બાળકોની બેગ તૈયાર કરો : ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવા સરકારે કરી જાહેરાત

ધોરણ 6 થી 8 ઓફલાઇન વર્ગો ચાલુ કરવા (schools reopening) અંગે આખરે રાજ્ય સરકારે નિર્ણય લઈ લીધો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી કે, ગુજરાતમાં 2 સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8 ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠકમાં ધોરણ 6 થી 8 શાળાઓ 2જી સપ્ટેમ્બર ગુરુવારથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ 30 હજાર કરતાં વધુ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ શરૂ કરાશે. આ સાથે જ ગુજરાતમાં ૩૨ લાખ વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્યનો પ્રારંભ થશે. 

બાળકોની બેગ તૈયાર કરો : ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવા સરકારે કરી જાહેરાત

હિતલ પારેખ/ગાંધીનગર :ધોરણ 6 થી 8 ઓફલાઇન વર્ગો ચાલુ કરવા (schools reopening) અંગે આખરે રાજ્ય સરકારે નિર્ણય લઈ લીધો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી કે, ગુજરાતમાં 2 સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8 ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠકમાં ધોરણ 6 થી 8 શાળાઓ 2જી સપ્ટેમ્બર ગુરુવારથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ 30 હજાર કરતાં વધુ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ શરૂ કરાશે. આ સાથે જ ગુજરાતમાં ૩૨ લાખ વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્યનો પ્રારંભ થશે. 

50 ટકા હાજરી સાથે વર્ગો શરૂ કરાશે 
ગુજરાતભરમાં ધોરણ 9 થી 12 તથા કોલેજનું ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ કરાયુ હતું. પરંતુ ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવા અંગે લાંબા સમયથી વિચારણા ચાલી રહી હતી. પરંતુ આખરે આ અંગે નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. 2 સપ્ટેમ્બરથી ગુજરાતભરની શાળાઓમાં ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવામાં આવશે. શિક્ષણમંત્રીએ વધુમાં કહ્યું કે, ઓફલાઈન વર્ગોની સાથે ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રાખવામાં આવશે. ધોરણ 6 થી 8 ના વર્ગો 50 ટકા હાજરી સાથે શરૂ કરાશે. સાથે જ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો નિયમ ફરજિયાતપણે પાળવા પડશે. તેમજ શાળાઓએ તમામ પ્રકારની એસઓપીનું પાલન કરવું પડશે. 

સાથે જ હાલ ગુજરાતમાં સૌથી વધુ ચર્ચાઈ રહેલા શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મામલે શિક્ષણમંત્રીએ કહ્યું કે, શિક્ષક સજ્જતા સર્વેક્ષણ આખા દેશમાં હકારાત્મક પહેલ ગુજરાતે કરી છે. આ માટે ૩૮ ટકા શિક્ષકોએ સર્વેક્ષણમાં ભાગ લીધો એ તમામ ભાઈ-બહેનોને અભિનંદન આપું છું. આ ફરજિયાત ન હતું, પણ મરજીયાત હતું. તેની કોઈપણ પ્રકારની સેવા પોથીમાં કેરિયરમાં નોંધ પણ થવાની નથી. આ સંજોગોમાં 38% શિક્ષકો હાજર રહ્યા છે, બાકીના ભવિષ્યમાં પણ આ પ્રકારની સર્વેક્ષણ પદ્ધતિમાં જોડાય તેવો પ્રયત્ન કરવામાં આવશે. આ સર્વેક્ષણ ખૂબ સારું રહ્યું તેઓ શિક્ષકોએ પ્રતિસાદ આપ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news