પાકિસ્તાન બનાવશે F16નું નવું સ્ક્વાડ્રન, ભારત-પાક બોર્ડર પર વધારશે સુરક્ષા

બાલાકોટમાં ભારતીય વાયુસેનાની તરફથી જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પો પર સર્જિકલ સ્ટ્રાઇકથી પાકિસ્તાન ખુબજ દબાણમાં છે અને હવે તેમણે આ નિર્ણય કર્યો છે કે તેઓ ભારતથી અડીને બોર્ડર પાસે તેમના ફાઇટર પ્લેનની સંખ્યા વધારશે.

પાકિસ્તાન બનાવશે F16નું નવું સ્ક્વાડ્રન, ભારત-પાક બોર્ડર પર વધારશે સુરક્ષા

નવી દિલ્હી: બાલાકોટમાં ભારતીય વાયુસેનાની તરફથી જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પો પર સર્જિકલ સ્ટ્રાઇકથી પાકિસ્તાન ખુબજ દબાણમાં છે અને હવે તેમણે આ નિર્ણય કર્યો છે કે તેઓ ભારતથી અડીને બોર્ડર પાસે તેમના ફાઇટર પ્લેનની સંખ્યા વધારશે. વાયુસેનાના સુત્રો અનુસાર પાકિસ્તાને F16 ફાઇટર પ્લેનનું નવું સ્ક્વાડ્રન બનાવ્યું છે, જેને મુશફ એર બેઝમાં બનાવવામાં આવ્યુ છે. રિપોર્ટના અનુસાર નવા સ્ક્વાડ્રનનું નામ ‘Aggressor’ રાખવામાં આવ્યું છે અને પાકિસ્તાન આ નવું સ્ક્વાડ્રન નંબર 29 ના નામથી ઓળખાશે.

વાયુસાનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્ક્વાડ્રન 29માં કુલ 8 F16 ફાઇટર પ્લેન સામેલ કરવામાં આવ્યા છે. જે કોઇપણ ઇમર્જન્સી સ્થિતિમાં ભારતની સામે તાત્કાલીક કાર્યવાહી કરી શકશે.

ભારતીય વાયુસેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાની વાયુસેનાના મુશફ એરબેઝમાં પહેલાથી સ્ક્વાડ્રન 9 છે. જે F16 ફાઇટર પ્લેનથી લેસ છે. હવે આવા બેઝમાં વધુ એક F16 સ્ક્વાડ્રન બનાવી પાકિસ્તાનની વાયુસેના ભારતની સામે તેમની તૈયારીઓને વધુ આક્રમક બનાવી રહ્યું છે.

પાકિસ્તાનના મુશફ એર બેઝ પહેલા સરગોધાના નામથી પણ ઓળખાતું હતું. જે પાકિસ્તાનનું સૌથી જૂનુ એરબેઝ છે. પાકિસ્તાનની પાસે કુલ લગભગ 30 સ્ક્વાડ્રન છે. ત્યારે ભારતીય વાયુસેનાની પાસે માત્ર 34 સ્ક્વાડ્રન અને જ્યારે વર્ષ 2019-20માં ભારતીય વાયુસેના તેમના જૂના પડમાં ગયેલા મિગ 21 અને મિગ 27ને ફેઝ આઉટ કરશે તો સ્ક્વાડ્રનની સખ્યાં ઘટી 33 થઇ જશે. ભારતીય વાયુસેનાને ઓછામાં ઓછા 42 સ્ક્વાડ્રનની જરૂરીયાત છે. જેથી ભારત પાકિસ્તાન અને ચીનનો મુકાબલો કરી શકે છે.

અમે તમને જણાવી દઇએ કે પાકિસ્તાનના સરગોધામાં પાક વાયુસેના સન્ટ્રલ એર કમાન્ડનું સેન્ટર છે અને વર્ષ 2003માં તેનું નામ બદલી પાકિસ્તાન મુશફ બેઝ રાખવામાં આવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news