આ પિક્ચરમાં દીવો લઈ આરતી કરતા દર્શકો! થિયેટર બહાર ચંપલ કાઢી, સ્ક્રીન પર ચઢાવતા ફૂલ

ન ભુતો...ન ભવિષ્યતિ...એક એવી ફિલ્મ બની જેના જેવી ફિલ્મ ફરી ક્યારેય ન બની શકી. જેને જોવા માટે ગામડેથી શહેર સુધી દોડી આવતા દર્શકો. થિયેટરમાં સર્જાતો હતો મંદિર જેવો માહોલ. સૌ કોઈની આંખો ભીની થઈ જતી અને હાથ જોડીને પુજાપાઠ કરવા લાગતા હતા દર્શકો...બધા થિયેટરોમાં સર્જાતો હતો આવો જ માહોલ...

આ પિક્ચરમાં દીવો લઈ આરતી કરતા દર્શકો! થિયેટર બહાર ચંપલ કાઢી, સ્ક્રીન પર ચઢાવતા ફૂલ

ઝી બ્યૂરો, અમદાવાદઃ આ આર્ટિકલમાં વાત કરીશું એક એવી ફિલ્મની જે જોવાની તો દૂરની વાત છે પણ જેના વિશે આજની પેઢીએ ક્યારેય સાંભળ્યું પણ નહીં હોય. જે તમે આ આર્ટિકલ વાંચી રહ્યાં છો તો તમે પણ આ ફિલ્મ 100 ટકા નહીં જ જોઈ હોય. હાં તમારા વડીલોએ જરૂર આ ફિલ્મ જોઈ હશે. એક એવી ફિલ્મ જે સિનેમાઘરોમાં લગભગ એકથી દોઢ વર્ષ સુધી બ્લોક બસ્ટર હિટ રહી હતી. એજ કારણ છેકે, એક બે સપ્તાહ કે મહિનો-બે મહિના નહીં થિયેટરવાળા લગભગ દોઢથી બે વર્ષ સુધી આ ફિલ્મ પર સારી એવી કમાણી કરતા રહ્યાં હતાં. જ્યાં સુધી તે સિનેમાઘરોમાં હતી ત્યાં સુધી ફિલ્મ ખૂબ જ સારી ચાલી. જોકે, ફિલ્મની કેટલીક એવી વાતો છે જે જાણીને તમે પણ ચોંકી જશો. તમે ક્યારેય આવી ફિલ્મ નહીં જોઈ હોય તેની પણ ગેરંટી છે.

લોકો આ ફિલ્મ જોવા થિયેરની બહાર ચંપ્પલ કાઢીને આવતા હતાંઃ
લોકો દૂર દૂરથી આ ફિલ્મ જોવા માટે શહેરી વિસ્તારોના થિયેટરો સુધી પહોંચતા હતાં. આ ફિલ્મની ટીકિટ લેવા માટે પણ ખુબ પડાપડી થતી હતી. જેને કારણે આ ફિલ્મનું ટિકિટોનું બ્લેક માર્કેટિંગ પણ ભારે થતું હતું. ખાસ કરીને ગામડાઓમાંથી આવતા લોકો ચપ્પલ બહાર ઉતારીને ઉઘાળા પગે થિયેટરોમાં પ્રવેશતા. એટલું જ નહીં લોકો આ ફિલ્મ જોવા માટે 3 કલાક સુધી ખુલ્લા પગે સિનેમાઘરોમાં બેસી રહેતા હતાં. 

દર્શકો દીવો અને થાળી લઈને આવતા અને સિનેમાઘરોમાં આરતી કરતાંઃ
આ ફિલ્મ જોવા માટે દુર દુરથી દર્શકો થિયેટરોમાં આવતા હતા. ફિલ્મનો પ્રભાવ એટલે હતોકે, દર્શકો આ ફિલ્મ જોવા માટે પોતાની સાથે દીવો અને થાળી લઈને આવતા હતા. એટલું નહીં ફિલ્મ જોવા આવેલાં દર્શકો પોતાની પાસે ફૂલો લઈને આવતા અને સ્ક્રીન પર ચઢાવતા હતાં. ખાસ કરીને જ્યારે ફિલ્મના બીજા જ સીનમાં સંતોષી માની આરતી શરૂ થતી, ત્યારે દેશભરમાં જ્યા જ્યા આ ફિલ્મ ચાલતી હતી, ત્યાં તમામ થિયેટરોમાં લોકો ઉભા થઈને પોતાના હાથમાં થાળી અને દીવો લઈને મતાજીની પૂજા-આરતી કરીને પુષ્પ અર્પણ કરતા.

