શાસનના પાંચમા વર્ષે પ્રવેશમાં CM રૂપાણીએ ભાડભૂત યોજનાનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી વિજય રૂપાણીના સફળ શાસનના ચાર વર્ષ પૂરા થયા છે, અને પાંચમા વર્ષમાં પ્રવેશ થયો છે. ત્યારે આ પ્રસંગે ગુજરાતમાં 5300 કરોડની બહુહેતુક ભાડભૂત યોજનાનો પ્રારંભ કરાવાયો છે. ભરૂચના ભાડભૂત ખાતે રૂપિયા 5300 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભાડભૂત બેરેજ યોજનાના કાર્યનું ખાતમુર્હત કરાયું છે. ગાંધીનગર ખાતેથી સીએમ વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સમાં માધ્યમથી ઈ ખાતર્મુહૂત કર્યું હતું. રાજ્યના સહકાર પ્રધાન ઇશ્વરસિંહ પટેલની હાજરીમાં ભાડભુત ખાતે કાર્યક્રમ યોજાયો હતો. 
શાસનના પાંચમા વર્ષે પ્રવેશમાં CM રૂપાણીએ ભાડભૂત યોજનાનો પ્રારંભ કરાવ્યો

ઝી મીડિયા/બ્યૂરો :મુખ્યમંત્રી વિજય રૂપાણીના સફળ શાસનના ચાર વર્ષ પૂરા થયા છે, અને પાંચમા વર્ષમાં પ્રવેશ થયો છે. ત્યારે આ પ્રસંગે ગુજરાતમાં 5300 કરોડની બહુહેતુક ભાડભૂત યોજનાનો પ્રારંભ કરાવાયો છે. ભરૂચના ભાડભૂત ખાતે રૂપિયા 5300 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભાડભૂત બેરેજ યોજનાના કાર્યનું ખાતમુર્હત કરાયું છે. ગાંધીનગર ખાતેથી સીએમ વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સમાં માધ્યમથી ઈ ખાતર્મુહૂત કર્યું હતું. રાજ્યના સહકાર પ્રધાન ઇશ્વરસિંહ પટેલની હાજરીમાં ભાડભુત ખાતે કાર્યક્રમ યોજાયો હતો. 

વાઈબ્રન્ટ ગુજરાત 2021ના આયોજનને લઈને CM રૂપાણીનું મહત્વનું નિવેદન 

જળ આત્મનિર્ભર અને વોટર સરપ્લસ સ્ટેટ માટે આધુનિક તકનીક સાથે આ યોજના વર્લ્ડ ક્લાસ આઇકોનિક પ્રોજેક્ટ તરીકે ગુજરાતને વિશ્વના વોટર પ્રોજેક્ટ નકશે પ્રસ્થાપિત કરશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, નર્મદાના કિનારે વસેલા ભરૂચ અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં આ ભાડભૂત યોજના મીઠા પાણી પહોચાડવા સાથે ખારાશ આગળ વધતી અટકાવવા અને સિંચાઇ તેમજ ઉદ્યોગોને પણ પૂરતું પાણી આપવામાં ઉપકારક બનવાની છે. 

મુખ્યમંત્રીએ આ યોજનાના ટેન્ડરમાં ફૂલ પ્રૂફ પારદર્શિતા સાથે બધી જ ટેકનિકલ બાબતોની સર્વગ્રાહી ચકાસણી કરીને મંજુર કરવામાં આવ્યા છે. આ અંગેની માહિતી આપતા તેઓએ કહ્યું કે, 21 હજાર  એમ.સી.એફ.ટી પાણી આ યોજનાથી મળતું થશે અને હજીરા દહેજ વચ્ચે 6 લેન બ્રિજ બનતા 18 કિલોમીટર અંતર ઘટશે. એટલું જ નહિ, ફીશિંગની પણ અલગ ચેનલ ઊભી થતાં  માછીમારીને પણ વેગ મળશે. આ ઉપરાંત ભરૂચ વિસ્તારની પાણીની લાંબા સમયની સમસ્યાનો સુખદ નિવેડો આ યોજનાથી આવે તે માટે કલ્પસર વિભાગ સમયબદ્ધ રીતે આગળ વધીને આ યોજના વેળાએ પૂર્ણ કરશે. 

તો બીજી તરફ, ભાડભૂત બેરેજ યોજનાનો ભરૂચમાં વિરોધ થયો હતો. માછીમારી સમાજ દ્વારા નર્મદા નદીમાં બોટો લઇ કાળા વાવટા ફરકાવી યોજનાનો વિરોધ કરાયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news