CICA Summit: ભારતે આતંક પર પાકને લગાવી ફટકાર, કહ્યું- કાશ્મીર અમારૂ હતું અને રહેશે

MoS MEA Meenakashi: ભારતના વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ કઝાકિસ્તાનમાં આયોજીત CICA ના શિખર સંમેલનમાં પાકિસ્તાનને ફટકાર લગાવી છે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે. 

CICA Summit: ભારતે આતંક પર પાકને લગાવી ફટકાર, કહ્યું- કાશ્મીર અમારૂ હતું અને રહેશે

નવી દિલ્હીઃ ચાલબાજ પાકિસ્તાનને ભારત તરફથી સમય-સમય પર વળતો જવાબ મળતો રહે છે. તેમ છતાં તે પોતાની હરકતો છોડી રહ્યું નથી. હવે કઝાકિસ્તાનમાં CICA ના શિખર સંમેલનમાં ભારતે પાકિસ્તાનને આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર ગણાવ્યું છે. ભારતના વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ સંમેલનમાં કહ્યું કે પાકિસ્તાન આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર છે અને ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓનો સ્ત્રોત છે. 

પાકિસ્તાન પર લગાવ્યા આરોપ
કઝાકિસ્તાનના અસ્તાનામાં સીઆઈસીએ શિખર સંમેલનને સંબોધિત કરતા લેખીએ પાકિસ્તાન પર ભારત વિરુદ્ધ જૂઠ અને દુર્ભાવનાપૂર્ણ પ્રચાર માટે મંચનો દુરૂપયોગ કરવા અને સભ્ય રાજ્યો વચ્ચે ચર્ચા અને સહયોગના વિષય અને ફોકસથી ધ્યાન હટાવવાનો આરોપ લગાવ્યો હતો. લેખીએ કહ્યું- પાકિસ્તાન આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર છે અને ભારતમાં આતંકવાદી ગતિવિધિઓનું સ્ત્રોત બનેલું છે. પાકિસ્તાન માનવ વિકાસમાં રોકાણ કરતું નથી, પરંતુ આતંકવાદને મજબૂત કરવા અને બનાવી રાખવા પોતાના સંસાધનનો ઉપયોગ કરે છે. 

તત્કાલ આતંકવાદ બંધ કરે પાક
તેમણે કહ્યું કે પાકિસ્તાને ભારત વિરોધી સરહદ પાર આતંકવાદને બંધ કરવા જોઈએ. તે પાકિસ્તાનના કબજાવાળા જમ્મૂ, કાશ્મીર અને લદ્દાખ (પીઓજેકેએલ) માં ગંભીર અને સતત માનવાધિકારોનું ઉલ્લંઘન રોકવા માટે સારૂ હશે. તેમણે કહ્યું- અમે પાકિસ્તાન સહિત અમારા બધા પાડોશીઓ સાથે સામાન્ય સંબંધ ઈચ્છીએ છીએ. આ પ્રકારે પાકિસ્તાનને સલાહ આપવામાં આવે છે કે તે અનુકૂળ માહોલ બનાવી વાત કરે. જેમાં વિશ્વનીયતા, અપરિવર્તનીય કાર્યવાહી કરવાની સામેલ હોય, જેથી કોઈ પ્રકારે ભારત વિરુદ્ધ સરહદ પાર આતંકવાદ માટે પોતાના નિયંત્રણવાળા કોઈ ક્ષેત્રનો ઉપયોગ ન થઈ શકે. તે બંને દેશોના સહયોગના પોતાના એજન્ડાથી આ મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય મંચને વિચલિત કરવાની જગ્યાએ દ્વિપક્ષીય રૂપથી મુદ્દાને સામેલ કરવા અને સંબોધિત કરવામાં સક્ષમ કરશે. 

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન અંગ
તેમણે ભાર આપીને કહ્યું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશ ભારતના અભિન્ન અંગ છે અને રહેશે. પાકિસ્તાનની પાસે ભારતના આંતરિક મામલા પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. પાકિસ્તાનની ટિપ્પણી ભારતના આંતરિક મામલા, સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડતામાં ઘોર હસ્તક્ષેપ છે જે સપ્ટેમ્બર 1999ના સીઆઈસીએ સભ્યો વચ્ચે સિદ્ધાંતોના માર્ગદર્શક સંબંધો પર સીઆઈસીએ જાહેરાતની સાથે અસંગત છે. 

આતંકવાદ સૌથી મોટો પડકાર
રાજ્ય વિદેશ મંત્રીએ કહ્યું- આતંકવાદ અમારી શાંતિ માટે સૌથી મોટો પડકાર અને ખતરો બનેલો છે અને પોતાના બધા રૂપોમાં માનવાધિકારોનું સૌથી મોટું ઉલ્લંઘનકર્તા બનેલું છે. જળવાયુ પરિવર્તન અને મહામારી જેવો આતંકવાદ બધાને પ્રભાવિત કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news