જૈકલીન ફર્નાડિસનો ખુલાસો, કહ્યું- 'પોતાની જીંદગીમાં કરી આ સૌથી મોટી ભૂલ'

બોલીવુડ એક્ટ્રેસ જૈકલીન ફર્નાડિસ ભલે લાંબા સમયથી કોઇ ફિલ્મમાં જોવા ન મળી હોય, પરંતુ સતત સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે કનેક્ટ રહે છે. અવાર-નવાર તે પોતાના ફોટા અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કરે છે. આ ક્રમમાં રવિવારે જૈકલીને પોતાના ઇંસ્ટાગ્રામ સ્ટોરી દ્વારા ખુલાસો કર્યો છે કે તેમણે પોતાની જીંદગીમાં સૌથી ભૂલ કઇ કરી. જૈકલીન ફર્નાડિસે જણાવ્યું કે તેમણે પોતાની જીંદગીમાં સૌથી મોટી ભૂલ એ વાતની ચિંત કરવામાં કરી કે લોકો તેમના વિશે શું વિચારશે શું કહેશે. 
જૈકલીન ફર્નાડિસનો ખુલાસો, કહ્યું- 'પોતાની જીંદગીમાં કરી આ સૌથી મોટી ભૂલ'

નવી દિલ્હી: બોલીવુડ એક્ટ્રેસ જૈકલીન ફર્નાડિસ ભલે લાંબા સમયથી કોઇ ફિલ્મમાં જોવા ન મળી હોય, પરંતુ સતત સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે કનેક્ટ રહે છે. અવાર-નવાર તે પોતાના ફોટા અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કરે છે. આ ક્રમમાં રવિવારે જૈકલીને પોતાના ઇંસ્ટાગ્રામ સ્ટોરી દ્વારા ખુલાસો કર્યો છે કે તેમણે પોતાની જીંદગીમાં સૌથી ભૂલ કઇ કરી. જૈકલીન ફર્નાડિસે જણાવ્યું કે તેમણે પોતાની જીંદગીમાં સૌથી મોટી ભૂલ એ વાતની ચિંત કરવામાં કરી કે લોકો તેમના વિશે શું વિચારશે શું કહેશે. 

ઇંસ્ટાગ્રામ સ્ટોરી દ્વારા જણાવી આ વાતો
તેમણે આગળ કહ્યું 'એ વિચારણી તમારા સપનાને મારી નાખે છે. તેમણે કહ્યું કે તમે પોતાના વિશે વિશે વિચારે છે અને પોતાના વિશે શું કહે છે, આ મહત્વ ધરાવે છે. બીજા માટે જીવવાનું છોડી દો.' તાજેતરમાં જ જૈકલીન ફર્નાડિસે કહ્યું કે તે એક સંવેદનશીલ વ્યક્તિ છે અને સોશિયલ મીડિયા પર નકારાત્મક ટિપ્પણીઓ તેમને પ્રભાવિત કરે છે. એક ટીવી શો પર કાર્તિક આર્યનની સાથે જૈકલીને આ વિશે વાત કરી. આ શો પર જૈકલીને કહ્યું ''મને ઇંસ્ટાગ્રામ પર પોતાના ફેન્સને ખૂબ પ્રેમ કરે છે, પરંતુ જો તેમાંથી કોઇ એક કંઇ કહી દે છે તો મને લાગે છે કે તેમણે આમ કેમ કહ્યું?''

જ્યારે શોની મેજબાન નેહા ધૂપિયાએ તેમને પૂછ્યું કે શું આ બધી વસ્તુઓ તેમને પ્રભાવિત કરે છે તો જૈકલીને તેને સ્વિકારતાં કહ્યું ''હું એકદમ સેંસેટિવ છું અને મને ખરાબ લાગે છે. આ બધાથી હું પ્રભાવિત થાવ છું કારણ કે મને એવું મહેસૂસ થાય છે કે તે વ્યક્તિ પર કદાચ મારો નકારાત્મક પ્રભાવ છે, કારણ કે મેં કર્યું છે? જૈકલીન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાની એક્ટિવિટી વિશે પોતાના ફેન્સને અપડેટ કરે છે. જૈકલીનના ઇંસ્ટાગ્રામ પર 2.8 કરોડથી વધુ ફોલોવર્સ છે અને ટ્વિટર પર 1.3 કરોડના ઉપર ફોલોવર્સ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news