Anupamaa ને મરવા માટે છોડી ગયા ડો. અદ્વૈત? સોશિયલ મીડિયા પર 'શો'ને કહ્યું અલવિદા

અનુપમા (Anupamaa) સીરિયલમાં આ દિવસોમાં ચર્ચામાં આવનાર ડો. અદ્વૈતે શો છોડી દીધો છે. તેમણે આ વાતની જાણકારી ઇન્સ્ટાગ્રામ પર આપી છે. 
 

Anupamaa ને મરવા માટે છોડી ગયા ડો. અદ્વૈત? સોશિયલ મીડિયા પર 'શો'ને કહ્યું અલવિદા

નવી દિલ્હીઃ ટીવી જગતના બહુચર્ચિત શો અનુપમા  (Anupamaa) માં આ દિવસોમાં જબરદસ્ત ટ્વિસ્ટ જોવા મળી રહ્યાં છે. અનુપમા હોસ્પિટલમાં દાખલ છે અને તે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. આ વચ્ચે ડો. અદ્વૈતે શોને અલવિદા કહી દીધુ છે. આ વાતની જાણકારી તેમણે સોશિયલ મીડિયા પર આવી છે. 

ડો. અદ્વૈતે છોડ્યો શો
અનુપમા  (Anupamaa) માં જબરદસ્ત ટ્વિટ્સને લઈને એન્ટ્રી કરનાર ડોક્ટર અદ્વૈત ખન્નાએ શોને અલવિદા કહ્યુ છે. ડો. અદ્વૈતના રૂપમાં અપૂર્વ અગ્નિહોત્રી (Apurva Agnihotri) એ દમદાર કામ કર્યુ. શો છોડ્યા બાદ તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તે શોના પ્રોડ્યૂસર રંજન શાહીની સાથે જોવા મળી રહી છે. આ ઇમોશનલ પોસ્ટમાં તેમણે સંપૂર્ણ જાણકારી આપી છે. 

પોસ્ટમાં લખી દિલની વાત
આ પોસ્ટમાં અપૂર્વ અગ્નિહોત્રીએ લખ્યુ- વધુ એક શાનદાર યાત્રાનો અંત થઈ ગયો.. અંત તો થયો પરંતુ આ યાત્રા પ્રેમ, હસી-ખુશી અને પાગલપણાથી ભરેલી છે. તેનો શ્રેય જાય છે સૌથી અલગ વિચાર રાખનાર અમારા રંજન, તેની શાનદાર ટીમ અને અદ્ભુત એક્ટર્સને. કારણ કે અમારી ઇન્ડસ્ટ્રી અને કામની જગ્યાએ પ્રેશરને કારણે વ્યક્તિને પોતાનું ડીએનએ બદલવા પર મજબૂર કરે છે. સેટ પર હસતા ચહેરા રંજનની ઝલક છે સારી દયા અને ઉદારતા સેટ પર જોવા મળે છે. 

અનુપમાના ડોક્ટરની નિભાવી હતી ભૂમિકા
તેમણે લખ્યું- હું અદ્વૈત માટે તમારો દિલથી આભાર વ્યક્ત કરવા ઈચ્છુ છું. તમને જણાવી દઈએ કે અપૂર્વ અગ્નિહોત્રીએ અનુપમામાં ડોક્ટર અદ્વૈત ખન્ના બનીને ત્યારે એન્ટ્રી કરી હતી જ્યારે શોડની મુખ્ય અનુપમા એટલે કે અભિનેત્રા રુપાલિ ગાંગુલીની ભૂમિકાને કેન્સર ડિટેક્ટ થયું હતું. પરંતુ ખુબ ઓછા સમયે અપૂર્વએ શોને બાય-બાય કહી દીધુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news