ડિજીટલ ગુજરાત: હવે ઘરેબેઠા ઓનલાઇન ભરી શકાશે સ્ટેમ્પ ડ્યૂટી

રાજ્ય સરકારે ડિજીટલ ગુજરાત નિર્માણ ક્ષેત્રે વધુ એક નકકર કદમ ભરીને નાગરિકો ઘરે બેઠા, દસ્તાવેજ માટે થતી સ્ટેમ્પ ડ્યુટી ઓનલાઈન ભરી શકે તે માટે ઈ-પેમેન્ટ વ્યવસ્થા ઉભી કરી છે. રાજયમાં હાલ નાગરિકો દ્વારા દસ્તાવેજી સ્ટેમ્પ પેપર, ફ્રેન્કિંગ મશીન તથા ઈ-સ્ટેમ્પિંગ સર્ટિફિકેટ જેવી જુદી-જુદી પધ્ધતિઓથી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવામાં આવે છે. તેમ મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું.
ડિજીટલ ગુજરાત: હવે ઘરેબેઠા ઓનલાઇન ભરી શકાશે સ્ટેમ્પ ડ્યૂટી

ગાંધીનગર: રાજ્ય સરકારે ડિજીટલ ગુજરાત નિર્માણ ક્ષેત્રે વધુ એક નકકર કદમ ભરીને નાગરિકો ઘરે બેઠા, દસ્તાવેજ માટે થતી સ્ટેમ્પ ડ્યુટી ઓનલાઈન ભરી શકે તે માટે ઈ-પેમેન્ટ વ્યવસ્થા ઉભી કરી છે. રાજયમાં હાલ નાગરિકો દ્વારા દસ્તાવેજી સ્ટેમ્પ પેપર, ફ્રેન્કિંગ મશીન તથા ઈ-સ્ટેમ્પિંગ સર્ટિફિકેટ જેવી જુદી-જુદી પધ્ધતિઓથી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવામાં આવે છે. તેમ મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વવાળી રાજ્ય સરકાર દ્વારા વધુને વધુ મહેસૂલી સેવાઓ મેળવવામાં નાગરિકોને સરળતા રહે, સમયનો વ્યય ન થાય અને પ્રક્રિયા ઓન લાઈન થાય તેવી સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તબક્કાવાર મહેસૂલી સેવાઓ ઓનલાઈન અને ડિજીટલ કરવાની કામગીરી ઝડપથી અમલી બની રહી છે. આવી જ એક પ્રક્રિયાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ઓન લાઈન ભરી શકાય તે માટે એપ્લીકેશન તૈયાર કરવામાં આવેલ છે. આ એપ્લીકેશનથી નાગરિકો પોતાના ઘરે બેઠા, જોઈએ તેટલી રકમની સ્ટેમ્પ ડ્યુટી નોંધણી થતા દસ્તાવેજ માટે ભરી શકશે.

મહેસૂલ મંત્રી પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, આ પધ્ધતિ અમલમાં આવતા નોંધણી કચેરીમાં દસ્તાવેજ નોંધાવતાં પહેલાં ખરીદવાના થતાં સ્ટેમ્પ પેપર કે ફ્રેન્કિંગ કે ઈ-સ્ટેમ્પિંગ માટે જે-તે સ્થળ પર ગયા સિવાય લોકો ઘેર બેસીને જ ઓનલાઈન પધ્ધતિથી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરી શકશે. જેને કારણે સ્ટેમ્પની કૃત્રિમ અછત નિવારી શકાશે તેમજ જુદી-જુદી જગ્યાએ જવામાં રાહત મળશે અને બિનજરૂરી વિલંબ નિવારી શકાશે. ઈ-પેમેન્ટ સિસ્ટમ અમલમાં આવતા નાગરિકોના નાણાં અને સમયનો બચાવ થશે તથા ઓનલાઈન પેમેન્ટ થવાથી સાઈબર ટ્રેઝરી મારફત તે જ સમયે સરકારમાં રકમ જમા થશે.

તેમણે ઉમેર્યુ કે, આ પધ્ધતિમાં જરૂરી વિગતો સાથે ઓનલાઈન પેમેન્ટ કરવાથી મળતી પહોંચની સબ-રજીસ્ટ્રાર દ્વારા ચકાસણી કરી તેના ઉપયોગ બાદ લોક-ઈન કરવાથી રાજય સરકાર અને નાગરિકોના નાણાંકીય હિતની સલામતી અને સુરક્ષા જળવાશે તેમજ ઓનલાઈન રેકર્ડ હોવાથી ગમે ત્યારે આ વસ્તુની ખરાઈ જાણી શકાશે. વધુમાં, નંબરીંગની પ્રથા રાખવામાં આવેલ હોવાથી ડુપ્લીકેટ કરવાની પ્રવૃત્તિ અટકાવી શકાશે.આ પધ્ધતિથી ‘ડિઝિટલ ઈન્ડિયા’ અભિયાનને પ્રોત્સાહન મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news