અર્જુન અને મલાઇકાના લગ્નની તારીખ નક્કી !

મીડિયા રિપોર્ટસમાં આ તારીખો જાહેર થઈ છે

અર્જુન અને મલાઇકાના લગ્નની તારીખ નક્કી !

નવી દિલ્હી : બોલિવૂડના સૌથી ચર્ચિત લવબર્ડસ અર્જુન કપૂર અને મલાઇકા અરોરા ખાન ફરીવાર ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ બંને એપ્રિલ મહિનામાં લગ્ન કરી લેવાના છે. છેલ્લા કેટલાક સમયથી બંને સત્તાવાર રીતે જાહેરમાં દેખાય છે પણ પોતાની રિલેશનશીપ વિશે જાહેરમાં કંઈપણ કહેવાનું ટાળે છે. 

રિપોર્ટ પ્રમાણે 19 એપ્રિલના દિવસે બંને ચર્ચ વેડિંગ કરશે. આ લગ્નમાં પરિવાર સિવાય નજીકના મિત્રો શામેલ થશે. અનુપમા ચોપડાના ચેટ શોમાં મલાઇકાએ કહ્યું હતું કે તેના લગ્નમાં અર્જુનના નજીકના મિત્રો રણવીર અને દીપિકા સિવાય તેની ગર્લ ગેંગ પણ શામેલ થશે. પોતાની રિલેશનશીપ વિશે વાત કરતા મલાઇકાએ કહ્યું હતું કે જો તમને જીવનમાં આગળ વધવાનો એક ચાન્સ મળે તો તમારાથી વધારે લકી કોઈ નથી. 

મલાઇકાની ગણતરી બોલિવૂડની બોલ્ડ અને બ્યુટીફુલ સેલિબ્રિટીમાં થાય છે. 2017માં મલાઇકાએ અરબાઝ સાથેના 18 વર્ષના લગ્નજીવન પછી ડિવોર્સ લેવાનો નિર્ણય લીધો હતો. મલાઇકાએ એક રેડિયો શોમાં હોસ્ટ કરીનાને જણાવ્યું હતું કે ડિવોર્સ પહેલાં લોકોએ અનેક રીતે મને રિલેશનશીપ બચાવવાની સલાહ આપી હતી પણ મેં મારી ઇચ્છાને માન આપીને ડિવોર્સ લેવાનું પસંદ કર્યું હતું. હવે હું જીવનમાં નવી શરૂઆત કરવા માટે તૈયાર છું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news