મોતની સજાથી બચી શકશે 8 ભારતીયો? જાણો કતારના નિર્ણય વિરુદ્ધ ભારત પાસે શું છે કાનૂની વિકલ્પ

કતારની કોર્ટે ભારતીય નેવીના આઠ પૂર્વ અધિકારીઓને મોતની સજા સંભળાવી છે. આ આઠ ભારતીયોને ગત વર્ષે જાસૂસીના આરોપસર ધરપકડ કરાઈ હતી. ભારત સરકારે આ નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે કતારની કોર્ટે ગુરુવારે અલ દહરા કંપનીના આઠ ભારતીય કર્મચારીઓ સંલગ્ન એક કેસમાં ચુકાદો આપ્યો છે.

મોતની સજાથી બચી શકશે 8 ભારતીયો? જાણો કતારના નિર્ણય વિરુદ્ધ ભારત પાસે શું છે કાનૂની વિકલ્પ

કતારની કોર્ટે ભારતીય નેવીના આઠ પૂર્વ અધિકારીઓને મોતની સજા સંભળાવી છે. આ આઠ ભારતીયોને ગત વર્ષે જાસૂસીના આરોપસર ધરપકડ કરાઈ હતી. ભારત સરકારે આ નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે કતારની કોર્ટે ગુરુવારે અલ દહરા કંપનીના આઠ ભારતીય કર્મચારીઓ સંલગ્ન એક કેસમાં ચુકાદો આપ્યો છે. મોતની સજાના નિર્ણયથી અમે સ્તબ્ધ છીએ અને આ ચુકાદાની ડિટેલ્ડ કોપીની રાહ જોઈએ છીએ. દરેક પરિવારના સભ્યો અને કાનૂની ટીમના સંપર્કમાં છીએ. ભારતીય નાગરિકોના છૂટકારા માટે તમામ કાનૂની વિકલ્પોની તપાસ થઈ રહી છે. 

વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું કે કતારની જેલમાં બંધ ભારતીય નાગરિકોને કોન્સ્યુલર એક્સેસ અને કાનૂની મદદ મળતી રહેશે. 

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટમાં લખ્યું છે કે કોંગ્રેસ આશા રાખે છે કે ભારત સરકાર કતાર સરકાર સાથે પોતાના રાજનયિક અને રાજનીતિક પ્રભાવનો વધુમાં વધુ ઉપયોગ કરશે જેથી કરીને એ સુનિશ્ચિત થઈ શકે કે તેમને અપીલની પૂરેપૂરી તક મળે અને તેમના જલદી છૂટકારા માટે જરૂરી કોશિશ કરવામાં આવે. ચુકાદો આવ્યા બાદ ભારતીય વિદેશ મંત્રાલયે પણ કહ્યું છે કે આ મામલાને કતારના અધિકારીઓ સામે ઉઠાવવામાં આવશે. 

હવે આગળ શું છે રસ્તો?
આ મામલે હવે આગળ શું રસ્તો છે? આ અંગે એક મીડિયા રિપોર્ટમાં સીનિયર એડવોકેટ આનંદ ગ્રોવરના હવાલે જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય કાયદો અને ICCPR ની જોગવાઈઓ કહે છે કે કેટલાક મામલાઓને બાદ કરતા સામાન્ય રીતે ફાંસીની સજા આપવી જોઈએ નહીં. તેમણે જણાવ્યું કે ભારત પાસે અનેક રસ્તા છે. પહેલો તો એ કે આ ચુકાદા પર તે કતારની ઉપલી કોર્ટમાં અપીલ કરી શકે છે. જો યોગ્ય પ્રક્રિયાઓનું પાલન ન કરવામાં આવતું હોય કે અપીલ સાંભળવામાં ન આવતી હોય તો ભારત આ મામલાને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પણ ઉઠાવી શકે છે. 

