આ નિર્દેશકે કર્યો ખુલાસો #MeToo ના આરોપ બાદ 4 રાત સૂઇ શક્યા ન હતા સુશાંત સિંહ

હવે સુશાંતના શરૂઆતી સિરિયલ 'પરિવત્ર રિશ્તા'ના ડાયરેક્ટર કુશલ જાવેરી (Kushal Zaveri) એ એક એવી જ પોસ્ટ લખીને હંગામો મચ્યો છે.  

આ નિર્દેશકે કર્યો ખુલાસો #MeToo ના આરોપ બાદ 4 રાત સૂઇ શક્યા ન હતા સુશાંત સિંહ

નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નો કોયડો ઉલેકવાનું કામ હવે સીબીઆઇ પાસે છે. અહવે અભિનેતાના ફેન્સને તપાસ આગળ વધવાની સાથે જ ન્યાય મળવાની આશા વધી ગઇ છે. પરંતુ તપાસ સાથે-સાથે સોશિયલ મીડિયા પર સુશાંતના કેટલાક અંગત લોકો તેમના સંબંધિત કેટલીક એવી વાતોનો ખુલાસો કરી રહ્યા છે જે આશ્વર્યજનક છે. હવે સુશાંતના શરૂઆતી સિરિયલ 'પરિવત્ર રિશ્તા'ના ડાયરેક્ટર કુશલ જાવેરી (Kushal Zaveri) એ એક એવી જ પોસ્ટ લખીને હંગામો મચ્યો છે.  

કિશલ અને સુશાંત વચ્ચે પ્રોફેશનલ સંબંધ સાથે એક મિત્રતાનો સંબંધ પણ રહ્યો છે. 'પવિત્ર રિશ્તા'ના નિર્દેશ કુશલ જવેરીએ જણાવ્યું કે #MeToo ના આરોપ બાદ સુશાંતના દિલની સ્થિતિ કેવી હતી. 

તમને જણાવી દઇએ કે આ વાત તે સમયની છે જ્યારે વર્ષ 2018માં સુશાંત સિંહ રાજપૂત ફિલ્મ 'દિલ બેચારા'ના શૂટિંગમાં વ્યસ્ત હતા. આ ફિલ્મની કો-સ્ટાર સંજના સાંઘી હતી. જ્યારે  #MeToo ની આંધી આવી તો ખબર ઉડી કે સુશાંતએ સંજના સાથે ખોટો વ્યવહાર કર્યો છે. આ સમાચાર ઝડપથી ફેલાઇ ગયા, જેમાં ખૂબ દુખી અને તણાવમાં હતા. 

A post shared by Kushal Zaveri (@kushalz) on

કુશલ પોતાના ઇંસ્ટાગ્રામ વોલ પર એક પોસ્ટમાં તેના વિશે ખુલાસો કર્યો છે. કુશલ જવેરીએ લખ્યું છે, 'હું સુશાંત સાથે જુલાઇ 2018થી ફેબ્રુઆરી 2019 સુધી રહ્યો. મેં તેમને ઓક્ટોબર 2018માં #MeToo દરમિયાન સૌથી તકલીફમાં જોયા. ઇલેક્ટ્રોનિક મીડિયા કોઇ પુરાવા વિના તેમને ટાર્ગેટ બનાવી રહ્યું હતું. અમે સંજના સાંઘીના સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ત્યારે તે યૂએસમાં હતી અને વાત થઇ ન શકી. 

આગળ કુશલ લખે છે કે 'સુશાંતને આ વાતનો અંદાજ હતો કે તેમણે કોણ ટાર્ગેટ કરી રહ્યો છે, પરંતુ આ વાતનો ખુલાસો કરવા માટે તેમની પાસે પુરાવા નથી. મને યાદ છે કે કેવી રીતે સુશાંત ચાર રાત સુધી સુઇ શક્યા નહી કારણ કે તે સંજનાના આરોપોને નકારી કાઢવાની રાહ જોઇ રહ્યા હતા. આખરે પાંચમા દિવસે બધી વાતો સ્પષ્ટ કરી દીધી. આ એક કઠીન જીત લાગી રહી હતી જેમ કે લડાઇ ખતમ થઇ ગઇ હોય. 

તમને જણાવી દઇએ કે સંજનાએ સમાચારોને પાયા વિહાણો ગણાવ્યા હતા. સંજનાએ થોડા દિવસો પછી એક પોસ્ટમાં પોતાની સ્પષ્ટતા રાખી હતી. તેમણે લખ્યું હતું કે 'હું સ્પષ્ટ કરવા માંગુ છું કે દિલ બેચારા સેટ પર મારી સાથે ગેરવર્તણૂક અને સેક્સુઅલ હેરેસમેન્ટ જેવી ઘટના થઇ નથી. તે આધારહીન સમાચારો પર હવે વિરામ લગાવે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news