મેરિડ મહેમુદની ક્લોઝ આવવા લાગી હતી આ અભિનેત્રી, સંબંધોએ બગાડ્યું કરિયર

Bollywood: તેમણે કહ્યું, હું શું કહું… તે એટલો મદદગાર હતો. મારી દુનિયા બદલાઈ ગઈ હતી, મને કામ મળવા લાગ્યું હતું. તેમના કારણે મારું ઘર સંભાળ્યું હતું. મને લાગતું હતું કે, તેઓ ભગવાને મોકલેલા માણસ છે. તો એક ઈમોશન.

મેરિડ મહેમુદની ક્લોઝ આવવા લાગી હતી આ અભિનેત્રી, સંબંધોએ બગાડ્યું કરિયર

Aruna Mehmood Relation: બોલીવુડની લેજન્ડ એક્ટ્રેસ અરુણા ઈરાનીએ 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. અને તે 80-90ના દશકમાં આવેલી મોટી ફિલ્મોનો ભાગ રહી ચૂકી છે. અત્યાર સુધીની સૌથી મોટી બહુમુખી બોલીવુડ એક્ટ્રેસમાંથી એક છે. હાલમાં જ અરુણા ઈરાનીએ એએનઆઈ પોડકાસ્ટમાં પોતાના શરૂઆતી અભિનયના દિવસ અને અત્યાર સુધીની સફરને યાદ કરી. જેમાં તેમને પોતાના જીવનના ઘણા વ્યક્તિગત પહેલું વિશે જણાવ્યું હતું. 

ખૂબ સારા લાઈફ પાર્ટનર બને છે આ અક્ષરના છોકરાઓ, તમારા પાર્ટનરનો પ્રથમ અક્ષર કયો છે?
Monthly Horoscope: મે મહિનો આ રાશીઓ માટે રહેશે અતિ લાભદાયી, આ લોકોની કિસ્મત ખૂલી જશે
ખૂબસુરત છોકરીઓના આ ગુપ્ત ભાગો પર તલ કરે છે આ ઈશારાઓ, આ છોકરીઓ પતિ માટે હોય છે લકી
Vastu Tips: ઘરના દરવાજે લગાવેલી આ વસ્તુઓ નસીબના દ્વાર ખોલશે, ઘરમાં વધશે સુખ સમૃદ્ધિ
પૂર્વ જન્મની માન્યતા શું છે? યાદ ન રહેવા પાછળ છે ધાર્મિક-વૈજ્ઞાનિક કારણો

મહમૂદની ઘણી નજીક હતીઃ
જ્યારે મેહમૂદની કારકિર્દીમાં તેની ભૂમિકા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે અરુણા ઈરાનીએ તેની પ્રશંસા કરી અને કહ્યું કે, તેણે તેને બોલીવુડમાં કારકિર્દી બનાવવામાં ઘણી મદદ કરી હતી. પરંતુ તેણે કહ્યું કે, મેહમૂદ પણ કોઈક કારણ તેને બે વર્ષથી કામ ન મળવાનું કારણ બન્યો. અરુણાએ કહ્યું, હું તેમના માટે મિત્ર કરતાં વધુ હતી. જ્યારે હું ઈન્ડસ્ટ્રીમાં આવી હતી ત્યારે મને કોઈ કામ નહોતું આપતું. જ્યારે મેં મહેમૂદ સાહેબ સાથે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમણે મને કામ અપાવવાનું શરૂ કર્યું.

મહમૂદે જ બનાવ્યું અને બગાડ્યું કરિયરઃ
તેમણે કહ્યું, હું શું કહું… તે એટલો મદદગાર હતો. મારી દુનિયા બદલાઈ ગઈ હતી, મને કામ મળવા લાગ્યું હતું. તેમના કારણે મારું ઘર સંભાળ્યું હતું. મને લાગતું હતું કે, તેઓ ભગવાને મોકલેલા માણસ છે. તો એક ઈમોશન. થતાં થતાં ક્યારે પસંદ બની ગઈ. હું જાણું છું કે, તે પરિણીત માણસ હતો. લગ્ન નહોતા કરવાના તેથી અમે બહુ આગળ નહોતા વધ્યા. પરંતુ અમે મિત્રો કરતાં વધુ હતા. તેથી, તેણે મારું કરિયર બનાવ્યું. 

અરુણા ઈરાનીએ કહ્યું કે, જ્યારે મારી ફિલ્મ બોમ્બે ટુ ગોવા બની હતી, ત્યારે તેણે મને તેમાં પણ મદદ કરી હતી. બધું બરાબર હતું પણ હાલ તે પિક્ચર રિલીઝ થયું અને અફવા ફેલાઈ કે, મેં મેહમૂદ સાથે લગ્ન કરી લીધાં છે. મને કોઈ પૂછવા પણ ન આવ્યું. તે એક સ્ટાર અને પરિણીત માણસ હતો તેથી સ્વાભાવિક રીતે લોકો તેને પહેલા પૂછતાં હતા કે, સાંભળ્યું છે કે, તમે લગ્ન કર્યા છે. તેથી તે ફક્ત સંકેતો જ આપતા હતા. મતલબ, તે હા કહેતો, ના કહેતો. જેણે મારી કારકિર્દી બરબાદ કરી નાખી. કારણ કે, જો મહેમૂદ સાહેબ સાથે લગ્ન કર્યા છે, તો મહેમૂદ સાહબ તેને હવે કામ કરવા દેશે નહીં. તેણે મારી કારકિર્દી કેવી રીતે બનાવી અને બરબાદ કરી. તેને લાગ્યું કે, આ હીરોઈન બની જશે તો હું એકલો રહી જઈશ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news