આનંદ ગ્રોવર જણાવે છે મોતની સજાને રોકવા માટે ભારત રાજનયિક સ્તર પર દબાણ પણ કરી શકે છે. એટલું જ નહીં એનજીઓ અને સિવિલ સોસાયટી પણ આ મુદ્દાને વૈશ્વિક સ્તર પર ઉઠાવી શકે છે. સંયુક્ત રાષ્ટ્ર પાસે જવાનો રસ્તો પણ ભારત પાસે છે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યાં મુજબ નેવીના આ પૂર્વ અધિકારીઓની ગત વર્ષ ઓગસ્ટમાં ધરપકડ કરાઈ હતી. 

કોણ છે આ ભારતીયો?
નેવીના જે આઠ પૂર્વ ઓફિસરોને મોતની સજા સંભળાવવામાં આવી છે તેમના નામ કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કેપ્ટન બીરેન્દ્રકુમાર વર્મા, કમાન્ડર સુગુનાકર પકાલા, કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડર અમિત નાગપાલ અને રાજેશ સામેલ છે. આ  તમામે ભારતીય નેવીમાં 20 વર્ષ સુધી સેવા આપી હતી. નેવીમાં હતા ત્યારે તેમનો કાર્યકાળ બેદાગ હતો અને મહત્વના પદો પર રહી ચૂક્યા છે. 

શું છે સમગ્ર મામલો
ગત વર્ષ 25 ઓક્ટોબરના રોજ મીતુ ભાર્ગવ નામની મહિલાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ભારતીય નેવીના 8 પૂર્વ અધિકારીઓ 57 દિવસથી કતારની રાજધાની દોહામાં ગેરકાયદેસર રીતે અટકાયતમાં છે. મીતુ ભાર્ગવ કમાન્ડર પૂર્ણેન્દુ તિવારીના બહેન છે. આ ઓફિસરો પર કથિત રીતે ઈઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ છે. કતારની એક ન્યૂઝ વેબસાઈટ અલ ઝઝીરાના રિપોર્ટ મુજબ આ ઓફિસરો પર કતારના સબમરીન પ્રોજેક્ટ સંલગ્ન જાણકારીઓ ઈઝરાયેલને આપવાનો આરોપ છે. 

જો કે કતારની સરકાર તરફથી આ પૂર્વ ઓફિસરો પર લગાવવામાં આવેલા આરોપો અંગે કઈ ખાસ જાણકારી ભારત સરકાર સાથે શેર કરવામાં આવી નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીના જણાવ્યાં મુજબ આ વર્ષ 29 માર્ચના રોજ આ પૂર્વ ઓફિસરો વિરુદ્ધ કેસની ટ્રાયલ શરૂ થઈ હતી. 3 ઓક્ટોબરના રોજ મામલામાં સાતમી સુનાવણી  થઈ હતી. 

કતારમાં શું કરતા હતા આ ઓફિસરો?
નેવીથી રિટાયર્ડ  થયા બાદ તમામ ઓફિસરો દોહા સ્થિત અલગ દહરા કંપનીમાં કામ કરતા હતા. આ કંપની ટેક્નોલોજી અને કન્સલ્ટન્સી સર્વિસ પ્રોવાઈડ કરતી હતી. આ સાથે જ કતારની નેવીને ટ્રેનિંગ અને સામાન પણ ઉપલબ્ધ કરાવતી હતી. આ સાથે જ કતારની નેવીને ટ્રેનિંગ અને સામાન પણ ઉપલબ્ધ કરાવતી હતી. 

આ કંપનીને ઓમાનની વાયુસેનાથી રિટાયર્ડ સ્ક્વોડ્રન લીડર ખમીસ અલ આલીમી ચલાવતા હતા. ગત વર્ષે તેમને પણ આ ભારતીયો સાથે ધરપકડ કરાયા હતા. જો કે નવેમ્બરમાં તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. આ કંપની આ વર્ષે 31 મેના રોજ બંધ થઈ ગઈ. આ કંપનીમાં લગભગ 75 ભારતીય નાગરિકો કામ કરતા હતા. જેમાંથી મોટાભાગના નેવીના પૂર્વ ઓફિસર હતા. કંપની બંધ થયા બાદ આ તમામ ભારતીયોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news