કેન્સરને હરાવી મોતને મ્હાત આપી આ હસ્તીઓ બની છે સૌથી મોટું ઉદાહરણ

CANCER: બોલીવુડ અને ખેલજગત સાથે જોડાયેલી એવી પણ કેટલીક હસ્તીઓ છે જેમણે કેન્સરને મ્હાત આપીને જિંદગીમાં જીત હાંસલ કરી છે. જાણીએ તેમના વિશે.

કેન્સરને હરાવી મોતને મ્હાત આપી આ હસ્તીઓ બની છે સૌથી મોટું ઉદાહરણ

CANCER: કેન્સર એટલે કેન્સલ,,, સામાન્ય રીતે એવી માન્યતા દરેક વ્યક્તિના મનમાં હોય છે. જોકે, મેડિકલ સાયન્સ હવે આગળ વધી ચુક્યું છે અને મિરેકલ પણ થાય છે. જોકે, પ્રોપર સમયે પ્રોપર ટ્રીટમેન્ટ મળે તો જ તેમાંથી બહાર નીકળી શકાય છે. વળી કેન્સર નામ સાંભળતાની સાથે જ એવું લાગે કે હવે આપણને યમરાજનો બુલાવો આવી ગયો છે. પણ ખેલજગત અને ફિલ્મ જગત સાથે જોડાયેલી કેટલીક એવી પણ હસ્તીઓ છે જેમણે આવી સ્થિતિમાં પણ કેન્સરને હરાવીને જીવનમાં જીત હાંસલ કરી છે. આ યાદીમાં ક્રિકેટ જગતના શાનદાર ખેલાડી અને બોલીવુડના એકથી એક ચઢિયાતા કલાકારોના નામો સામેલ છે. કેન્સરની બીમારીના લીધે બોલીવુડની અભિનેત્રી પૂનમ પાંડેના મોતની ચર્ચા પણ હાલ વહેતી થઈ હતી, જોકે, તે એક અફવા છે. પૂનમ પાંડે હાલ જીવિત અને સ્વસ્થ છે.

કેન્સર એવો શબ્દ છે જે સાંભળતા જ મન ભારે થઈ જાય છે. પરંતુ ઘણી વખત, તે માત્ર એક રોગ નથી પણ જીતવાની આશા અને સંકલ્પની જ્યોત બની જાય છે. બોલિવૂડના ચમકારાથી લઈને રમતગમતની દુનિયા સુધી, ઘણી ભારતીય હસ્તીઓએ કેન્સર સામે લડત આપી છે અને જીતી છે. આ વાર્તાઓ હિંમત, નિશ્ચય અને જીવન પ્રત્યેના જુસ્સાને પ્રતિબિંબિત કરે છે. ચાલો જાણીએ આવી 5 ભારતીય સેલિબ્રિટી વિશે જેમણે કેન્સરને હરાવ્યું.

મનીષા કોઈરાલા-
બોલિવૂડની આ સુંદર અભિનેત્રી 2012માં અંડાશયના કેન્સરથી પીડિત હતી. તેણીએ અમેરિકામાં સારવાર લીધી અને 2015 માં જાહેરાત કરી કે તે કેન્સર મુક્ત છે. તેણે 'હીલ્ડઃ હાઉ કેન્સર ગેવ મી અ ન્યૂ લાઈફ' નામના પુસ્તકમાં પોતાના અનુભવો શેર કર્યા.

યુવરાજ સિંહ-
ક્રિકેટર યુવરાજ સિંહને 2011માં મેડિયાસ્ટિનલ સેમિનોમા નામના દુર્લભ પ્રકારના કેન્સરનું નિદાન થયું હતું. તેણે અમેરિકામાં સારવાર કરાવી અને 2012માં તે રમતમાં પાછો ફર્યો. તેમણે કેન્સરના દર્દીઓ માટે 'યુવી કેન્સર ફાઉન્ડેશન'ની સ્થાપના કરી.

સોનાલી બેન્દ્રે-
અભિનેત્રી સોનાલી બેન્દ્રેને 2018માં મેટાસ્ટેટિક કેન્સર હોવાનું નિદાન થયું હતું. તેણીએ ન્યુયોર્કમાં સારવાર લીધી અને 2019 માં જાહેરાત કરી કે તે કેન્સરથી મુક્ત છે. તે કેન્સર અવેરનેસ માટે ખુલ્લેઆમ બોલે છે.

સંજય દત્ત-
2020માં સંજય દત્તને ફેફસાંનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. જો કે, બોલિવૂડ વિલન કટોકટીની તબીબી સહાય મેળવ્યા બાદ જીવલેણ રોગમાંથી બચવામાં સફળ રહ્યો હતો.

મહિમા ચૌધરી-
બોલીવુડની જાણીતી અભિનેત્રી અને શાહરુખ ખાન સાથેના પરદેશ મુવીથી દેશ અને દુનિયાભરમાં ફેમસ બનેલી મહિમા ચૌધરી પણ કેન્સરનો શિકાર બની હતી. જોકે, તેણે પણ પોતાના વિલ પાવર અને યોગ્ય ટ્રીટમેન્ટને કારણે આ મહાવ્યાધીને મ્હાત આપી.

અનુરાગ બાસુ-
2004 માં ગેંગસ્ટર માટે શૂટિંગ કરતી વખતે, પ્રખ્યાત બોલિવૂડ ફિલ્મ નિર્માતા અનુરાગ બાસુને એક્યુટ પ્રોમીલોસાયટીક લ્યુકેમિયા (બ્લડ કેન્સરનો એક પ્રકાર) હોવાનું નિદાન થયું હતું. તે હવે આમાંથી સ્વસ્થ થઈ ગયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news