Taarak Mehta Ka Ooltah Chashmah માંથી 14 વર્ષે કહ્યું અલવિદા, હીટ કરવામાં હતો મોટો હાથ

Taarak Mehta Ka Ooltah Chashmah News: તારક મહેતા કા ઉલટા ચશ્મા શોના દર્શકો માટે વધુ ખરાબ સમાચાર છે. શોના ડાયરેક્ટર રાજદાએ પણ તેમાંથી વિદાય લઇ લીધી છે. તો બીજી તરફ વધુ એક અભિનેત્રીનું જવું પાક્કુ માનવામાં  આવી રહ્યું છે. 

Taarak Mehta Ka Ooltah Chashmah માંથી 14 વર્ષે કહ્યું અલવિદા, હીટ કરવામાં હતો મોટો હાથ

Taarak Mehta Ka Ooltah Chashmah Malav Rajda Quit: વર્ષની શરૂઆતમાં જ તારક મહેતાના ઉલટા ચશ્મા શોના દર્શકોને વધુ એક ખરાબ સમાચાર સાંભળવા પડી રહ્યા છે. અત્યાર સુધી ઘણા કલાકારોએ શો છોડી દીધો છે અને હવે સમાચાર છે કે અન્ય એક વ્યક્તિએ શો છોડી દીધો છે. શોના નિર્દેશક માલવ રાજડાએ તેને અલવિદા કહી દીધું છે. તે છેલ્લા 14 વર્ષથી આ શોનો ભાગ હતા અને તેને ઉંચાઈ પર લઈ જવામાં પણ તેનો ખાસ હાથ હતો. પરંતુ હવે તે આ શોનું નિર્દેશન નહીં કરે. તે જ સમયે, એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે તેમના ગયા બા આ અભિનેત્રીનું પત્તું પણ શોમાંથી કપાઈ શકે છે.

શા માટે છોડ્યો શો 
જે કારણ માલવ રાજદાએ શો છોડવાનું કારણ બતાવ્યું છે તેના અનુસાર તેમને લાગ્યું હતું કે તે કમ્ફર્ટ ઝોનમાં જતા રહ્યા હતા. જેના લીધે તે ક્રિએટિવ રૂપથી આગળ વધી શકતા ન હતા એટલા માટે હવે તેમણે આ આરામદાયક માહોલમાંથી બહાર નિકળીને કંઇક કરવાનો નિર્ણય લીધો છે. સમાચાર એ પણ છે કે માલવ રાજદા અને પ્રોડક્શન હાઉસ વચ્ચે કેટલાક મતભેદોના કારણે તેમને શોને છોડવાનો નિર્ણય લીધો છે. પરંતુ જ્યારે ડાયરેક્ટરને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે તેની સ્પષ્ટ ના પાડી દીધી. 

શું પ્રિયા આહૂજા પણ છોડી દેશે શો? 
હવે સવાલ એ છે કે શું લાવ રાજદા બાદ પ્રિયા આહૂજા પણ શોને અલવિદા કહી દેશે. તે માલવની પત્ની છે અને વર્ષો સુધી તારક મહેતા કા ઉલટા ચશ્મામાં રીટા રિપોર્ટરનો રોલ ભજવતી હતી. હવે લાગી રહ્યું છે કે જો માલવ શોમાં રહેશે નહી તો બની શકે કે પ્રિયા પણ શોને અલવિદા કહી શકે છે. આમ તો અત્યાર સુધી ઘણા કલાકાર શોને છોડી ચૂક્યા છે. ગત વર્ષે શૈલેશ લોઢા અને રાજ અનડકટ પણ શોને અલવિદા કહી ચૂક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news