિલિકિસ પીડિત છે, તેણે પીઆઈએલ દાખલ કરી નથી. કોર્ટે કહ્યું, SCનો મે 2022નો આદેશ સાચો નહોતો. તે સમયે દોષિતે કોર્ટથી હકીકત છુપાવી હતી.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) January 8, 2024

 

SCએ કહ્યું, મહિલા સન્માનની હકદાર છે
કોર્ટે અરજીને સુનાવણી લાયક ગણી છે. SCએ કહ્યું, મહિલા સન્માનની હકદાર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગુજરાત સરકારને દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય લેવાનો કોઈ અધિકાર નથી. તે ગુનેગારોની સજા કેવી રીતે માફ કરી શકે? જો સુનાવણી મહારાષ્ટ્રમાં થઈ છે, તો ત્યાંની રાજ્ય સરકારને તેના પર સંપૂર્ણ અધિકાર છે. કારણ કે જે રાજ્યમાં કોઈ ગુનેગાર પર કેસ ચલાવવામાં આવે છે અને સજા થાય છે, માત્ર તેને જ ગુનેગારોની માફીની અરજી પર નિર્ણય લેવાનો અધિકાર છે.

 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) January 8, 2024

 

ગુજરાત સરકારે 11 આરોપીને મુક્ત કર્યા હતા
સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં આરોપીઓની સમય પહેલા જેલમુક્તિના મામલામાં સુનાવણી પૂર્ણ કરી લીધી છે. કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત કરતા પહેલા સરકારને રીલીઝ રેકોર્ડનું ભાષાંતર કરવા અને ઉપલબ્ધ કરાવવા જણાવ્યું હતું. ગુજરાત સરકારે 2022 માં દોષિતોને તેમની સજા માફ કરીને મુક્ત કર્યા હતા.  ગુજરાત સરકારે 15મી ઓગસ્ટ 2022ના રોજ આ દોષિતોને મુક્ત કર્યા હતા. મામલો એ સમયે વેગ પકડ્યો જ્યારે મુક્ત થયા બાદ આરોપીઓનું ફૂલ અને હારથી સ્વાગત કરવામાં આવ્યું. ગુનેગારોએ 15 વર્ષની જેલની સજા ભોગવી હતી. જેના બાદ 2002 ગુજરાત રમખાણોની પીડિતા બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરી હતી. બિલકિસે સુપ્રીમ કોર્ટમાં બંને અરજીઓ પર વહેલીતકે સુનાવણીની માંગ કરી હતી. 

2002ની છે ઘટના
2002ના ગુજરાત તોફાનો દરમિયાન દાહોદ જિલ્લાના રંધિકપુર ગામની બિલકિસ પોતાના પરિવારના 16 સભ્યોની સાથે ભાગી પાસેના ગામ છાપરવાડના ખેતરોમાં છુપાઈ હતી 3 માર્ચ 2002ના ત્યાં 20થી વધુ તોફાનીઓએ હુમલો કર્યો હતો. 5 મહિનાની ગર્ભવતી બિલકિસ સહિત કેટલીક અને મહિલાઓનો બળાત્કાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં બિલકિસની 3 વર્ષની પુત્રી સહિત 7 લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. 

2002માં મળી હતી આજીવન કેદની સજા
આરોપીઓ તરફથી પીડિત પક્ષ પર દબાવ બનાવવાની ફરિયાદ મળવા પર સુપ્રીમ કોર્ટે કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરી દીધો હતો. 21 જાન્યુઆરી 2008ના મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે 11 લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી. 2017માં બોમ્બે હાઈકોર્ટે આ સજાને યથાવત રાખી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news