થિયેટરમાં આરતી બહાર થતું હતું પ્રસાદીની વિતરણઃ
દેશભરના સેકડો થિયેટરોમાં આજ સ્થિતિ હતી. લોકો આવતા અને માતાજીની પુજા-આરતી કરવા લાગતા. થિયેટરમાં ઉભા થઈને લોકો તાલી પાડીને માતાજીની આરતી ગાતા. સ્ક્રીન પર કંકુ, ચોખા અને ફૂલ અર્પણ કરતા હતા દર્શકો, એટલું જ નહીં નિયમિત પણે જ્યારે પણ આ ફિલ્મ પુરી થાય ત્યારે નિયમિત પણે થિયેટરની બહાર પ્રસાદીનું વિતરણ કરવામાં આવતું હતું. એટલું જ નહીં થિયેરની બહાર માતાજીના ફોટા અને ફેમના સ્ટોર ખુલી ગયાં. ફિલ્મ સંતોષી માતા પર આધારિત પર હતી. તેથી થિયેટરની બહાર સંતોષી માતાના ફોટો વિતરણ થવા લાગ્યું. સંતોષી માના ફ્રેમવાળા ફોટા સાથે શુક્રવારની ઉપવાસ કથા વેચતા દુકાનદારોની નજીકમાં લાંબી કતાર જોવા મળતી હતી.

ફરી વાર ન ચાલી આ કથાઃ
ફિલ્મ નિર્માતા સતરામ રોહરા નાદાર થયા બાદ ઘણી મુશ્કેલીમાં હતા. ફિલ્મની કમાણીની રકમ પણ ફિલ્મના ડિસ્ટ્રીબ્યુટર કેદારનાથ અગ્રવાલ સુધી પહોંચી નથી. તેના ભાઈઓ પર તમામ પૈસાની ઉચાપત કરવાનો આરોપ હતો. કહેવાય છે કે તેને પણ પાછળથી લકવો થયો હતો. ફિલ્મના હીરો આશિષ કુમાર અને ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર કેદારનાથ અગ્રવાલના પાર્ટનર સંદીપ સેઠી વચ્ચે ફિલ્મની કમાણી અંગે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આશિષે ફિલ્મની વાર્તા પર એક નાટક બનાવ્યું, 'કથા સંતોષી મા'. આ કામ ન કર્યું. પછી ફિલ્મ બનાવી, ‘સોળ શુક્રવાર’. આ પણ ફ્લોપ હતી. વર્ષ 2006માં 'જય સંતોષી મા'ની વાર્તા પર આધારિત આ જ નામની ફિલ્મ રિલીઝ થઈ હતી જેમાં નુસરત ભરૂચા હીરોઈન હતી. આ ફિલ્મ પણ ફ્લોપ રહી હતી.

આ રીતે સંતોષી માતાનો જન્મ થયો હતો:
ફિલ્મ 'જય સંતોષી મા'માં સંતોષી માનું પાત્ર ભજવનાર અનિતા ગુહા રાતોરાત સ્ટાર બની ગઈ હતી. આ પહેલા તેણે ત્રણ ફિલ્મોમાં સીતા મૈયાનો રોલ કર્યો હતો. ફિલ્મ 'આરાધના'માં તે રાજેશ છે.

નિર્માતાનું ફૂંકાયું દેવાયુંઃ
હિન્દી સિનેમાના ઈતિહાસમાં સૌથી મોટી બ્લોકબસ્ટર બની ગયા પછી પણ તેના ડિસ્ટ્રીબ્યુટર કે પ્રોડ્યુસરને કંઈ મળ્યું નથી. ફિલ્મના નિર્માતા સતરામ વોહરાએ પણ પોતાને નાદાર જાહેર કર્યા હતા. 

અભિનેત્રીનો દુ:ખદ અંત:
ફિલ્મ 'જય સંતોષી મા'ની સામાજિક-આર્થિક અસરો પર ઘણા લોકોએ સંશોધન પત્રો લખ્યા છે. ફિલ્મનું દુઃખદ પાસું એ છે કે તેના કલાકારો અને તેને બનાવનારાઓએ ઘણું સહન કરવું પડ્યું. ફિલ્મમાં સંતોષી માતાનું પાત્ર ભજવનાર અનિતા ગુહા ગંભીર પાંડુરોગથી પીડિત હતી. આ કારણે તેનું ઘરની બહાર નીકળવાનું ઓછું થઈ ગયું. તેમના પતિ માણિક દત્તના અકાળ અવસાન પછી, તેમણે 2007 માં આ દુનિયા છોડી દીધી, ખૂબ જ ગુમનામ જીવન જીવી. ફિલ્મ હિટ થયા પછી અનિતા ગુહાએ ગમે તે કર્યું, પરંતુ તેમના પતિ માણિક ક્યારેય ખુશ નહોતા. એવું કહેવાય છે કે માણિકે ઘણા દુઃખી દિવસો પસાર કર્યા હતા અને અનીતા ગુહાને તેમના મૃત્યુ પછી ઘણો પસ્તાવો થયો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news