ત્રેતાયુગ સાથે શું છે ડાન્સનું કનેક્શન? જાણો કેમ ક્યારેય બીમાર નથી પડતા ડાન્સર

International Dance Day 2024: 29 એપ્રિલના રોજ વિશ્વભરમાં ઈન્ટરનેશનલ ડાન્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે. કેમ આ દિવસે જ મનાવાય છે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ? જાણવા જેવો છે તેનો ઈતિહાસ. સાથે જ ડાન્સ કરવાથી થતા ફાયદા વિશે પણ જાણો...

ત્રેતાયુગ સાથે શું છે ડાન્સનું કનેક્શન? જાણો કેમ ક્યારેય બીમાર નથી પડતા ડાન્સર

International Dance Day 2024: આજે આંતરરાષ્ટ્રીય ડાન્સ દિવસ. કેમ 29 એપ્રિલે મનાવાય છે ડાન્સ ડે? શું છે ત્રેતાયુગ સાથે ડાન્સનું કનેક્શન? ડાન્સ કરવાથી શું ખરેખર કોઈ લાભ થાય છે? આવા અનેક સવાલોના જવાબો તમને આ આર્ટિકલમાં મળશે. શારીરિક અને માનસિક વિકાસ માટે નૃત્ય ખૂબ જ ફાયદાકારક છે. તે આપણા મૂડને સુધારવામાં મદદ કરે છે. ડોકટરો પણ ડાન્સ કરવાની સલાહ આપે છે.

ડાન્સ કોને પસંદ નથી, ઘણીવાર લોકો કોઈ પણ પ્રસંગ કે પાર્ટીમાં ડાન્સ કરે છે. પણ શું તમે જાણો છો કે જો તમે રોજ 30 મિનિટ ડાન્સ કરો છો તો તમને કેટલા ફાયદા થઈ શકે છે. મસલ્સ મજબૂત કરવા માટે જરૂરી નથી કે તમે જિમ જાવ, જો તમે ઇચ્છો તો ઘરે દરરોજ અડધો કલાક ડાન્સ કરીને મસલ્સને મજબૂત બનાવી શકો છો.
નૃત્યની શરૂઆત ક્યારથી થઇ? એવું કહેવાય છેકે, ડાન્સ એ મનોરંજનનું એક જબરદસ્ત માધ્યમ છે. એવું પણ કહેવાય છેકે, જે લોકો નિયમિત ડાન્સ કરતા હોય છે તેઓ ક્યારેય બીમાર નથી પડતાં. ખુદ ડોક્ટર્સ પણ લોકોને ડાન્સ કરવાની સલાહ આપતા હોય છે. કારણકે, ડાન્સથી તન અને મન બન્ને તંદુરસ્ત રહે છે.

ડાન્સને લઈને ઘણાં સંશોધનો થયાં છે. વિશ્વના તમામ દેશોમાં નૃત્યના વિવિધ તહેવારો પણ ઉજવવામાં આવે છે. મોટેભાગે, નૃત્યને આનંદના પ્રસંગ તરીકે પસંદ કરવામાં આવે છે. ખુશીના પ્રસંગે પોતાની ખુશી વ્યક્ત કરવા માટે કરવામાં આવેલું નૃત્ય સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. આ વિશે માહિતી હોવી જોઈએ. દુનિયાના મોટાભાગના લોકો સ્થૂળતાનો શિકાર બની રહ્યા છે. જો સ્થૂળતા ઘટાડવાની વાત આવે તો મોટાભાગના આરોગ્ય નિષ્ણાતો આજકાલ ડાન્સ કરવાનું કહે છે. ઝુમ્બા, એરોબિક જેવી કસરતો આજકાલ સૌથી વધુ ટ્રેન્ડમાં છે. ડાન્સ કરવાથી ફેટ બર્ન થાય છે સાથે સાથે શરીર લચીલું બને છે. નર્તકોનું માનસિક સ્વાસ્થ્ય હંમેશા સારું રહે છે

