તિરંગા યાત્રામાં ફજેતી, ભાજપના કાર્યક્રમમાં ચાલુ થઈ કેજરીવાલની સ્પીચ, મંત્રીએ ઈશારો કરીને બંધ કરાવી

Tiranga Yatra : વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સામેલ થયા હતા. પરંતુ આ યાત્રામાં જોવા જેવી થઈ

તિરંગા યાત્રામાં ફજેતી, ભાજપના કાર્યક્રમમાં ચાલુ થઈ કેજરીવાલની સ્પીચ, મંત્રીએ ઈશારો કરીને બંધ કરાવી

વડોદરા :ગુજરાતમાં અનેક સ્થળે તિરંગા યાત્રા ફજેતીનું કારણ બની રહી છે. એક તરફ રખડતા ઢોરોને કારણે તિરંગા યાત્રા ચર્ચાઈ રહી છે. તો બીજી તરફ, વડોદરાની તિરંગા યાત્રામાં ભારે ફજેતી થઈ હતી. વડોદરામાં ભાજપની તિરંગા યાત્રામાં આપના સંયોજક અરવિંદ કેજરીવાલની સ્પીચ વાગવા લાગી હતી. આ સમયે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને સાંસદ રંજન ભટ્ટ હાજર રહ્યા હતા. ત્યારે અચાનક ચાલુ થયેલી સ્પીચથી નેતાઓ રઘવાઈ ગયા હતા. ત્યારે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ હાથ ઉચા કરી સ્પીચ બંધ કરાવી હતી. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ આ અંગે ટ્વીટ કરી હતી. 

વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સામેલ થયા હતા. પરંતુ આ યાત્રામાં જોવા જેવી થઈ હતી. મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને સાંસદ રંજન ભટ્ટ જ્યારે તિરંગો લહેરાવી રહ્યા હતા, આ સમયે ડીજી પર રાષ્ટ્રભક્તિના ગીતો ચાલી રહ્યા હતા, પરંતુ અચાનક ડીજેથી ભૂલ થઈ ગઈ અને રાષ્ટ્રગીતોની સાથે સાથે કેજરીવાલની સ્પીચ પણ ચાલુ થઈ ગઈ. જેથી ભાજપના નેતાઓ રઘવાઈ ગયા હતા. 

અચાનક શું ચાલુ થયુ તે સમજાયુ ન હતું, પરંતુ જ્યારે સમજાયું ત્યારે મંત્રીએ ઈશારો કરીને સ્પીચ બંધ કરવા કહ્યુ હતું. આખરે ડીજે વાગતુ બંધ થયુ હતું. આ મુદ્દો વડોદરામાં ચર્ચાના ચગડોળે ચઢ્યો હતો. 

ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરી, ગુજરાતમાં ઝાડુ ફરી વળ્યું
ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરી કે, ગુજરાતના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને ભાજપ સાંસદ રંજનબેન ભટ્ટની હાજરીમાં નીકળેલી તિરંગા યાત્રામાં અરવિંદ કેજરીવાલની સ્પીચ વાગી રહી છે. મંત્રીજી હાથ ઉઠાવીને તેને બંધ કરાવી રહ્યાં છે. કેજરીવાલની સ્પીચના શબ્દ અને આ તમામના ચહેરાઓ જુઓ!! ગુજરાતમાં ઝાડુ ફરી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news