દારૂની ‘મહેફિલ’ કરવી યુવકને ભારે પડી! ગાળાગાળી થતાં પથ્થરના ઘા ઝીંકી કરૂણ હત્યા

રાજકોટના રૈયાધાર વિસ્તારમાં આવેલ મચ્છુનગર ક્વાર્ટર્સમાં રહેતો અને ભંગારની ફેરી કરતો વિનોદ ઉર્ફે વિનોજ દિનેશભાઇ રાફુચા (ઉ.વ.22) શનિવારે સવારે પોતાના ઘરેથી નિત્યક્રમ મુજબ ભંગારની ફેરી કરવા માટે નીકળ્યા બાદ ગુમ થયો હતો.

દારૂની ‘મહેફિલ’ કરવી યુવકને ભારે પડી! ગાળાગાળી થતાં પથ્થરના ઘા ઝીંકી કરૂણ હત્યા

દિવ્યેશ જોશી/રાજકોટ: રૈયાધાર વિસ્તારમાં યુવકની હત્યા કરાયેલી લાશ રવિવારે સવારે મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જેમાં નજીકના સીસીટીવી તપાસવામાં આવતા મૃતક યુવક સાથે દેખાતો શખ્સ શંકાના દાયરામાં હતો. જેથી આ હત્યારાને પોલીસે રાધનપુર ખાતેથી ઝડપી પાડયો હતો. જેમાં બંનેએ સાથે મળી દારૂની મહેફીલ માણી હતી ત્યારબાદ પથ્થરના ઘા ઝીંકી હત્યા નીપજાવી દીધી હતી ત્યારે જાણો સમગ્ર હકીકત કે ક્યાં કારણે કરવામાં આવી હત્યા?

ઘરેથી નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારે શોધખોળ કરી
રાજકોટના રૈયાધાર વિસ્તારમાં આવેલ મચ્છુનગર ક્વાર્ટર્સમાં રહેતો અને ભંગારની ફેરી કરતો વિનોદ ઉર્ફે વિનોજ દિનેશભાઇ રાફુચા (ઉ.વ.22) શનિવારે સવારે પોતાના ઘરેથી નિત્યક્રમ મુજબ ભંગારની ફેરી કરવા માટે નીકળ્યા બાદ ગુમ થયો હતો અને રવિવારે સવારે રૈયાધારમાં શાંતિનગરના ગેટ નજીક અવાવરૂ સ્થળેથી તેની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જેમાં તેને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકી તેની હત્યા કરવામાં આવી હતી. 

પત્ની પણ આઠ મહિનાથી રિસામણે બેઠી હતી
રાજકોટ પોલીસે મૃતકની માતા હીરાબેનની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. જેમાં તપાસના આધારે પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતાં એક શખ્સ શનિવારે વિનોદની સાથે જતો દેખાયો હતો અને ત્યારબાદએ જ શખ્સ વિનોદની લારી અવાવરૂ સ્થળે છુપાવતો હોવાનું પણ કેમેરામાં કેદ થયું હતું આમ તે શંકાના દાયરામાં હતો અને તે રાધનપુરનો વતની અજય ગોવિંદ દેવીપૂજક હોવાનું બહાર આવ્યું હતું જેથી પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી તેને રાધનપુર ખાતેથી ઝડપી પાડયો હતો.

ગાળો દેતા ઉશ્કેરાયો અને નીપજાવી હત્યા
રાજકોટ પોલીસે હત્યારા અજયને રાધનપુર ખાતેથી ઝડપી પાડી રાજકોટ ખાતે લાવી તેની આગવી ઢબે પૂછપરછ કરી હતી જેમાં તેને કબુલાત આપતા જણાવ્યું હતું કે શનિવારે પોતે તથા વિનોદ દારૂ પીવા સાથે બેઠા હતા. દારૂ પીતી વખતે વિનોદ ગાળો ભાંડવા લાગ્યો હતો. તેથી તેને સમજાવવામાં આવ્યો હતો અને ગાળો બોલવાની ના કહેતા તે વધુ ગાળો દેવા લાગ્યો હતો અને અંતે પોતે ઉશ્કેરાઇને તેને પથ્થરના ઘા ઝીંકી તેની હત્યા નીપજાવી હતી અને ત્યારબાદ પોતે પોતાના વતન રાધનપુર નાસી ગયો હતો. પોલીસે આરોપી અજય વિરુદ્ધ હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news