AHMEDABAD: ત્રણ-ત્રણ લગ્ન છતા મહિલા સુખને ન પામી શકી, ભાઇને મેસેજ કર્યો અને...

અમદાવાદ શહેરમાં એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જે દરેક પરિવારો માટે લાલબત્તી સમાન કિસ્સો છે

AHMEDABAD: ત્રણ-ત્રણ લગ્ન છતા મહિલા સુખને ન પામી શકી, ભાઇને મેસેજ કર્યો અને...

અમદાવાદ : શહેરમાં વધારે એક ઘરેલુ હિંસાનો કિસ્સો સામે આવ્યો છે. સાસુ અને પતિએ પરિણીતાને ખુબ જ સામાન્ય બાબતોમાં શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરતા આખરે મહિલાએ ઉંઘની દવાઓ ખાઇને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. મળતી માહિતી અનુસાર પતિ અને પત્ની બંન્નેએ ત્રીજા લગ્ન કર્યા હતા. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે કે, 2019 માં તેમના લગ્ન જોધપુર ગામ નજીક રહેતા વિશાલ સાથે થયા હતા.

લગ્ન બાદ બંન્ને હનીમૂન પર ગયા હતા. જો કે આ દરમિયાન તેના મમ્મીને તે વારંવાર ફોન કરતો રહેતો હોવાથી બંન્ને વચ્ચે ઝગડો થયો હતો. જો કે ત્યાર બાદથી જ બંન્ને વચ્ચે અવાર નવાર ઝગડાઓ થતા રહેતા હતા. પરિણીતાના સાસુએ કામ નહી કરતી હોવાનું જણાવીને તેની નોકરી પણ છોડાવી દીધી હતી. આ ઉપરાંત તેને પોતાના માતા પિતા સાથે પણ વાત કરવા દેવામાં આવતી નહોતી. પરિણીતાને સંતાન નહી થતું હોવાને કારણે પણ વારંવાર તેને સંભળાવતા રહેતા હતા. આ ઉપરાંત તેને હાથ ખર્ચો કરવા માટે પણ તેમને પૈસા નહી અપાતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. 

AHMEDABAD: ક્રાઇમબ્રાંચે એક વ્યક્તિને ઝડપીને તેનો મોબાઇલ ખોલ્યો તો આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ
ફેબ્રુઆરીમાં પરિણીતાએ પોતાના પિયર જતા રહેવા માટે દબાણ શરૂ કર્યું હતું. જો કે પરિણીતાએ ઇન્કાર કર્યો હતો. જો કે પરિણીતાએ સાસુ ઘરમાંથી બહાર નિકળી ગયા હતા. ભાઇ ભાભીને જાણ કરી પરિણીતાને લઇ જવા માટે જણાવ્યું હતું. જો કે ત્યાર બાદ બંન્ને વચ્ચે સમાધાન થઇ ગયું હતું. 12 જૂનના દિવસે તેનો પતિ અને સાસુ બંન્ને ઘરમાંથી બહાર નિકળી ગયા અને ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. આખરે પરિણીતાએ તેના પતિ અને ભાઇને વોટ્સએપ મેસેજ કરીને ઉંઘની 15થી વધારે ગોળીઓ ખાઇ લીધી હતી. આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસે સમગ્ર મુદ્દે ફરિયાદ નોંધીને વધારે તપાસ આદરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news