અંકિતાએ પોતાના લગ્ન વિશે સોય ઝાટકીને કરી દીધી મોટી સ્પષ્ટતા

હાલમાં અંકિતાના જીવનમાં ફરીથી ખુશીનું સામ્રાજય છવાઈ ગયું છે

અંકિતાએ પોતાના લગ્ન વિશે સોય ઝાટકીને કરી દીધી મોટી સ્પષ્ટતા

મુંબઈ : મણિકર્ણિકામાં ઝલકારી બાઈનો રોલ કરીને બોલિવૂડમાં પોતાની કરિયરની શરૂઆત કરનાર અંકિતા લોખંડેએ આખરે પોતાના લગ્ન વિશે ચાલી રહેલી ચર્ચાની સ્પષ્ટતા કરી છે. DNAને આપેલા ઇન્ટરવ્યૂમાં અંકિતાએ કહ્યું છે કે ''નજીકના ભવિષ્યમાં લગ્ન કરવાનો મારો કોઈ ઇરાદો નથી. અત્યારે મારું ધ્યાન મારી કરિયરમાં કેન્દ્રિત થયેલું છે. મારા પર પરિવારનું કોઈ દબાણ નથી. મેં મારી કરિયર પર ધ્યાન આપવાનું નક્કી કર્યું છે. હું ભવિષ્યમાં જ્યારે પણ લગ્ન કરીશ ત્યારે મારું કામ ચાલું જ રાખીશ.''

હાલમાં એક્ટ્રેસ અંકિતા લોખંડેએ મુંબઈમાં પોતાના મિત્રોને જન્મદિવસની પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં અંકિતા તેના કહેવાતા બોયફ્રેન્ડ વિક્કી જૈન સાથે જોવા મળી હતી. મળતી માહિતી પ્રમાણે અંકિતા બહુ જલ્દી વિક્કી સાથે લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહી છે. વિક્કી મુંબઈનો જાણીતો બિઝનેસમેન છે. હાલમાં ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ રિપોર્ટ આપ્યો છે કે અંકિતા બોયફ્રેન્ડ વિક્કી જૈન સાથે 2019માં લગ્ન કરી શકે છે. 

હાલમાં અંકિતાના જીવનમાં ફરીથી ખુશીનું સામ્રાજય છવાઈ ગયું છે. નોંધનીય છે કે અંકિતા આ પહેલાં અનેક વર્ષો સુધી ટીવી સ્ટાર સુશાંત સિંહ રાજપૂત સાથે રિલેશનશીપમાં હતી. આ બંને લગ્ન કરવાના છે એવા સમાચાર આવી રહ્યા હતા પણ આખરે બંને અલગ થઈ ગયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news