જુનાગઢમાં બે કાર વચ્ચે અકસ્માત, 5 મૃતદેહોને કાર તોડીને બહાર કઢાયા

જુનાગઢના ગાંઠીલા પાસે રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બે કાર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, કારમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. 

જુનાગઢમાં બે કાર વચ્ચે અકસ્માત, 5 મૃતદેહોને કાર તોડીને બહાર કઢાયા

હનીફ ખોખર/જુનાગઢ :જુનાગઢના ગાંઠીલા પાસે રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બે કાર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, કારમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં કુલ 5 લોકના મોત નિપજ્યા છે. તો 2 લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં ઈશાન મીર, એજાજ મીર અને પાયલ લાઠીયા ટીવી અને યુટ્યુબ સ્ટાર્સ છે. પરંતુ મૃતદેહોની કારમાં એવી હાલત થઈ હતી કે, કાર તોડીને મૃતદેહોને બહાર કાઢવા પડ્યા હતા. ભારે જહેમત બાદ મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મૃત્યુ પામનાર લોકો
ઇશાંત સલીમભાઈ ચંદાણી મીર (ઉંમર 19 વર્ષ) 
એઝાઝ ફિરોઝભાઈ ચંદાણી મીર (ઉંમર 25 વર્ષ) 
ભાવિક કાળુભાઇ મકવાણા (ઉંમર 24 વર્ષ) 
પાયલ વિનોદભાઈ લાઠીયા, જુનાગઢ (ઉંમર 20 વર્ષ) 
કુંજન પ્રદીપગીરી અપારનાથી, વેરાવળ (ઉંમર 20 વર્ષ) 

ઈજા પામનાર લોકો
સુનિલ સોલંકી (ઉંમર 24 વર્ષ) 
સમન સલીમભાઈ મીર (ઉંમર 15 વર્ષ) 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news