પવનના સુસવાટા અને કરા સાથે ગુજરાતમાં ફરી મેઘો એકવાર ધમરોળશે, ખેલૈયાની તો લાગી જશે વાટ!

Gujarat Weather Forecast: હવામાન વિભાગ દ્વારા નવરાત્રિમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, 17થી 19 વચ્ચે પશ્ચિમી વિક્ષેપને લઈ વરસાદની શક્યતા છે. હિમાચલથી ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે. આગામી સમયને લઈ હવામાન વિભાગની આગાહી છે. 

પવનના સુસવાટા અને કરા સાથે ગુજરાતમાં ફરી મેઘો એકવાર ધમરોળશે, ખેલૈયાની તો લાગી જશે વાટ!

Ambalal Patel Cyclone Alert Prediction: ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય છતાં નવરાત્રિ દરમિયાન એક એવી મજબૂત સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેનાથી વરસાદ આવશે. રાજ્યમાં દક્ષિણ પશ્ચિમ-પશ્ચિમના પવન ફૂંકાઇ રહ્યા છે. જ્યારે આગામી 6 દિવસ તાપમાન યથાવત રહેશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે શિયાળાની સિઝનમાં વારંવાર વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે.

સાથે જ તેમણે જણાવ્યું કે, વેસ્ટન ડિસ્ટર્બન્સની ગુજરાતના હવામાન પર કેવી અસર પડશે. નવરાત્રિના કેટલાક નોરતાઓમાં વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને 17 થી 19 સપ્ટેમ્બરની વચ્ચે ભારે પવન અને કરા સાથે વરસાદ પડી શકે છે. આનુ કારણ વાવાઝોડાની અસર છે. બિપોરજોય વાવાઝોડા બાદ ગુજરાતમાં વધુ એક વાવાઝોડું દસ્તક આપી રહ્યું છે, જેની સીધી અસર ગુજરાતીઓના સૌથી મોટા તહેવાર નવરાત્રિ પર પડશે. આ નવરાત્રિમાં મેઘરાજા ખેલૈયાઓનો ખેલ બગાડશે. 

15 ઓક્ટોબરે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, આણંદ, ખેડા, બોટાદ, ભાવનગરમાં સામાન્ય વરસાદની શક્યતા છે. જ્યારે અન્ય જિલ્લામાં વાતાવરણ સૂકું રહેશે. 16 ઓક્ટોબરે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદની શક્યતા છે અને અન્ય જિલ્લામાં વાતાવરણ સૂકું રહેશે. જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 15 અને 16 ઓક્ટોબરે વરસાદ થશે તો ખેલૈયાના રંગમાં ભંગ પડશે. આ આગાહીના કારણે આયોજકો પણ ચિંતામાં મુકાશે. સાથે જ ચોમાસું પાક તૈયાર થઇ ગયો છે. તેવા સંજોગોમાં વરસાદ થાય તો ખેડૂતોના મોઠામાં આવેલો કોળીયો છીનવાઇ જશે. 14 ઓક્ટોબરે એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે અને તેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. સાથે જ 19 ઓક્ટોબરે પણ મજબૂત એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેના કારણે પણ ગુજરાતના અમુક વિસ્તારમાં વરસાદ થવાની શક્યતાઓ છે.

યુવાઓને નરેશ પટેલની મોટી સલાહ : માતાપિતાને અંધારામાં રાખી પ્રેમલગ્ન કરવા યોગ્ય નથી
 
હવામાન વિભાગ દ્વારા નવરાત્રિમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, 17થી 19 વચ્ચે પશ્ચિમી વિક્ષેપને લઈ વરસાદની શક્યતા છે. હિમાચલથી ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે. આગામી સમયને લઈ હવામાન વિભાગની આગાહી છે. આગામી 14 તારીખ સુધી વરસાદની શક્યતા નહિવત છે. પરંતું 14 ઓક્ટોબર બાદ વેસટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા છે. 14 ઓક્ટોબર બાદ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. હાલ રાજ્યમાં લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી છે.

નવરાત્રિ બગાડશે વરસાદ
ખેલૈયાઓ માટે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, મેઘરાજા નવરાત્રિની મજા બગાડશે. 17,18,19 ઓક્ટોબરે ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ દિવસોમાં નવરાત્રિ છે. આ દિવસોમાં ઉત્તર અને મધ્યગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાતમાં વરસાદની આગાહી છે. 12 ઓક્ટોબરે અરબસાગરમાં હાઈપ્રેશર બનશે. 20 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે. 16 થી 24 નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે. 

શિયાળો ક્યારે આવશે 
શિયાળાને લઇ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે આગાહી કરતા જણાવ્યું કે, 7 થી 10 ઓક્ટોબરમાં દેશમાં પહેલી હિમ વર્ષા થશે. જેના કારણે તાપમાન ઘટતા ગુજરાતમાં વાદળવાયું આવવાની શક્યતા છે. આ બાદ બીજી હિમ વર્ષા 14 ઓક્ટોબર આવશે. 17-19 ઓક્ટોબરે ભારે હીમવર્ષા ઉત્તરીય પ્રદેશોમાં થશે. જેના કારણે રાજસ્થાનના ગુજરાત સાથે સંલગ્ન ભાગોમાં વરસાદ થશે. 

નવરાત્રિમાં વરસાદની આગાહી વિશે અંબાલાલ પટેલે કહ્યું કે, 17 ઓક્ટોબરે નવરાત્રિમાં ગુજરાતમાં વરસાદ ત્રાટકશે. ઉત્તર અને મધ્ય ગુજરાતનાં ભાગોમાં વરસાદની શક્યતા છે. 18-19 ઓક્ટોબરે ગુજરાતમાં વરસાદ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા છે. 13-14-15 ઓક્ટોબરે ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહેશે. ગુજરાતમાં વરસાદની આગાહી કરતા તેમણે જણાવ્યું કે, 12 ઓક્ટોબરે આરબ સાગરમાં હાઇપ્રેશર બનશે. 20 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમા ચક્રવાતની શક્યતા છે. પૂર્વીય દેશો તરફથી આવતા ચક્રવાતના આવશેષ રૂપે બંગળાની ખાડીમાં હલચલ રહેશે. 16-24 નવેમ્બરમાં પણ બંગાળના ઉપસાગરમા ચક્રવાતની શક્યતા છે. 

આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ છે કે, આસામના આ સૂકા અને ઠંડા પવનો ભટકાઇ પડે છે. જેના કારણે ખબર લઇ નાંખે તેવા ચક્રવાત થશે. જેના કારણે આ વરસાદ મોસમી પવનોથી થાય છે. 10 તારીખ પછી હવે જે ચક્રવાત થશે તે બંગાળ ઉપસાગરમાં ખબર લઇ નાંખે તેવા હશે. વાવાઝોડું ઉલટાતું જશે તેમ તેમ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનતા જશે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, દક્ષિણ ચીન તરફ એક સાયક્લોન બન્યું છે જે તાઇવાનના ભાગથી બંગાળના ઉપસાગરમાં આવશે. જેના કારણે આ સિસ્ટમ ફરી બંગાળના ઉપસાગરમાં ફરી હલચલ મચાવી શકે છે. જેથી 10મી ઓક્ટોબરની આસપાસ બંગાળના ઉપસાગરમાં ફરી ચક્રવાતનું એંઘાણ છે. આ સાથે અરબ સાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. આ સિસ્ટમ 10થી 12 ઓક્ટોબરમાં ફરી અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય બનીને મજબૂત થઇ શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news