વેપારી લઘુશંકાએ ગયો અને નોકર દાગીના ભરેલા 2 થેલા અને એકટીવા લઇને થઇ ગયો ફરાર

અમદાવાદના માણેકચોક વિસ્તારમાં સોનાના દાગીના બનાવનાર દુકાનનો કારીગર  ₹1.25 કરોડના સોનાના દાગીના લઈ ફરાર થઈ ગયો છે. દુકાન માલિક સાથે કારીગર એક્ટિવામાં બે થેલામાં સોનાના દાગીના લઈ શહેરમાં અલગ અલગ દુકાનોમાં સોનાના દાગીના બતાવી નરોડા આદિશ્રર કેનાલ પાસે પહોંચ્યા હતા. દુકાનમાલિક લઘુશંકા કરવા ગયો ત્યારે કારીગર ₹1.25 કરોડ ભરેલા દાગીનાના બેગ એક્ટિવા પર લઈ ફરાર થઈ ગયો હતો. 
વેપારી લઘુશંકાએ ગયો અને નોકર દાગીના ભરેલા 2 થેલા અને એકટીવા લઇને થઇ ગયો ફરાર

મૌલિક ધામેચા / અમદાવાદ: અમદાવાદના માણેકચોક વિસ્તારમાં સોનાના દાગીના બનાવનાર દુકાનનો કારીગર  ₹1.25 કરોડના સોનાના દાગીના લઈ ફરાર થઈ ગયો છે. દુકાન માલિક સાથે કારીગર એક્ટિવામાં બે થેલામાં સોનાના દાગીના લઈ શહેરમાં અલગ અલગ દુકાનોમાં સોનાના દાગીના બતાવી નરોડા આદિશ્રર કેનાલ પાસે પહોંચ્યા હતા. દુકાનમાલિક લઘુશંકા કરવા ગયો ત્યારે કારીગર ₹1.25 કરોડ ભરેલા દાગીનાના બેગ એક્ટિવા પર લઈ ફરાર થઈ ગયો હતો. 

બનાવ અંગે હકીકત એવી છે કે નોકર આનંદ રાજપૂતને કામ પર રખાવનાર શખ્સ ગણેશ ઘાંચીનો પણ ફોન બનાવ બાદ બંધ આવતા ગુનાહિત ષડયંત્ર અંગે વેપારીને ગણેશ ઘાચી પર શંકાની સોય લાગી. આ મામલે વેપારીએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમોએ તપાસ શરૂ કરી છે.

મૂળ રાજસ્થાનના અને હાલ અમદાવાદ રાયપુરમાં માંડવીની પોળમાં રહેતા મુકેશભાઈ ઘાચી માણેકચોકમાં M H જવેલર્સ નામે સોનાના દાગીના બનાવવાનું કામ કરે છે. શહેરમાં અલગ અલગ જગ્યાએ સોનાના દાગીના દુકાનોમાં આપે છે. અઢી મહિના પહેલા તેમના જ ગામનો અને સમાજનો ગણેશભાઈ ઘાંચી નામનો વ્યક્તિ આવ્યો હતો તેના જ ગામના આનંદસિંહ રાજપૂત નામના વ્યક્તિને માસિક નવ હજારના પગારે કામ પર રાખ્યો હતો. 

મુકેશભાઈ સાથે આનંદસિંહ સોનાના દાગીના લઈ અલગ અલગ દુકાને જતો હતો. 16 ઓક્ટોમ્બરના રોજ બપોરે 1 વાગ્યે બે થેલામાં સોનાના સેટ, બુટ્ટીઓ, મંગળ સૂત્ર, લકી કડા સહિત રૂ. 1.25 કરોડની કિંમતના દાગીના લઈ એક્ટિવા પર મુકેશભાઈ આનંદસિંહને લઈ ગયા હતા. અલગ અલગ દુકાનોમાં દાગીના બતાવી અને નરોડા આદિશ્વર કેનાલ પાસે પહોંચ્યા હતા.

દરમ્યાનમાં મુકેશભાઈ લઘુશંકા કરવા ગયા ત્યારે આનંદસિંહ તકનો લાભ ઉઠાવી એક્ટિવા ચાલુ કરી ₹1.25 કરોડ ભરેલા દાગીનાના બેગ એક્ટિવા પર લઈ ફરાર થઈ ગયો હતો. બુમો પાડી પીછો કરવા છતાં ત્યાંથી નાસી ગયો હતો. તેને કામ પર રખાવનાર શખ્સ ગણેશ ઘાંચી નો ફોન અને ઘર નું ઘર દેખાતા તે પણ ફરાર થઇ ગયો હોવાનું મનાઈ રહ્યું છે. 

આ મામલે વેપારીએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમોએ તપાસ શરૂ કરી છે. હાલ સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી લેવા પ્રયાસો શરૂ કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news