નવલખી બંદર પર 485 મીટરની નવી જેટી બનાવાશે, સ્થાનિક રોજગારીમાં થશે મોટો વધારો

નવલખી બંદર પર 485 મીટરની નવી જેટી નિર્માણ પામશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કાર્ગો પરિવહન માટે મહત્વપૂર્ણ નવલખી બંદરની નવી જેટીના બાંધકામ માટે રૂપિયા 192 કરોડની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. નવલખીની હાલની 8 મિલિયન મેટ્રિક ટન પ્રતિવર્ષની માલ પરિવહન ક્ષમતા બમણી 16 થી 20 મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ થશે. રાજ્ય સરકારને વાર્ષિક રૂ. 50 કરોડની અંદાજીત આવક વૃદ્ધિ મળશે. મીઠા-કોલસા-સિરામીક-ચિનાઈ માટી અને મશીનરી ઉદ્યોગોના માલ પરિવહનમાં સુવિધા મળશે. 
નવલખી બંદર પર 485 મીટરની નવી જેટી બનાવાશે, સ્થાનિક રોજગારીમાં થશે મોટો વધારો

ગાંધીનગર : નવલખી બંદર પર 485 મીટરની નવી જેટી નિર્માણ પામશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કાર્ગો પરિવહન માટે મહત્વપૂર્ણ નવલખી બંદરની નવી જેટીના બાંધકામ માટે રૂપિયા 192 કરોડની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. નવલખીની હાલની 8 મિલિયન મેટ્રિક ટન પ્રતિવર્ષની માલ પરિવહન ક્ષમતા બમણી 16 થી 20 મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ થશે. રાજ્ય સરકારને વાર્ષિક રૂ. 50 કરોડની અંદાજીત આવક વૃદ્ધિ મળશે. મીઠા-કોલસા-સિરામીક-ચિનાઈ માટી અને મશીનરી ઉદ્યોગોના માલ પરિવહનમાં સુવિધા મળશે. 

રાજ્યમાં કાર્ગો પરિવહનના મહત્વપૂર્ણ બંદર એવા નવલખી બંદર ખાતે 485 મીટરની લંબાઈની નવી જેટી રૂ. 192 કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ પામશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ આ નવી જેટીના નિર્માણ માટે કરવામાં આવેલી રૂ.192 કરોડ રૂપિયાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. નવલખી સૌરાષ્ટ્ર ના સાગરકાંઠે આવેલું અને મીઠા, કોલસા તથા સિરામીક, મશીનરી ઉદ્યોગોના માલ-સામાન પરિવહન માટેનું અગત્યનું બંદર છે.

આ બંદરની વર્તમાન માલ-પરિવહન ક્ષમતા 8 મીલિયન મેટ્રીક ટન પ્રતિ વર્ષની છે, તેને ભવિષ્યમાં વધારીને 20 મિલિયન મેટ્રીક ટન પ્રતિવર્ષ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે. ભારત સરકાર દ્વારા આ હેતુસર નવેમ્બર-20માં પર્યાવરણ અને CRZ મંજૂરીઓ પણ રાજ્ય સરકારને મળી ગઇ છે. મુખ્યમંત્રીવિજયભાઇ રૂપાણીએ આ નવલખી બંદર પર 485 મીટરની જેટી નિર્માણના અંદાજિત રૂ. 192 કરોડના કામોની જે મંજૂરી આપી છે તેમાં 100 મીટર લંબાઇ જેટીના કોસ્ટલ કાર્ગો માટે ઉપયોગમાં લેવા મીકેનાઇઝ્ડ સિસ્ટમ સાથેના અંદાજિત રૂ. 108 કરોડના ખર્ચે કામો હાથ ધરવામાં આવશે.

આ સૂચિત 485 મીટરની લંબાઇની જેટીના કામો પૂર્ણ થતાં નવલખી બંદરની માલ પરિવહન ક્ષમતા લગભગ 16 મીલીયન મેટ્રિક ટન પ્રતિવર્ષ થવા પામશે. એટલે કે, આ બંદરની વાર્ષિક માલ પરિવહન ક્ષમતામાં  8 મિલિયન મેટ્રિક ટનનો વધારો થવાનો અંદાજ છે. તદઅનુસાર 2.5 મિલિયન મેટ્રિક ટન પ્રતિવર્ષ મીઠાનો વધુ કાર્ગો, 4.5 મિલિયન મેટ્રિક ટન પ્રતિવર્ષ કોલસાનો વધારાનો કાર્ગો અને 1.0 મિલિયન મેટ્રિક ટન પ્રતિવર્ષ સિરામીક, ચિનાઇ માટી તથા મશીનરી ઉદ્યોગો જેવા અન્ય વધારાના કાર્ગોના માલ પરિવહનનો અંદાજિત વધારો થશે.

આ માલ પરિવહન ક્ષમતામાં થનારા સંભવિત વધારાને પરિણામે રાજ્ય સરકારને પ્રતિવર્ષ લગભગ રૂ. 50 કરોડની વધુ આવક થશે. અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, ભારત સરકારની સાગરમાલા યોજના અન્વયે આ જેટીના કામો માટે રૂ. 41.30 કરોડની સહાય મંજૂર કરવામાં આવેલી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news