ઈરાનમાં મહસા અમીનીના મૃત્યુને પગલે હિંસા ફાટી નીકળી, લોકોએ પોલીસ મથકોને ચાંપી આગ

પ્રાપ્ત માહિતી મુજબ મહિલાના મૃત્યુના છઠ્ઠા દિવસે ગુરુવારે પ્રદર્શનકારીઓએ ગુસ્સે થઈને શહેરના અનેક વિસ્તારોમાં પોલીસ સ્ટેશનો અને વાહનોને આગ ચાંપી દીધી હતી.

ઈરાનમાં મહસા અમીનીના મૃત્યુને પગલે હિંસા ફાટી નીકળી, લોકોએ પોલીસ મથકોને ચાંપી આગ

દુબઈ: ઈરાનમાં હાલ હિજાબને મુદ્દે મોટાપાયે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. કહેવાય છે કે ઈરાનમાં 2019 પછીનો સૌથી મોટો વિરોધ જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે અમીનીના મૃત્યુથી ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનમાં આઝાદી અને પ્રતિબંધો સાથે સંઘર્ષ કરી રહેલી અર્થવ્યવસ્થા સહિત અનેક મુદ્દાઓને લઈને સમગ્ર ઈસ્લામિક રિપબ્લિકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એજ કારણ છેકે, ઈરાનમાં હાલ હિંસા ફાટી નીકળી છે. સાથે જ આ વિરોધ પ્રદર્શનોમાં મહિલાઓની મુખ્ય ભૂમિકા રહી છે. ઇસ્લામિક રિપબ્લિક પોલીસ દ્વારા અટકાયતમાં લેવામાં આવેલી મહિલાના મૃત્યુ પછી તેહરાન અને અન્ય ઘણા ઈરાનના શહેરોમાં સ્થિતિ વધુ વણસી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ મહિલાના મૃત્યુના છઠ્ઠા દિવસે ગુરુવારે પ્રદર્શનકારીઓએ ગુસ્સે થઈને શહેરના અનેક વિસ્તારોમાં પોલીસ સ્ટેશનો અને વાહનોને આગ ચાંપી દીધી હતી.

તેહરાનમાં 22 વર્ષીય મહિલા મહેસા અમીનીનું ગયા અઠવાડિયે પોલીસ દ્વારા હિજાબના નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવ્યા પછી મૃત્યુ થયું હતું. મહિલા કસ્ટડીમાં હતી ત્યારે કોમામાં સરી પડી હતી. જોકે અધિકારીઓએ કહ્યું હતું કે તેઓ મૃત્યુના કારણની તપાસ શરૂ કરશે. તો બીજી તરફ અમીનીના મૃત્યુ પછી લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો અને ઈરાનમાં 2019 પછીનો સૌથી મોટો વિરોધ જોવા મળ્યો. ઈરાનની મોટાભાગની કુર્દિશ વસ્તી ઉત્તરપશ્ચિમ પ્રદેશોમાં કેન્દ્રિત છે. પરંતુ હાલમાં તે કુર્દિશ રાજધાની અને ઓછામાં ઓછા 50 શહેરો અને નગરોમાં ફેલાયેલી છે.

ઉત્તરપૂર્વમાં વિરોધીઓએ એક પોલીસ સ્ટેશન પાસે “અમે મરી જઈશું, અમે મરીશું, પરંતુ અમે ઈરાનને પાછા લાવીશું” ના નારા લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમીનીના હોમ પ્રાંત કુર્દીસ્તાનથી રાજધાની તેહરાનના અન્ય પોલીસ સ્ટેશન સુધી બળવો ફેલાઈ ગયો અને અનેક પોલીસ સ્ટેશન અને વાહનોમાં આગચંપી કરવામાં આવી હતી. ઈરાનના શાસકોએ ગેસોલિનના ભાવમાં વધારાને પગલે 2019ના વિરોધને યાદ કર્યો, જે ઈસ્લામિક રિપબ્લિકના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો છે, જેમાં 1,500 લોકો માર્યા ગયા હતા. ત્યારે પ્રદર્શનકારીઓએ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેની સામે પણ ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

આ વચ્ચે એક વાયરલ વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક ટોળાએ તેહરાનમાં ખામેનીના પુત્રનો ઉલ્લેખ કરતા કહ્યું, મોજતબા, શું તમે મરી શકો છો અને સર્વોચ્ચ નેતા ન બની શકો, જોકે સમાચાર એજન્સી રોઇટર્સે આ વીડિયોની પુષ્ટિ કરી નથી. કુર્દિશ જૂથ હંગાઉ દ્વારા એક અહેવાલ જે રોઇટર્સ ચકાસી શક્યું નથી. જેમાં જણાવ્યું હતું કે ત્રણ પ્રદર્શનકારીઓ પણ મૃત્યુ પામ્યા હતા, બુધવારે સુરક્ષા દળો દ્વારા જવાબી કાર્યવાહીમાં અંદાજીત 10 લોકોના મોત થયા હતા. જોકે, સત્તાવાળાઓએ એ વાતનો ઇનકાર કર્યો હતો કે અને કહ્યું હતું કે સુરક્ષા દળો દ્વારા કરાયેલી કાર્યવાહીમાં કોઈના મોત થયા ન હતા. વિરોધ પ્રદર્શન હળવા થવાના કોઈ સંકેત દેખાતા નથી. તો બીજી તરફ સત્તાવાળાઓએ ઇન્ટરનેટ પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news