'Munna bhai 3' મામલે Sanjay Duttનો મોટો ખુલાસો, કહ્યું કે...

'મુન્ના ભાઈ 3' (Munna Bhai 3)નું ડિરેક્શન રાજુ હિરાની (Rajkumar Hirani) કરવાના હતા

'Munna bhai 3' મામલે Sanjay Duttનો મોટો ખુલાસો, કહ્યું કે...

મુંબઈ : બોલિવૂડ એક્ટર સંજય દત્ત (Sanjay Dutt) પોતાની આગામી ફિલ્મ મુન્નાભાઈ 3 (Munna Bhai 3)ના મામલે ભારે ચર્ચામાં છે. સંજયના ચાહકો પણ આ ફિલ્મ વિશે ભારે ઉત્સાહી છે. હાલમાં સંજયે આ ફિલ્મ વિશે મોટો ખુલાસો કર્યો છે. ફિલ્મ વિશે સંજય કહ્યું છે કે હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે ફિલ્મનું શૂટિંગ જલ્દી શરૂ થાય. જોકે આ મામલે ડિરેક્ટર રાજકુમાર હિરાની (Rajkumar Hirani) જ જવાબ આપી શકશે. હું પણ આ ફિલ્મનું શૂટિંગ શરૂ થવાની રાહ જોઈ રહ્યો છું. 

'મુન્ના ભાઈ 3' (Munna Bhai 3)નું ડિરેક્શન રાજુ હિરાની (Rajkumar Hirani) કરવાના હતા પણ એ સમયે તેમના પર યૌન ઉત્પીડનનો આરોપ હતો. હવે જ્યાં સુધી રાજકુમાર હિરાનીને ક્લિનચીટ નહીં મળે ત્યાં સુધી ફિલ્મનું શૂટિંગ શરૂ નહીં થાય. સંજય દત્તે (Sanjay Dutt) હાલમાં તેની પ્રોડ્યુસ કરેલી ફિલ્મ 'બાબા'ના ટ્રેલર લોન્ચ વખતે મુન્નાભાઈ 3 વિશે વાત કરી હતી અને આ સમયે તેની સાથે માન્યતા દત્ત પણ હતી. 

ફિલ્મ 'બાબા'ની વાત કરીએ તો આ ફિલ્મમાં દીપક ડોબરિયાલ, નંદિતા પાટકર, આર્યન મેંઘજી, ચિતરંજન ગિરી, સ્પૃહા જોશી અને અભિજીત ખાંડકેકર પણ જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ સંજય દત્તે કર્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news