Ramayana: આજકાલ કયા છે રામાયણના લવ-કુશ, 35 વર્ષમાં થઈ ચુકી છે કાયાપલટ

Ramayana Luv Kush: રામાનંદ સાગરની રામાયણ (Ramayana)ટેલીવિઝનના સૌથી ચર્ચિત શોમાંથી એક છે અને તેને લોકોએ ખુબ પસંદ કરી હતી. આ શોમાં લવ-કુશની ભૂમિકામાં જોવા મળેલા બાળકો આજે મોટા થઈ ચુક્યા છે અને તેની કાયાપલટ થઈ ચૂકી છે. 

Ramayana: આજકાલ કયા છે રામાયણના લવ-કુશ, 35 વર્ષમાં થઈ ચુકી છે કાયાપલટ

નવી દિલ્હીઃ 90s Popular Actors: 90 દાયકાના પોપ્યુલર ટીવી શોની વાત હોય તો રામાયણનું નામ આવે છે. આ શોની ચર્ચા હજુ પણ થાય છે અને તેના પાત્રોને પણ લોકો યાદ કરે છે. રામાયણના બે મહત્વપૂર્ણ પાત્ર રહેલા લવ-કુશ (Luv-Kush)અને રામાનંદ સાગરની રામાયણમાં આ પાત્ર ભજવ્યું હતું સ્વપ્નિલ જોશી (કુશ) અને મયૂરેશ ક્ષેત્રમાડે (લવ) એ. પરંતુ તે વાતને 35 વર્ષ થઈ ગયા છે. આ 35 વર્ષમાં બંનેનો લુક બદલાય ગયો છે. એટલું જ નહીં જ્યાં સ્વપ્નિલ જોશી આજે પણ એક્ટિંગ ફીલ્ડમાં સક્રિય છે તો મયૂરેશ ક્ષેત્રમાડે એક્ટિંગની દુનિયા છોડી ચૂક્યા છે. 

સ્વપ્નિલ જોશીએ પસંદ કર્યો એક્ટિંગનો માર્ગ
રામાનંદ સાગરની રામાયણમાં કુશ બનેલા સ્વપ્નિલે મોટા થઈને પણ એક્ટિંગમાં કરિયર બનાવ્યું. રામાયણ બાદ તે શ્રી કૃષ્ણા શોમાં કૃષ્ણ બન્યો અને આ પાત્રને પણ લોકોનો પ્રેમ મળ્યો હતો. સમયની સાથે સ્વપ્નિલનો લુક ખુબ બદલી ગયો છે પરંતુ તેને આજે પણ લોકો પસંદ કરે છે. ખાસ વાત છે કે સ્વપ્નિલે માત્ર ટીવી નહીં પરંતુ મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. થોડા સમય પહેલા તે કોમેડી સર્કસમાં કોમેડી કરતો જોવા મળ્યો હતો.

fallback

તો વાત કરીએ લવનું પાત્ર ભજવનાર મયૂરેશ ક્ષેત્રમાડેની. તો રામાયણ બાદ મયૂરેશે એક્ટિંગથી અંતર બનાવી લીધુ અને અભ્યાસમાં ધ્યાન આપ્યું હતું. આ કારણ તે આજે વિદેશમાં મોટી કંપનીમાં સીઈઓ પદ પર તૈનાત છે. પરંતુ કલા સાથે તેનો સંબંધ તૂટ્યો નથી. પરંતુ તે લેખન સાથે આજે પણ જોડાયેલો છે અને રાઇટિંગ કરે છે. તેણે 'સ્પાઇટ એન્ડ ડેવલોપમેન્ટ' નામથી એક પુસ્તક પણ લખ્યું છે. તેને લાઇમલાઇટમાં રહેવાનું પસંદ નથી. 

fallback

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news