ભિખારી પાકિસ્તાન: સરકારની જાહેરાત સહાય કે સારવાર માટે પૈસા નથી નાગરિકો ભગવાન ભરોસે

પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન ઇમરાન ખાને  (Imran Khan) કહ્યું કે, દેશની આર્થિક સ્થિતી સારી નથી. તેવામાં જો લોકડાઉન કરવામાં આવે(Lockdown)  તો મોટા પ્રમાણમાં લોકો દાલ રોટીથી વંચિત થઇ જશે. માટે લોકડાઉન શક્ય નથી તેથી દરેક નાગરિક બિમારીથી બચવા માટે પોતાની રીતે સતર્કતા રાખે.
ભિખારી પાકિસ્તાન: સરકારની જાહેરાત સહાય કે સારવાર માટે પૈસા નથી નાગરિકો ભગવાન ભરોસે

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન ઇમરાન ખાને  (Imran Khan) કહ્યું કે, દેશની આર્થિક સ્થિતી સારી નથી. તેવામાં જો લોકડાઉન કરવામાં આવે(Lockdown)  તો મોટા પ્રમાણમાં લોકો દાલ રોટીથી વંચિત થઇ જશે. માટે લોકડાઉન શક્ય નથી તેથી દરેક નાગરિક બિમારીથી બચવા માટે પોતાની રીતે સતર્કતા રાખે.

ઇમરાન ખાને કહ્યું કે, લોકોને કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણથી બચવા માટે પુરતા પગલા ઉઠાવતા આ બીમારી સાથે ત્યાં સુધીમાં જીવવાનું શીખી લેવું જોઇએ. જ્યાં સુધી તેની કોઇ દવા શોધાઇ નથી જતી. દેશ પર કોરોનાનાં પ્રભાવની સમીક્ષા માટે આયોજીત રાષ્ટ્રીય  સમન્વય સમિતીની બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ ટેલિવિઝન પર પ્રસારિત એક સંબોધનમાં ભોજનનાં સોમવારે કહ્યું કે, દેશમાં આવા કેસની સંથ્યામાં સતત વધારો થઇ રહ્યો છે અને લોકોને દેશની સ્વાસ્થય પ્રણાલી પર બોઝ ઘટાડવા માટે સરકાર દ્વારા રચાયેલી નિયમો અને પ્રક્રિયાઓનું પાલન કરવું જોઇએ. 

ખઆને કહ્યું કે, તેની સરકારે લોકડાઉનમાં છુટછાટ આપવાનો નિર્ણય લીધો છે. કારણ કે દેશની અર્થવ્યવસ્થા દેશમાં વ્યસાયોને નિલંબિદ કરવાનાં કારણે અને વધારે નુકસાન ઉઠાવી શકે છે અને સરકાર પણ હવે પોતે ગરીબ દર્દીઓ અને બેરોજગારને રોકડ સહાયતા આપવાની સ્થિતીમાં નથી. વડાપ્રધાને કહ્યું કે, જો અમે લોકોને લોકડાઉન હેઠળરાખીશું તો તે વાતની કોઇ જ ગેરેન્ટી નથી કે, લોકડાઉન હટાવ્યા બાદ વાયરસ ફરીથી નહી ફેલાય. વડાપ્રધાને કહ્યું કે, મહામારી બાદ મોટા પ્રમાણમાં સબ્સિડી આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news