ઈન્ટરનેશનલ ડાન્સ ડે નો ઈતિહાસઃ
યુનેસ્કોની ઈન્ટરનેશનલ થિયેટર ઈન્સ્ટિટ્યૂટની ઈન્ટરનેશનલ ડાન્સ કમિટીએ 29 એપ્રિલ 1982ના રોજ મહાન નૃત્યાંગના જીન-જ્યોર્જ નાવારેના જન્મદિવસે આ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. ત્યારથી દર વર્ષે આ દિવસ સમગ્ર વિશ્વમાં ડાન્સ ડે  ધામધૂમથી ઉજવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, નવેરા એક ફ્રેન્ચ બેલે ડાન્સર હતી જેણે 'લેટર્સ ઓન ધ ડાન્સ' નામથી ડાન્સ પર એક પુસ્તક લખ્યું હતું જેમાં ડાન્સ આર્ટ સાથે જોડાયેલી દરેક સ્ટેપને ખૂબજ ઝીણવટ પૂર્વક ઉલ્લેખવામાં આવ્યાં છે. 

ડાન્સથી કયા-કયા ફાયદા થાય છે?
ડાન્સ કરતા લોકોનું મગજ વધુ સક્રિય રીતે કામ કરે છે. 
ડાન્સ કરનારા લોકોના મગજનો રિએક્શન ટાઈમ ઘણો સારો હોય છે. 
ડાન્સર્સમાં વિચારવાની ક્ષમતા ખૂબ સારી હોય છે.
ડાન્સ કરવાથી વેઇટ લોસમાં મદદ મળે છે
ડાન્સ કરવાથી માંસપેશી મજૂબત બને છે.
બોડીમાં ફ્લેક્સિબિલિટી આવી જાય છે
ડાન્સથી 130થી 225 કેલેરી બર્ન થાય છે
ડાન્સ કરવાથી સ્ટેમિન પણ વધે છે
ડાન્સ કરવાથી કાર્યક્ષમતામાં થાય છે વધારો
ડાન્સ આપને એનર્જેટિક રાખે છે
ડાન્સ કરવાથી આળસ દૂર થાય છે.
ડાન્સ કરવાથી મૂડ સારો રહે છે
તણાવ ડિપ્રેસન પણ દૂર થાય છે
ડાન્સ તન-મનને પુલકિત કરી દે છે.
નૃત્ય મનને સ્વસ્થ રાખે છે
ડાન્સથી સ્ટ્રેસ દૂર થાય છે
શરીર લચીલું થવાથી હાડકાં મજબૂત બને છે
હૃદય રોગ દૂર રહે છે
ડાન્સ કરવાથી ડાયાબિટીસ દૂર રહે છે
ડાન્સ એનર્જી લેવલ વધારે છે

શું છે ત્રેતાયુગ સાથે ડાન્સનું કનેકશન?
એવું કહેવાય છે કે 2000 વર્ષ પહેલા ત્રેતાયુગમાં દેવતાઓની વિનંતી પર બ્રહ્માજીએ નૃત્યવેદ તૈયાર કર્યો હતો, ત્યારથી જ વિશ્વમાં નૃત્યની ઉત્પત્તિ માનવામાં આવે છે. આ નૃત્યવેદમાં સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ અને ઋગ્વેદની ઘણી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે નૃત્યવેદની રચના પૂર્ણ થઈ ત્યારે ભરતમુનિના સો પુત્રો દ્વારા નૃત્યની પ્રેક્ટિસ કરવામાં આવી હતી. આ વર્ષે ‘નૃત્ય –દુનિયાની સાથે સંવાદ કરવાની રીત’ આ થીમ પર વર્લ્ડ ડાન્સ ડેની ઉજણવી થઇ રહી છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી. કોઈપણ પ્રયોગ કરતા પહેલાં નિષ્ણાતની સલાહ અચુક લેવી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news